Site icon 1clickchangelife

પાઠ-૨ સંચાલન ના સિદ્ધાંતો

principles of management

    સંચાલનના સિદ્ધાંતો ( Principles of Management )

 

સંચાલનની કોઈ એક વિચારધારા નથી પરંતુ સંચાલન વિચારધારાનું જંગલ છે.- હેરોલ્ડ કુંત્ઝ

સંચાલનના સિદ્ધાંતો નું  સ્વરૂપ- 

સાર:સાર્વત્રિક પરિવર્તન સામાન્ય માનવ આકસ્મિકતા

Short: સાર્વ પરી સામા આકસ્મિક માનવ ss

“સિદ્ધાંત એટલે મૂળભૂત સત્ય અંગેનું વિધાન કે જે બે કે તેથી વધુ વિચલનો કે બનાવો વચ્ચે ના કારણ અને અસર  સંબંધ ના સંદર્ભમાં સ્થપાય છે”

સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો,અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલન વિચારધારાઓનો વિકાસ થયો છે. અનેક સંચાલન શાસ્ત્રીએ અલગ-અલગ મત આપી, જુદા-જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા-પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે.

પ્રશિષ્ટ વિચાર ધારાઓ (Thoughts of Classical Theory) 

પ્રશિષ્ટ વિચારધારાઓ અંગે સવિસ્તાર સમજાવો:

સાર:19 મી સદીના અંત સુધીમાં રજૂ થઇ તે, મુખ્ય પ્રણેતાઓ ફ્રેડ મેક્સ ગીલ હેનરી, ટેલર નો ફાળો, રૂઢિગત પદ્ધતિઓને બદલે વૈજ્ઞાનિક, મુખ્ય પ્રદાન વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથામાં રહેલું, હેનરી ફેયોલનું પ્રદાન નોંધપાત્ર, ધંધાકીય એકમો ના કદ-સ્વરૂપ બદલાતા,મુખ્ય મર્યાદા નાણાકીય ઉત્તેજનને મહત્વ,માનવીય અભિગમને ઓછું, અવૈધિક સંબંધોની અવગણના.

નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ (Thoughts of Neoclassical Theory) :

નવ પ્રશિષ્ટ સંચાલન ની વિચારધારાઓ: V૪ (વિચારધારા)

સાર: પ્રશિષ્ટ વિચાર ધારાની  ખામીઓને દૂર કરી નવો અભિગમ પ્રસ્થાપિત,,વીસમી સદીમાં ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો પ્રણેતા,વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર,અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણાનો ઉમેરો,V ૪ના યોગદાનકર્તાઓ એલ્ટન મેયો, રેલિ,હર્ઝ, ક્રિસ, મેક અને માસ્લો,માનવ સંબંધો કે માનવવર્તનવાદી V ૪, સામાજિક તંત્ર V ૪ અને સામાજિક વ્યવસ્થા V ૪ મુખ્ય.

 

વર્તન સંબંધિત વિચારધારા (Thoughts of Behaviour Related) :

વર્તન સંબંધિત વિચારધારા: 

 સાર: પ્રો. ઉર્વિક કહ્યું છે, ‘તમે તમારા માણસોને સાચવો,કર્મચારી કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર,અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક  આર્થિક પરિબળની અવગણના.

 

આધુનિક વિચારધારા (Thoughts of Modern Management) :

 

ફ્રેડરિક ટેલર નો વૈજ્ઞાનિક સંચાલન નો સિદ્ધાંત

ફેડરિક ટેલર પોતે પણ એક એન્જીનીયર હોવાને લીધે તેમના અભ્યાસ ને આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહિ મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતા થી કામ નહિ કરે.


વૈજ્ઞાનિક સંચાલન ના સિદ્ધાંતો

(1) વૈજ્ઞાનિક પદ્ધતિ : કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિનો ઉપયોગ નો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ.

(2) આયોજન અને અમલીકરણ : રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજન નું કામ નિષ્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ.

(3) કાર્ય-વિશ્લેષણ : ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણે ઉત્તમ છે. જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ નો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતા માં વધારો કરી શકાય.

(4) પ્રમાણીકરણ :  પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે અગાઉથી થવી જોઈએ. ઓજારો સાધનો,સમય,કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે જરૂરી બને છે.

(5) વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ : કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારી શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ  વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય.

નાણાંકીય ઉત્તેજન : કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવાં જોઈએ.

(7) કરકસર : વૈજ્ઞાનિક સંચાલન ના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતાં ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ.

(8) માનસિક ક્રાંતિ : માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ.

વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો: VSS (વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો)

સાર: વૈજ્ઞાનિક આયોજન કરી કાર્ય પ્રમાણીકરણ પણ વૈજ્ઞાનિક કરવું નાણાકીય કરકસર કરી માનસિક ક્રાંતિ વૈસંચામાં લાવવી.

Short: વૈજ્ઞા આયો કાર્ય પ્રમા વૈજ્ઞાનાણાં કર માન VSS

વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ની પ્રયુક્તિઓ
ફેડરિક ટેલરની ભિન્ન વેતન દર ની પદ્ધતિ

કામદારો ને તેમના કામ ના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતનદરની પદ્ધતિ.


ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથા ની હિમાયત કરી હતી.

કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે.

આ હકીકત ને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદન ના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતા વાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ,

આ બાબત ધ્યાને રાખીને ટેલર ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે.

હેનરી ફેયોલ ના સંચાલનના સિદ્ધાંતો

સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એજીનીયર અને ઉદ્યોગપતિ હતા.
તેમણે પોતાના પુસ્તક ‘ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન (Industrial and General Management)’માં આ સિદ્ધાંતોની રજૂઆત કરી,

હેનરી ફેયોલ ઔદ્યોગિક સાહસ ની વહીવટી પ્રવૃત્તિઓ સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે છ ભાગમાં વહેંચી હતી.

(1) ટેકનિકલ પ્રવૃત્તિઓ જેમાં કારખાના-યંત્રો તેમજ ઉત્પાદન ને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ
થાય છે.
(2) વાણિજ્ય પ્રવૃત્તિઓ જેમાં એકમ ની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(3) નાણાકીય પ્રવૃત્તિઓ જેમાં મૂડી પ્રાપ્તિ, મૂડી નો ઉપયોગ, ભંડોળ ની જાળવણી, પુનઃરોકાણ
જેવી પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.
(4)

સંરક્ષણ પ્રવૃત્તિઓ

 

જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ-સામાનની
સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
(5) હિસાબી પ્રવૃત્તિઓ જેમાં નાણાકીય હિસાબો નાં પત્રકો, તેમજ જરૂરી આંકડાકીય માહિતી |
મેળવવાની પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.
(6) સંચાલકીય પ્રવૃત્તિઓ

જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી
પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

   

હેનરી ફેયોલની  ઔદ્યોગિક સાહસ ની વહીવટી પ્રવૃત્તિઓ:

સૂત્ર: ટેક વાણી નાણાં સંરક્ષણ  હિસાબી સંચા.

   

  હેનરી ફેયોલે  સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે-તે ઔદ્યોગિક એકમનાં સ્વરૂપને અનુરૂપ કામગીરી ની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે.

હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંત નીચે પ્રમાણે છે :
(1) શ્રમ   વિભાજનનો સિદ્ધાંત (2) સત્તા અને જવાબદારી સિદ્ધાંત
(3) શિસ્તનો સિદ્ધાંત (4) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત (5) દોરવણીની એકવાક્યતા નો સિદ્ધાં (6) સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન (7) કર્મચારીઓને યોગ્ય વેતન નો સિદ્ધાંત (8) કેન્દ્રીકરણ નો સિદ્ધાંત (9) સત્તા રૈખિક સાંકળનો સિદ્ધાંત          (10) વ્યવસ્થા સિદ્ધાંત(11) સમાનતાનો સિદ્ધાંત                      (12) સ્થિર કર્મચારીગણ નો સિદ્ધાં (13) પહેલવૃત્તિ નો સિદ્ધાંત          14) જૂથ ભાવનાનો સિદ્ધાંત

હેનરી ફેયોલના  સંચાલનના સિદ્ધાંતો: 

સૂત્ર: શ્રમ, સતા, શિસ્ત,હુકમ, દોર, સામાન્ય, કર્મ, કેન્દ્રી, સતા,વ્યવસ્થા, સમાન, સ્થિર, પહેલ, જૂથ.

ઉપર્યુક્ત સિદ્ધાંતો રજૂ કરતાં શ્રી હેનરી ફેયોલ જણાવે છે કે, “આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે, આ સિદ્ધાંતોની
સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે, તે એક શાણપણનું કામ છે.”

હેનરી ફેયોલ ના સંચાલનના સિદ્ધાંતો

(1) શ્રમ વિભાજન નો સિદ્ધાંત : શ્રમ વિભાજન ને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે.
શ્રમવિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંત નો લાભ લેવો જોઈએ.

(2) સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત : સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે.જવાબદારી વગર ની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે.

જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવા જરૂરી છે.

સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદો, જ્ઞાન, લાયકાત, અનુભવો, નેતૃત્વ ની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ.

(૩) શિસ્ત અંગેનો સિદ્ધાંત : ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે.

શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ-ન્યાયી કરારો તેમજ શિક્ષા નો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે.

(4) હુકમ ની એકવાક્યતા નો સિદ્ધાંત : કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહિ.

તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી
અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ.

તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ
એક જ અધિકારીનો જવાબદાર હોવા જોઈએ.

હુકમની એક વાક્યતાના સિદ્ધાંત ને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી
કોઈ પણ મુંઝવણ ઉભી થતી નથી,

એક કરતાં વધુ અધિકારી દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં  મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી.

(5) કર્મચારીઓને યોગ્ય વેતન નો સિદ્ધાંત : એકમ માં બધા જ કર્મચારીઓ
એકસરખી કાર્યક્ષમતા થી કાર્ય કરતા હોતા નથી.

એ કામમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે, જેઓ નિશ્ચિત
કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે.

તેઓને તેમની કાર્ય ક્ષમતા બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂરી
ફેરબદલી દર ઘટે છે.

(6) કેન્દ્રીકરણ નો સિદ્ધાંત : વ્યવસ્થા તંત્રમાં જેટલી અંશે સત્તાની સોંપણી થઇ નથી તેને
કેન્દ્રીકરણ કહેવામાં આવે છે.

કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો
જરૂરી છે.
(7) વ્યવસ્થા નો સિદ્ધાંત : આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે, માલ-સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા.

માલ-સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી

(8) સમાનતાનો સિદ્ધાંત : કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થા નો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે. તેથીતેની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે.

અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાય પૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ.આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિકરૂપે વર્તન કરી
એકમ માં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ.

કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી,વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે.

પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન

પીટર એફ, ડ્રકર( 1909-2005 )ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા.

પીટર એફ. ડ્રકરે  માનવ સંપત્તિ ને ધંધાકીય એકમ માં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી.

પીટર એફ, ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન’ અને ‘સ્વનિયમન નો સિદ્ધાંત’ મુખ્ય છે,

તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે.

તેથી પીટર એફ. ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામા આવે છે.

પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન:

સાર: લેખક, ચિંતક અને કેળવણીકાર,માનવ સંપત્તિ ને ધંધાકીય એકમ માં વિશેષ મહત્વની હિમાયત,ધ્યેયલક્ષી સંચાલન’ અને ‘સ્વનિયમન નો સિદ્ધાંત’ મુખ્ય, માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માં મુખ્ય પ્રદાન,આધુનિક સંચાલનના પિતા.

                        Fast Forward : 

 

 

.

 

 

 

 

 

 

 

 





 

 

 

 

Exit mobile version