Category: S.P

  • પાઠ 4- સભ્યપદ(PART 2)

    પાઠ 4- સભ્યપદ(PART 2)

    પ્રસ્તાવના (Introduction):

    પ્રસ્તાવના (Introduction):

    • કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવે  છે.
    • જેના અનુસંધાનમાં કંપનીમાં રોકાણ કરવા ઈચ્છતી વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી  કરે છે.
    • કંપની આવેલી અરજીઓ એકત્રિત  કરી તેનું વર્ગીકરણ કરે છે અને શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ  શેરબજારના પ્રતિનિધિઓ  સાથે પરામર્શન કરીને નક્કી કરે છે.
    • શેર ફાળવણીનું કાર્ય પૂર્ણ થયા બાદ જે અરજદારોના શેર મંજૂર થયા હોય તેમના નામ સભ્યપત્રક માં નોધવામાં  આવે છે.

    સભ્યપદ : અર્થ અને વ્યાખ્યા:

    અર્થ (Meaning) :

    • જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ  હોય તે કંપનીના સભ્ય ગણાય છે.
    • ટૂંકમાં, સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને તેનું નામ સભ્ય પત્રકમાં  હોવું તે આવશ્યક બાબત છે.

    વ્યાખ્યા (Definition) : 

    • કંપની ધારામાં જણાવ્યા મુજબ, જે વ્યક્તિએ કંપનીમાં આવેદનપત્રમાં સહી કરી સભ્ય થવા  સંમતિ આપી હોય અને જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય છે.

    સભ્ય અને શેરહોલ્ડર :

    સામાન્ય રીતે સભ્ય અને શેરહોલ્ડર શબ્દનો એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં કાયદાની દૃષ્ટિએ સભ્ય અને શેરહોલ્ડર વચ્ચે તફાવત જોવા મળે છે.

    વ્યક્તિ સભ્ય  હોય પરંતુ શેરહોલ્ડર ન હોય- સમજાવો

    (1)જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી હોય તે તરત સભ્ય બને છે પરંતુ તેણે શેર ખરીદ્યા  ન હોય તો પણ સભ્ય ગણાય છે.

    (2) બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોએ માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંયધરી આપી હોય અને તેઓની પાસે શેર ન હોવા છતાં સભ્ય તરીકે ગણાય છે

    (3) જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ફેરબદલી કર્યા હોય તો તે શેરહોલ્ડર તરીકે ૨હેતો નથી પરંતુ જયાં સુધી કંપનીના સભ્યપત્રકમા તેનું નામ રદ ન થાય ત્યાં સુધી તે સભ્ય ગણાય છે.

    (4) જે કંપની શેર મૂડી ધરાવતી નથી તે કંપનીનાં શેરહોલ્ડર હોતા નથી તેમ છતાં કંપનીના સભ્યો તો હોય છે.


    વ્યક્તિ શેરહોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય‌‌‌‌‌: ‌‌સમજાવો

    (1) કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેરહોલ્ડર ગણાય છે. જ્યાં સુધી તે પોતાનું નામ સભ્યપત્રકમાં ન નોંધાવે ત્યાં સુધી કંપનીનો સભ્ય ગણાતો નથી.

    (2) શેરહોલ્ડરનું અવસાન થતાં તેના કાયદેસરના પ્રતિનિધિ શેરહોલ્ડર બને છે, પરંતુ જ્યાં સુધી તેમનું નામ સભ્યપત્રકમાં નોંધાવે નહિ ત્યાં સુધી સભ્ય ગણાય નહીં.




     

    સભ્યપદ અને શેરહોલ્ડર વચ્ચેનો તફાવત:

    (1)અર્થ:

    સભ્ય:જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ  દ્વારા કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધ થયેલ હોય તે  કંપનીના સભ્ય ગણાય છે.

    શેરહોલ્ડર:જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે કંપનીના શેરહોલ્ડર્સ કહેવાય છે.

    (2) સહી:

    સભ્ય: જે વ્યક્તિએ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી હોય તેને સભ્ય તરીકે ગણી લેવામાં આવે છે.

    શેરહોલ્ડર: કંપનીના આવેદનપત્રમાં શેરહોલ્ડર ની  સહી જરૂરી નથી.

     (3) કાયદાકીય  હસ્તાંતરણ:

    સભ્ય: કાયદેસરનો પ્રતિનિધિ શેર ફેરબદલી પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે ત્યારે તે સભ્ય ગણાય છે.

    શેરહોલ્ડર:  કાયદાકીય હસ્તાંતરણ દ્વારા જ્યારે કાયદેસરના પ્રતિનિધિને શેર પ્રાપ્ત થાય ત્યારે તે શેરહોલ્ડર બને છે.

    કંપનીનુ સભ્યપદ કોણ મેળવી શકે છે? 

    કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી  કૃત્રિમ વ્યક્તિ છે. જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા અધિકાર ભોગવે  છે.

    કાયદાની દૃષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે.

    જીવંત વ્યક્તિ 

    કંપનીનુ સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેનાં કરાર દ્વારા મળે છે. ભારતીય કરારનવ કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે છે.જે  વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે તેવી વ્યક્તિ સભ્ય બની શકે નહી. દા. ત., સગીર, નાદાર, અસ્થિર મગજવાળી વ્યક્તિ.

    પેઢીના ભાગીદારો  :

    ભાગીદારી પેઢી કાયદાની દૃષ્ટિએ ‘વ્યક્તિ’ ન હોવાથી તે સભ્ય બની શકે નહિ. પરંતુ ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે.

    હિન્દુ અવિભક્ત કુટુંબ :

    હિંદુ અવિભક્ત કુટુંબમાં માત્ર કુટુંબનો કર્તા પોતાના કે સંયુક્ત નામે શેર કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે.

    ટ્રસ્ટ :

     નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે અને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે.

    વિદેશી વ્યક્તિ  :

    અન્ય દેશની કોઈ પણ  ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્ય બની શકે છે. પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટીની જાહેર થાય ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે.

    સંયુક્ત શેર  ધરાવનાર 

    • જયારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત  નામે કંપનીના શેર ખરીદે ‍ ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે.
    • જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલા  હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદભવે છે.
    • વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ  હોય તેના નામે કંપની પત્રવ્યવહાર કરેછે.નોટિસ, ડિવિડન્ડ વૉરંટ, પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર તેના જ સરનામે  મોકલાવે છે.

    અન્ય સંસ્થાઓ  : 

    સહકારી કાયદા મુજબ નોંધાયેલી સહકારી મંડળી કે  અન્ય કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે.

    કંપની (Company) : 

    કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ  હોવાથી સભ્યપદ મેળવી શકે છે.

    કંપની પોતાના નિયમનપત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. જેમાં  નીચેની જોગવાઈઓનું પાલન થવું  જરૂરી છે 

     (1)  કંપની પોતાના નિયમનપત્રના અનુસંધાન માં જ  કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. 

    (2) ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે,

    પરંતુ  નીચે જણાવેલ અપવાદરૂપ સંજોગોમાં તે કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે :

    (a)શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર  ધારણ કરે ત્યારે.

    (b) ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં  પણ હિતસંબંધ ન હોય ત્યારે.

    (c) આ કાયદાના અમલ પહેલા કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું  સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે.

    સભ્યપદ મેળવવાની રીતો :

    કંપનીના શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ કે નામ સભ્યપત્રક માં નોંધેલ હોય  તે સભ્ય ગણાય છે. કંપનીનું સભ્યપદ મેળવવા માટે જુદી-જુદી રીતો નીચે મુજબ છે :

    આવેદનપત્ર માં સહી દ્વારા : 

    કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળેથી આપોઆપ સભ્ય બને છે. 

    શેર ફાળવણી દ્વારા  : 

    વ્યક્તિઓ કંપનીમા  શેર ખરીદવા માટે અરજી કરે છે. જેમની અરજી મંજૂર થાય ત્યારે  તે અરજદારનું નામ સભ્ય પત્રકમાં નોંધવામાં આવે છે. પરિણામે તે કંપનીના સભ્ય બને છે અને સભ્યપદ પ્રાપ્ત કરે છે.

    શેર ફેરબદલી દ્વારા  : 

    જ્યારે કોઇ શેરહોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે  ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ  કંપનીનું સભ્યપદ મેળવે છે.

    કાયદાકીય હસ્તાંતરણ દ્વારા : 

    જ્યારે કોઇ શેરહોલ્ડર નું અવસાન  થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક  બને છે.

    અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા :

    કંપની  નિષ્ણાત વ્યક્તિઓને તેમની સેવા કે કામગીરીના મહેનતાણા બદલ પૂર્ણ ભરપાઇ થયેલા શેર અવેજ આપે છે.પરિણામે તે વ્યક્તિનું  નામ સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે અને સભ્યપદ મેળવે  છે.

    સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને : 

    જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે તેના સભ્યપદનો  અંત આવે છે.

    તેની પાસે સભ્યપદ ન હોવા છતાં તે (1) કંપનીના સભ્યપત્રક માં  નામ ચાલુ રહેવા દે

    (2) પોતે સભ્ય છે તેવો દેખાવ કરે

    (3) આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરે  અને પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદભવે ત્યારે વર્તમાનમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે તે માન્ય ગણાતી નથી. કારણ કે કાયદાની દૃષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતાંનથી, પરંતુ સભ્ય  તરીકે જવાબદાર બને છે. 

    ત્યાગપત્ર નો ઉપયોગ કરીને  : 

    વર્તમાન શેરહોલ્ડરને હકના  શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂણૅ કે આંશિક  રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો  ઉપયોગ કરે છે.

    રૂપાંતરણ ડિબેન્ચર ધારક દ્વારા:

    જે ડિબેન્ચર ધારક પાસે  રૂપાંતર પાત્ર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક  ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને છે અને સભ્યપત્રક માં તેનું નામ દાખલ કરવામાં આવે છે.

    સ્વેટ ઇક્વિટી શેર દ્વારા :

    કંપની તેના સંચાલકો , કર્મચારીઓ અને વિશિષ્ટ ધરાવતા કર્મચારીઓને  વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે.

    આ પ્રકારના શેરધારકનું નામ સભ્યપત્રકમાં  નોંધ કરવાથી સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે.

    સભ્યપદનો અંત :

    જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદ નો  અંત આવે છે. આ અંગેના વિવિધ સંજોગો નીચે મુજબ દર્શાવી શકાય :

    શેર ફેરબદલી દ્વારા :

    કંપનીનો સભ્ય પોતાના તમામ શેર અન્ય કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને વેચે ત્યારે શેરની ફેરબદલી પ્રક્રિયાને આધારે શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ થાય છે. પરિણામે વેચનારનો સભ્યપદનો અંત આવે છે.

    શેર જપ્તી દ્વારા  : 

    કંપનીએ શેર પરના હપતા મંગાવ્યા હોય અને નિયત  મુદતમાં શેરહોલ્ડર હપતાની રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી બાદ તેના શેર જપ્ત  કરવામાં આવે છે, પરિણામે તે શેરહોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી રદ થતાં સભ્યપદનો અંત આવે છે.

    શેર લિયનના હકનો ઉપયોગ કરે ત્યારે 

    કંપનીના નિયમનપત્રમાં શેર લિયન અંગેની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ વસૂલ કરવા માટે શેરહોલ્ડરને નોટિસ આપે છે જ્યારે  કંપની શેર લિયનના હકનો ઉપયોગ કરી પોતાનું લેણું વસુલ કરવા શેરહોલ્ડર ના શેર વેચી દે ત્યારે તેના મૂળ શેરહોલ્ડર ના સભ્યપદ અંત આવે છે.

    રિડીમેબલ પ્રેફરન્સ શેરના  નાણાં પરત કરે ત્યારે :

    કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર  પાડ્યા હોય અને શરત અનુસાર મુદત પૂરી થતાં  કંપની શેર પરત લઇ નાણાં ચૂકવી આપે છે, પરિણામે શેરહોલ્ડરના સભ્ય પદનો અંત આવે છે.

    શેર વહેંચણી રદ કરાવે ત્યારે: 

    કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વહેંચણી માટેની જોગવાઈઓનો ભંગ થતો હોય ત્યારે  અસર પામતા શેરધારકો શેર વહેચણી રદ કરાવે છે, જેથી તેઓના સભ્યપદનો અંત આવે છે.

    કંપની સમેટી લેવામાં આવે ત્યારે  : 

    કંપની પોતાનો ધંધો બંધ કરે કે સમેટી લે અથવા ફડચામાં જાય ત્યારે કંપનીના અંત સાથે જ સભ્યપદનો અંત આવે છે.

    કંપનીઓના સંયોજન/ જોડાણ  દ્વારા :

    જ્યારે બે કંપનીઓ પૈકી ‍ કોઈ એક કંપનીનું બીજી કંપનીમાં સંયોજન થાય અથવા બે કંપનીઓ જોડાણ કરી નવી કંપની સ્થાપે  ત્યારે અસ્તિત્વ ગુમાવનાર કંપનીનાં સભ્યોનાં સભ્યપદનો અંત આવે છે.

  • પાઠ-3 ડિબેન્ચર (PART 2)

    પાઠ-3 ડિબેન્ચર (PART 2)

    પ્રસ્તાવના:

     

    આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપની ને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે.

    • ડિબેંચર એટલે ઉછીની મૂડી. ડિબેંચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે.
    • જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદત વ્યાજ ચૂકવવા ખાતરી આપે છે.
    • આ માટે કંપની મિલકતો પર તરતો બોજ (Floating Charge) ઊભો કરે છે.

    ડિબેંચરની વ્યાખ્યા:

    ડિબેંચર મૂળ લેટિન શબ્દ ‘Debere’ પરથી આવ્યો છે. જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેંચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે.

    ડિબેંચર એ “કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો, કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે: સરફ્રાન્સિસ પામર

    ડિબેંચર એ “કંપનીની સામાન્ય માહોરથી  અંકિત થયેલો દસ્તાવેજ છે. જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે, નિશ્ચિત મુદત  પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે, તેના દેવાનો સ્વીકાર કરે છે.

    • ડિબેંચર એ  કંપની ની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે.
    • જેમાં મુદલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે.
    •  જે માટે કંપનીની મિલકતો પ૨ બોજ ઊભો કરવામાં આવે છે.

    આમ, કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબાગાળા માટે ઉછીની મૂડી લેવા માગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે.

    • નિશ્ચિત મુદત પછી ડિબેંચરના નાણાં પરત કરી શકાય છે. કંપની અને  ડિબેંચરધારક વચ્ચે દેવાદાર-લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે.
    • ડિબેંચરધારકને કંપનીમાં મતાધિકારનો હક મળતો નથી. તે કંપની સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી.

    પરંતુ ડિબેંચર હોલ્ડરો તેમના હિતોના રક્ષણ માટે ટ્રસ્ટી. નીમી શકે છે. કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચી સૌપ્રથમ ડિબેંચરધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે.

    ડિબેન્ચર ના પ્રકાર:

    જાહેર જનતા સરળતાથી નાણાં રોકી તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે.  ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્વ આપતા હોય છે. 

    ડિબેન્ચર ના પ્રકાર : (1) ગીરો ડિબેન્ચર (2) સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર(3)અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર  (4) બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર.

    ગીરો ડિબેન્ચર:

    આ પ્રકારના ડિબેંચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મુકી સ્થિર કે અસ્થિર પર બોજ ઉભો કરે છે.

    આ મિલકતો સંદર્ભ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં કંપનીએ ડિબેન્ચર  હોલ્ડર્સના  ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે.

    કંપનીનું જયારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક હોય છે.

    સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેંચર (Fully Convertible Debenture – FCD ) : 

    ડિબેંચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ  કરાર મુજબ નિશ્ચિત સમયમર્યાદાને અંતે જે તે  ડિબેંચરનું ઈક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. કંપની આ  અગાઉ ડિબેંચર ધારકોને બે વિકલ્પ આપે છે.

    જેમાં (i) ડિબેંચરના નાણાં પરત લેવા છે કે (ii) તેટલી રકમના ઇકવિટી શેર  લેવા છે. જો ડિબેંચર ધારક FCD વિકલ્પ સ્વીકારે તો

    ડિબેંચરધારક તરીકેના હકો કંપની લેણદાર તરીકેના સમાપ્ત થાય છે. અને ઇક્વિટી શેરધારક તરીકેના હકો (માલિકી) પ્રાપ્ત થાય છે.


    અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેંચર: (Partly Convertible Debenture -PCD) :

    અહિં ડિબેંચરના બે ભાગ ‍ પાડી દેવામાં આવે છે. જેમાં ડિબેચરનો  એક ભાગ સંપૂર્ણ રૂપાંતરીત થાય છે અને બીજો ભાગ બિનરૂપાંતરિત હોય છે.

    એમાં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિનરૂપાંતરીત ભાગ પરત કરવામાં આવે છે.

    બિનરૂપાંતરક્ષમ ડિબેંચર (Non-Convertible Debenture – NCD) :

    આ પ્રકારના ડિબેંચરનું ઈકવિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઇ જોગવાઇ હોતી નથી. કંપની ડિબેચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે.

    ડિબેન્ચર બહાર પાડવાની વિધિ :

    • ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ‘ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે.
    • જ્યારે કંપની  ડિબેન્ચર બહાર પાડે ત્યારે તમામ જોગવાઈઓ નું પાલન કરવું અનિવાર્ય છે.
    • જો આ જોગવાઈના પાલનમાં કોઈ પણ ભૂલ  થાય તો કંપની/ જે તે અધિકારી દંડ–સજા ને પાત્ર ગણાય છે.
    • ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહિ તે રીતે  ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે :

    (1) ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ : સૌપ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર  અંગેની જોગવાઇઓનો અભ્યાસ કરવામા આવે છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં  ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે.

    (2) કંપનીની સામાન્ય સભામાં ઠરાવ:

    ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે.

    (3) સેબી (SEBI)ની મંજુરીડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે 

    (4) વિજ્ઞાપનપત્ર બહાર પાડવું : જાહેર કંપનીઓએ  ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપનપત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. 

    (5) ડિબેંચર ટ્રસ્ટીઓની નિમણૂક : ડિબેંચરધારકોના  હિતોનું રક્ષણ ક૨વા માટે કંપનીમાં ડિબેંચ૨ ટ્રસ્ટઓની નિમણૂક કરવામાં આવે છે.

    (6) બાંયધરી દલાલી સાથે કરાર :  કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંયધરી દલાલો–સંસ્થાનો સાથે કરાર કરવા માગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે. 

    (7) શિડ્યુલ્ડ બેન્કમાં ખાતું ખોલાવવું :  કંપની ડિબેંચર ની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડયુલ્ડ બેન્કમાંખાતું ખોલાવવું પડે છે. 

    (8) શેરબજારમાં નોંધણીજો  વિજ્ઞાપનપત્રમાં  દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેંચરના ખરીદ-વેચાણ માટે માન્ય શેરબજારમાં અરજી કરે છે.

    (9) ડિબેન્ચર વહેચણી પત્રક તૈયાર કરવું : વિજ્ઞાપનપત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેંચર ભરણાની યાદી બંધ થયા પછી આવેલ ડિબેંચર  અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેંચર વહેંચણીપત્રક તૈયાર કરે છે.

    (10) ડિબેંચરના  પ્રમાણપત્રો :કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમયમર્યાદામાં ડિબેંચર પ્રમાણપત્રો ડિબેંચરધારકોને મોકલી આપવામાં આવે છે.


    ડિબેંચર હોલ્ડર ના અધિકારો (Rights of Debenture Holders):

    કંપનીમાં ડિબેંચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવાપાત્ર થાય છે.

    (1) ડિબેન્ચર પર નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકારો.

    (2) ડિબેન્ચરની  સમયમર્યાદા પૂરી થતા નાણાં પરત મેળવવાનો અધિકાર.

    (3) કંપની રજીસ્ટર્ડ ઓફીસે રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર.

    (4) કંપની રજિસ્ટર્ડ ઓફીસ જરૂરી ફી ભરી જે-તે સાચી માહિતી મેળવવાનો અધિકાર.

    (5) કંપની ડિબેન્ચરધારકો સાથે ટ્રસ્ટ ડીડ/ ટ્રસ્ટ કરાર કરે છે, તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી  થાય છે કે કેમ તેની જાણકારી મેળવવાનો અધિકાર છે.

    (6) ડિબેંચર હોલ્ડરોને તેના હિતોનું રક્ષણ કરવા માટે  ડિબેંચર  ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર.

    (7) કંપનીના સંચાલકો, ડિબેન્ચર હોલ્ડરને અસર કરતા મહત્વના નિર્ણયો લેતા પહેલાં ડિબેંચર છે ટ્રસ્ટી ને વિશ્વાસ માં લેવા પડે છે.

    (8) કંપનીએ જે મિલકતની જામીનગીરી/ ગીરો આપેલ  હોય તેની ટ્રસ્ટ કરેલ જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે.

    (9) જામીનગીરી પેટે આપેલ મિલકત/ટ્રસ્ટ ડીડની જોગવાઈનો જો ભંગ કરે , શરતોનું પાલન ન કરે તેવા  સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર છે.

    (10) સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે.

    (11) કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે.

     ડિબેંચર ટ્રસ્ટ ડીડ (Debenture Trust Deed):

    • ડિબેંચર એ કંપનીનું દેવું છે, કંપની ડિબેંચર હોલ્ડરોને આ દેવા સામે મિલકતોની જામીન/ગીરો  આપે છે.
    • ભારતીય કંપની ધારા પ્રમાણ કંપની અને ડિબેંચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રાર  સમક્ષ નોંધણી કરાવવામાં આવે છે.
    • આમ, કંપની અને ડિબેંચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ,  કે ટ્રસ્ટ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
    • કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે.
    • આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે  ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિોને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે.
    • જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, આ ડિબેંચર -ટ્રસ્ટીઓ  ડિબેંચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિતરક્ષણ માટે કાર્ય કરે છે.
    • કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડ ની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.
    • ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો  તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેંચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેમની સહમતી મેળવ્યા પછી જ ફે૨ફા૨ કરી  શકાય છે.

    ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે 

    ડિબેંચર ટ્રસ્ટ ડીડ ફોર્મ–12 પ્રમાણે ભરવાનું હોય છે.જે નીચે મુજબ છે:

    (1) કંપનીની પ્રાથમિક વિગત

    (2) ડિબેંચર ઇસ્યુની વિગત

    (3) જામીનગીરી/ગીરો મુકેલ મિલકતની વિગત

    (4) ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણુક અંગેની વિગતો

    (5) જવાબદારી નિભાવવામાં કસુર ઘટનાઓ

    (6) કંપની અને બંધનકર્તા શરતો/જોગવાઈઓ

    (7) અન્ય બાબતો

    – ટ્રસ્ટ ડીડ માં શરતમાં ફેરફાર કર્યા હોય તો તેની વિગતો.

    – ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચુકવવા કંપની જવાબદાર છે.

    –ડિબેંચર ધારોકોની સભા તથા ફરિયાદ વાંધોઓ અને તેનું નિરાકરણ વગેરે…

    ડિબેંચર ફેરબદલી ની વિધિ :

    ડિબેંચર ફેરબદલીની વિધિ નીચે પ્રમાણે દર્શાવી શકાય :

    (1) રજિસ્ટર્ડ  ડિબેંચરની ફેરબદલી માં – તે માટે નિર્ધારિત કરેલ ફોર્મ મેળવવું અને જરૂરી વિગતો ભરેલી,

    (2) ડિબેંચર  વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, સરનામા, ડિબેંચરની વિગત, પ્રમાણપત્ર નંબર,ક્રમ,  ડિબેંચર ની સંખ્યા અને ડિબેચરની કિંમતની વિગતો દર્શાવવામાં આવે છે અને બંને પક્ષકારોને તેમાં સહી કરવી પડે છે.

    (3) ડિબેંચર વેચનારે પોતે સ્વૈચ્છિક રીતે ડિબેંચર વેચેલ છે તે જણાવી બીજી સહી કરવી પડે છે.

    (4) ડિબેંચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપનીની રજીસ્ટર ઓફિસ રજૂ કરવામાં આવે છે.

    (5) કંપની સેક્રેટરી ફોર્મની વિગત અને પ્રમાણપત્ર ચકાસણી કરીને નમૂના સહીની સરખામણી કરે છે.

    (6) પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે કેમ તેની તપાસ કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરશે.

    (7) કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની  મંજૂરી અંગે ચર્ચા કરી ફેરબદલી મંજુરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે.

    (8) સંચાલકમંડળના ઠરાવના આધારે સેક્રેટરી  ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું ,નામ દાખલ કરે છે અથવા  નવું ડિબેંચર પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનારને તે મોકલી આપે છે.

    શેર અને ડિબેન્ચર વચ્ચે નો તફાવત:

    (1) અર્થ:

    શેર: જોઈન્ટ સ્ટોક કે કંપની પોતાની  માલિકીની મૂડી ને નાના-નાના ભાગોમાં વહેંચે છે. આ દરેક ભાગને શેર કહે છે.

    ડિબેન્ચર: જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને ડિબેન્ચર કહે છે.

    (2) મૂડી:શેર એ કંપનીની માલિકીની મૂડી છે.

              ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે.

     

    (3)વળતર: કંપની નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ આપે છે.

                  કંપની ડિબેન્ચર  પર વળતર તરીકે વ્યાજ આપે છે.




    (4) વળતરનો દર: શેરમા  ડિવિડન્ડનો દર અનિશ્ચિત છે.

                          ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. નફો થાય કે ન થાય વ્યાજ  ફરજિયાત ચૂકવવું પડે છે.


    (5) માલિકી: શેરહોલ્ડર એ કંપનીનો માલિક છે.

                    ડિબેન્ચર હોલ્ડરએ કંપનીનો લેણદાર  છે.


    (6) જોખમ: શેરમાં જોખમનું પ્રમાણ વધારે જોવા મળે છે.

                   ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે.

    (7) મતાધિકાર:  શેરમાં મતાધિકારનો હક મળે છે.

                      ડિબેન્ચરમાં મતાધિકારનો હક મળતો નથી.

    (8) સ્ટેમ્પ ડયુટી: કંપનીમાં શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી  ઓછી ભરવી પડે છે.

    ડિબેન્ચરની ફેરબદલીમા  સ્ટેમ્પ ડ્યુટી ભરવી વધુ ભરવી પડે છે.

    (9) નાણાં પરત મેળવવા:કંપની જ્યાં સુધી કાયદેસર રીતે  હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકાતા નથી. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો હક મળે છે.

    ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણા પરત કરી શકે છે. કંપની વિસર્જનસમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ હક મળે છે.

    (10) મૂડીમાંથી ચુકવણી: કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી.

    ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે  મૂડીમાંથી આપી શકાય છે.

    (12) અંકુશ: શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે.

    ડિબેંચરધારકો કંપનીના વહીવટ પર  અંકુશ ધરાવતા નથી. પરંતુ તેમના હિતના રક્ષણ માટે ડિબેંચર ટ્રસ્ટીની  નિમણૂક કરી શકે છે.

    (13) કંપની વિસર્જન માગણી: શેર ધારક વિસર્જન ન માગણી કરી શકતો નથી.

            ડિબેંચરધારક કંપની વિસર્જન ની  માગણી કરી શકે છે.



  •   પાઠ ૧- શેર બહાર પાડવા (PART 2)

      પાઠ ૧- શેર બહાર પાડવા (PART 2)

    વિષય- સેક્રેટરીયલ પ્રેક્ટિસ- ભાગ-2 

    •  વિદ્યાર્થીમિત્રો શું આપ થિયરીના વિષયોથી લઈને ખૂબ જ ચિંતિત છો?
    • શું આપને થિયરીના લાંબા લાંબા પ્રશ્નો પાકા કરવા ખૂબ અઘરા લાગે છે?

    આપની ચિંતા અને સમસ્યાઓનો હવે અંત આવી ગયો છે. આપની સમક્ષ અમે એક એવી અદભુત પદ્ધતિ લાવ્યા છીએ જેનું નામ છે: “SHORT GOLDEN METHOD”

    • આ પદ્ધતિ મુજબ તમારે એટલું જ પાકું કરવાનું છે જેટલું જરૂરી છે.
    • આ પધ્ધતિમાં દરેક પ્રશ્નોના જવાબ ની ભાષાને ખુબ જ સરળ બનાવી દેવામાં આવી છે.
    • ઘણીવાર વિદ્યાર્થીઓને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે લાંબા જવાબોમાં કેટલું પાકુ કરું અને કેટલું ન કરું?. આમ કરવા જતા તેનાથી અગત્ય ના વાક્યો પાકા કરવાના રહી જાય છે. જેમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે.
    • આ પદ્ધતિમાં અમે વિભાગ A વિભાગ B તેમજ વિભાગ C ના તમામ પ્રશ્નો ના જવાબો જ્યાં વિસ્તૃત પ્રશ્નોમાં સમાયેલા હોય તેને તમારા માટે ખૂબ જ આકર્ષક રીતે અલગથી તારવેલ છે.
    • આપેલા પાઠના  જવાબો માં જ્યાં બ્લૂ રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે  તે વિભાગ A તેમજ વિભાગ B માટેની અગત્યની લાઈનો છે.
    • જ્યા કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે તે વિભાગ C ના પ્રશ્નના જવાબો છે.
    • તમારી સરળતા માટે દરેક વિસ્તૃત પ્રશ્નના જવાબ ને સહેલાઇથી યાદ રાખવા માટે જ્યાં જરૂરી હોય ત્યાં સૂત્રો પણ આપેલા છે.
    • ઘણા પ્રશ્નો ના જવાબ ના અંતે keywords પણ આપેલા છે.
    • તફાવત ના પ્રશ્નો માં જુદા જુદા રંગો નો ઉપયોગ કરવામાં આવેલો છે. જે વિભાગ A-B-C ને લાગુ પડતો નથી.

     

    “SHORT GOLDEN METHOD” ના ફાયદા

    • ખૂબ જ થોડા સમયમાં તમે ઘણું બધું પાકું કરી શકશો.
    • તમારો કીમતી સમય બચશે.
    • પરીક્ષામાં આની બહારનું લગભગ કંઈ જ નહીં પુછાય.
    • તમારા હાથમાં readymade most imp content રહેશે.
    • પરીક્ષા વખતે ફાસ્ટ રીવીઝન કરવામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
    • તમે આ પદ્ધતિથી નિશ્ચિત ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શકશો એમાં શંકાને કોઇ સ્થાન નથી.
    • જુદા જુદા રંગો, સૂત્ર ,તેમજ keywords ના ઉપયોગથી તમે ગમે તેવા પ્રશ્નો ના જવાબ ખૂબ જ ઝડપથી પાકા કરી શકશો.
    • આ પદ્ધતિથી એકવાર ફક્ત એક પાઠ તૈયાર કરી જુઓ અને પછી જુઓ ચમત્કાર!!!!

                          પાઠ ૧- શેર બહાર પાડવા

    પ્રસ્તાવના:

    જાહેર ભરણા માટે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956,કંપનીનો કાયદો 2013 અને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓ નું કંપનીએ પાલન કરવું જરૂરી છે.

     

     

     

    જાહેર કંપની (૧) જાહેર ભરણા દ્વારા (૨) હકના ભરણા દ્વારા (૩) બોનસ શેર દ્વારા અને (૪) ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેર મૂડી ઊભી કરે છે.

     

    કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેરહોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતા ને આપી શકે છે જેને વેચાણ માટે ની દરખાસ્ત ( offer for sale)  કહે છે.

     

    વિજ્ઞાપન પત્ર:- કોઈપણ પ્રકારની નોટીસ સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજો દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહે છે.

    જાહેર ભરણા ની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની  બેંક, બાયંધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી વગેરેની મદદ લે છે.

    જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિ ને બે ભાગમાં વહેંચી શકાય (૧) શેર અરજી ની વિધિ (૨) શેર વહેંચણી

     

    શેર અરજી અંગેની વિધિ: આ વિધિ ના ચાર તબક્કાઓ છે. વિભાગ-E

    (૧) બેંકમાં ખાતું ખોલાવવું: કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે કોઈપણ શિડ્યુલ્ડ બેંક માં ચાલુ ખાતું ખોલાવી શકે છે. આ ખાતા ને એસ્ક્રો બેન્ક ખાતું કહેવામાં આવે છે.

    ASBA ની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજુરી ની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેર બદલી થતી નથી. શેર મંજુરી ની વિધિ પૂરી થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજી ની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી.

    (૨) શેર અરજીઓ મેળવવી: વિજ્ઞાપન પત્ર માં જણાવેલ તારીખો દરમિયાન શેરની અરજી કરવા માંગતાં તમામ પ્રકારના રોકાણકારો શેર દલાલ, પેટા દલાલ,સ્ટોક એક્સચેન્જ અને આસ્બા માટે મંજુર થયેલ બેંકની શાખા માંથી અરજીપત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સાથે ભરી દલાલ કે પેટા દલાલ આસબા માટે નક્કી થયેલ બેંકમાં જમા કરાવે છે.

    (૩) શેર અરજીઓ નું વર્ગીકરણ કરવું: શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધુરી વિગતો વાળી અરજી નામંજૂર કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને (૧) છૂટક રોકાણકારો (૨) બિન સંસ્થાકીય ઉચી નેટવર્થ ધરાવતા રોકાણકારો.(૩) સંસ્થાકીય રોકાણકારો અને (૪) કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો એમ ચાર પ્રકારના અરજદારોમાં અરજીઓ નું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10 ટકા શેર અનામત રાખવા જરૂરી છે.

    (૪) શેર વહેંચણી અને વહેચણી પત્રક:દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજુર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેર ની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે ત્યારબાદ તેને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. અરજદારો ને ફાળવેલા શેર તેમના ડિમેટ ખાતામાં જમા કરવામાં આવે છે.

     

    શેર ની વહેંચણી અંગે ની વિધિ:

    (૧) આસ્બાં માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજી ની રકમ જે-તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડીકેટ મેમ્બર ને સોંપવી.

    (૨) સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાં ના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. અરજીની સમગ્ર વિગતો માન્ય શેરબજારોને પણ મોકલવામાં આવે છે.

    (૩) ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણી નું પત્રક તૈયાર કરી માન્ય શેરબજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે.

    (૪) ડિપોઝિટરી દ્વારા અરજદારના ડિમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે.

     

    શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ:

    વિભાગ- D-E

    શેર વહેંચણી અંગે કંપનીધારા 2013 માં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે.

    • કંપની જાહેર ભરણા માં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં
    • જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા ૧૦ ટકા અનામત રાખવામાં આવશે.
    • બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબાં (ASBA) દ્વારા જ શેરની  અરજી કરી શકશે.
    • શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લુ મુક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી.
    • શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજીયાત છે. ફાળવેલ શેર અરજદારના ડિમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે.
    • કંપનીએ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા ૯૦ ટકા શેર માટે અરજીઓ મળવી જોઈએ જો ૯૦ ટકાથી ઓછી અરજીઓ(લઘુતમ ભરણું) મળે તો કંપની શેર વહેંચણી કરી શકે નહીં.
    • શેર ની નોંધણી માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ.
    • વિજ્ઞાપનપત્રમાં લઘુતમ ભરણા નો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ.
    • જાહેર ભરણા માટે કંપનીની લઘુતમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ.
    • જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકશે નહીં.(જેને lock in period કહે છે)

    Keywords: વટાવ, અનામત, આસબા, દસ દિવસ,ડિમેટ ખાતુ, લઘુતમ ભરણુ, માન્ય શેર બજાર, વિજ્ઞાપન પત્ર, લઘુતમ નેટવર્થ,Lock in period.

     

     

    અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી:

    અર્થ: શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે.

    અનિયમિત શેર વહેંચણી ના સંજોગો: (કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય?):

    વિભાગ-D

    • લઘુતમ ભરણું મળ્યા વગર કરેલ શેર વહેંચણી.
    • વિજ્ઞાપન પત્રની નકલ રજીસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય.
    • શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5 ટકા અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણા મળેલ ન હોય.
    • કંપનીએ એસ્ક્રો બેંક ખાતુ શિડ્યુલ્ડ બેંકમાં ખોલાવેલ ન હોય.
    • નોંધણી માટે માન્ય શેરબજાર સાથે સમજૂતી કરેલ ન હોય.
    • ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય.
    • સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરેલ હોય.
    • વિજ્ઞાપનપત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય.

    Keywords: લઘુતમ ભરણું, વિજ્ઞાપનપત્રની નકલ, દાર્શનિક કિંમત,

    એસ્ક્રો બેંક ખાતુ, માન્ય શેર બજાર, ડિપોઝિટરી, સેબીની માર્ગદર્શિકાઓ, વિજ્ઞાપન પત્ર ની માહિતી.

     

    અનિયમિત શેર વહેંચણી ની અસરો: વિભાગ-D

    જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વહેંચણી રદ કરાવી શકે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. અનિયમિત શેર વહેંચણી ના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદાર ને નુકસાન થયું હોય તો તે ઇચ્છે તો રદ કરાવી શકે છે. તે રદબાતલ અંગેની સમયમર્યાદા નીચે મુજબ છે:

     

    (૧)કાયદેસર ની પ્રથમ સભા ભર્યા પછી ના બે માસ સુધીમાં શેર વહેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય.

    (૨) જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેચણીની તારીખ પછીના બે માસમાં શેર વહેંચણી રદબાતલ કરાવી શકાય.

    (૩) કોઇ સંચાલક જાણીબુઝીને કાયદેસરની વહેંચણીની જોગવાઈઓનો ભંગ કરે અથવા અન્ય કોઇને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણી ના પરિણામે કંપનીને કે શેરહોલ્ડર ને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે.

     

    ગેરકાયદેસર શેર વહેંચણી:

    શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર ‘સંપૂર્ણ કરાર’ ત્યારે જ કહેવાય છે જ્યારે તેના આવશ્યક તત્વો ની હાજરી હોય એટલે કે આવા આવશ્યક તત્વો નો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય છે.

    શેરની ગેરકાયદેસર વહેંચણી શરૂઆતથી જ રદબાતલ ગણાય છે.

    ગેરકાયદેસર શેરની વહેંચણીના ચાર સંજોગો છે: (૧) દરખાસ્ત

    (૨) દરખાસ્તનો સ્વીકાર (૩) સ્વીકાર ની જાણ (૪) અવેજ.

     

    ત્યાગ પત્ર:- (હક ના શેર ના ત્યાગ પત્ર દ્વારા ભાગલા પાડવા.)

    વિભાગ-D

    કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હક ના શેર કહે છે. આમ ત્યાગ પત્ર હક ના શેર  સાથે સંકળાયેલ છે.

    કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે જેને હક ના શેર કહે છે.

    કંપની જે હક ના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર  શેર હોલ્ડર બીજી વ્યક્તિને આપવા માગતો હોય તેના માટે તે જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગ પત્ર કહે છે.

    આ માટે કંપની પોતાના આર્ટીકલ્સ માં (નિયમન પત્ર માં) જોગવાઈ રાખે છે.

    ત્યાગ પત્ર બે ભાગમાં વહેંચાયેલ છે:

    (૧) પ્રથમ ભાગમાં ત્યાગ પત્ર છે જેમાં મૂળ શેરહોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરનો  અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માંગે છે તેમ જણાવે છે.

    (૨) બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે.જે વ્યક્તિની તરફેણમાં શેર નો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજુર કરવા કંપનીને વિનંતી કરે છે.

     

    • શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો: SECTION_D

    • સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શિડયુલ બેન્ક માં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું જોઈઅે.
    • શેરની નોંધણી કરવા માન્ય શેરબજારો સાથે સમજૂતી કરવી જોઈએ.
    • જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર રજિસ્ટ્રાર પરણાની બેંક ડિપોઝિટરી દલાલો વગેરે સાથે કરાર કરવા.
    • આ લોકોને નક્કી કર્યા મુજબ મહેનતાણાની રકમ ચૂકવવી.
    • શેર અરજી પાછી ખેંચવા અને ભરણાંની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈઓનું પાલન કરાવવું.
    • શેર અરજીઓ નું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવી.
    • શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવી.
    • શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી.
    • અરજીની નામંજૂરી અંગે અરજદારોને જાણ કરવી.
    • બાંયધરી  કરાર કરેલ હોય તો બાયંધરી દલાલોને કમિશન ની રકમ ચુકવવી.

    Keywords: એસ્ક્રો ખાતુ, માન્ય શેર બજારો, મધ્યસ્થીઓ ,મહેનતાણાની રકમ, કાનૂની જોગવાઈ ઓ નું પાલન, વર્ગીકરણ અને યાદી, સભા નોંધ, શેર વહેંચણી અને ના મંજૂરીની અરજદારોને જાણ, બાયંધરી દલાલને કમિશન.

     

    શેર હપતા અંગે કંપનીધારાની જોગવાઈઓ: SECTION_E

    • શેર હપતા મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ.
    • એક જ પ્રકારના શેરના બાકી હપતાં ની  રકમ સમાન ધોરણે , ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવી જોઈએ.
    • શેર હપતો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં તે અંગે નો ઠરાવ પસાર કરવો જોઈએ.
    • હપતા અંગેના માગણી પત્રમાં હપતાની રકમ બેંકનું નામ મુદત તારીખ વગેરે દર્શાવવું જોઈએ.
    • શેર હપતા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યોનો મતાધિકાર અટકાવી શકાય છે.
    • શેર હપતાની મળેલી રકમ બેંકમાં ‘શેર હપતા ખાતું ‘ખોલાવી જમા કરાવવામાં આવે છે.
    • બે હપતા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો એક માસનો હોવો જોઈએ.
    • હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે. સંચાલકોને યોગ્ય લાગે તો આ વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ કરી શકે છે.

    Keywords: નિયમન પત્ર, સમાન ધોરણ-ન્યાયી રીત, ઠરાવ પસાર કરવો, માગણી પત્ર, મતાધિકાર, શેર હપતા ખાતુ, સમયગાળો, વ્યાજ.

    શેર હપતા મંગાવવા ની વિધિ -SECTION-E

    (૧) શેર હપતા અંગેનો ઠરાવ:શેર પર હપ્તો મંગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે તેમાં શેરદીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે.

    (૨) સભ્ય પત્રક બંધ રાખવું: શેરહોલ્ડરોને હપ્તાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્ય પત્રક તથા શેર બાજરી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. જેના માટે સાત દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવામાં આવે છે.

    (૩) હપતા ની યાદી તૈયાર કરવી: શેર હપ્તા ની યાદી ની વિગતો

    ૧.સભ્ય નું નામ સરનામું ૨. શેર ની સંખ્યા.૩. મંગાવેલહપ્તાની રકમ(૪) અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ.(૫) સભ્યએ ચુકવવાની થતી રકમ (૬) હપતા ચૂકવવાની નિયત તારીખ.

    (૪) બેંકમાં જાણ કરવી: હપ્તા ની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંક ને મોકલી આપે છે અને તે રકમ શેર હપ્તા ખાતે જમા થાય છે.

    (૫) હપતાની નોટિસ મોકલવી: હપ્તા ની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યોને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ નોટિસ 14 દિવસ પહેલા સભ્યોને મળી જવી જોઈએ.

    (૬) શેર હપતાની ચુકવણી: શેરહોલ્ડરો હપ્તા પત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેન્ક આ રકમ જમા કરે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી નોટિસ અને રસીદ શેરહોલ્ડરોને પરત કરે છે.

    (૭) હપતા પત્રકમાં નોંધ કરવી: કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે કેટલા સભ્યો નો હપ્તો ભરાયો છે અને કયા સભ્યોના હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે.

     

    શેર હપતા અંગે સેક્રેટરીની ફરજો:SECTION-D

    (૧) શેર હપ્તો મંગાવા અંગે નિયમનપત્ર માં જોગવાઈ તપાસવી.

    (૨) સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપતા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરાવવો.

    (૩) હપ્તો મંગાવતા પહેલા સભ્ય પત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે સાત દિવસ અગાઉ વર્તમાનપત્રોમાં જાહેર નોટીસ આપવી.

    (૪) જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને તેમને તે અંગેની નોટિસ મોકલવી.

    (૫) બેંકમાં આ અંગે નું ખાતું ખોલાવવું.

    (૬) ભરણા ચિઠ્ઠીના આધારે સભ્ય પત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપતા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી.

    Keywords: નિયમન પત્ર, ઠરાવ પસાર, સભ્ય પત્રક- ફેરબદલી પત્રક, હપ્તાની નોટિસ, બેંકમાં ખાતું, હપતા નહીં ભરનાર ની યાદી.

     

    શેર જપ્તી:

    અર્થ: શેર જપતી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસુલ નહીં આવતા આખર ના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી.

    વ્યાખ્યા: શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપતા નહીં ચૂકવવા ને કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેરહોલ્ડરે આજદિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્ય પત્રક માંથી રદ કરવું અને તે શેરહોલ્ડર ના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. આમ શેર જપ્તીએ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે.

     

    શેર જપ્તીની વિધિ (કાર્યવાહી) સમજાવો:SECTION D-E                                           

    (૧) બાકી હપ્તા ની યાદી તૈયાર કરવી: સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચીઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેમની યાદી તૈયાર કરે છે.

    (૨) બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી: આ યાદી તૈયાર થઇ ગયા બાદ તે સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કરી જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે.

    (૩) સભ્યને સ્મૃતિપત્ર મોકલવો: જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે.

    (૪) અંતિમ ચેતવણી પત્ર મોકલવો: સભ્યોને પહેલાં સ્મૃતિ પત્ર મોકલવા છતાં તેનો કોઇ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે જેમાં પત્ર મળ્યેથી  14 દિવસમાં વ્યાજ સહિત નાણા ભરવાની તાકીદ કરવામાં આવે છે.

    (૫) શેર જપ્તી નો ઠરાવ: ચેતવણી પત્ર મોકલવા છતાં જે સભ્યો ૧૪ દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે.આ અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે.

    (૬) શેર જપ્તીની નોટિસ મોકલવી: સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલ ઠરાવ ની રુએ સેક્રેટરી સભ્યને આ નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે. તેની સાથે શેર જપ્તી  ના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને ડિમેટ ના સભ્ય ના શેર રદ કરવાની જાણ ડીપોઝીટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. જો મૂળ સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે.

    (૭) જાહેર નોટીસ આપવી: સેક્રેટરી વર્તમાન પત્રમાં જાહેર નોટીસ આપીને જણાવે છે કે અમુક નંબર ના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં કોઈએ લેવડ-દેવડ કરવી નહિ.

    (૮) સભ્ય પત્રકમાં નોંધ કરવી: જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્ય પત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તે સભ્ય નું નામ સભ્ય પત્રક માં થી દુર કરે છે.

     

    શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો: SECTION-E

    • શેર જપ્તી અંગે નિયમનપત્ર ની જોગવાઈઓ ચકાસવી.
    • શેર હપ્તો નહીં ભરનાર સભ્યોના બાકી હપ્તા ની યાદી તૈયાર કરવી.
    • કસૂરવાર સભ્યોને પહેલા સ્મૃતિ પત્ર મોકલવો.
    • સ્મૃતિપત્ર મોકલ્યા છતાં સભ્ય હપ્તા ના નાણાં ન ભરે તો આખરી ચેતવણી પત્ર મોકલવો.
    • આખરી ચેતવણી પત્ર ની મુદત પૂરી થાય એટલે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવો.
    • સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી.
    • વર્તમાન પત્રમાં તે અંગે જાહેર નોટિસ આપવી.
    • સભ્ય પત્રકમાં જરૂરી નોંધ કરી સભ્ય નું નામ રદ કરવું.
    • જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવા અંગે નો ઠરાવ પસાર કરાવવો.

    Keywords: નિયમન પત્ર, બાકી હપ્તા ની યાદી, સ્મૃતિપત્ર, આખરી ચેતવણી, જપ્તી નો ઠરાવ,જપ્તીની નોટિસ, વર્તમાનપત્ર માં નોટિસ, સભ્ય નું નામ રદ, શેર ફરી બહાર પાડવા નો ઠરાવ.

    શેર જપ્તીની અસરો: SECTION-C TWO POINT

    (૧) શેર જપ્તી ના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવે છે.

    (૨) શેર જપ્ત થવાથી શેરહોલ્ડર એ ભરેલ રકમ કંપની પરત આપતી નથી.

    (૩) શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાંની ગુમાવે છે.

    (૪) શેરધારક શેર પરનો ડિવિડન્ડ નો હક પણ ગુમાવે છે.

    (૫) શેર જપ્તી ના પગલા પહેલા શેરહોલ્ડર શેર પર ભરેલી રકમ ની માલિકી કંપનીની બની જાય છે. શેર ફરી બહાર પાડયા પછી શેર  જપ્તી ખાતુ બંધ થાય છે.

    (૬) જપ્ત કરાયેલા શેર કંપની ની માલિકીના બને છે અને સંચાલક મંડળ વાજબી લાગે તે રીતે તેનો નિકાલ કરી શકે છે.

    (૭) શેરમુડી માં ઘટાડો થાય છે. કંપની જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડી શકે છે.

     

    શેર સોપણીના સંજોગો: સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા.

    જ્યારે કંપનીનો સભ્ય સ્વેચ્છાએ પોતાના શેર કંપનીને પરત કરે અને પોતાનો હક જતો કરે એને શેર સોપણી કરી કહેવાય.

    શેર સોંપણીના સંજોગો:

    (૧) શેર પ્રમાણપત્ર માં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે.

    (૨) શેર પ્રમાણપત્ર ફાટી જાય.

    (૩) શેર પ્રમાણ પત્ર વાંચી શકાય તેમ ન હોય.

    (૪) શેરનું એકત્રીકરણ કરવાનું હોય.

    (૫) શેરનું  વિભાગીકરણ કરવાનું હોય.

     

    શેર પર વિશેષ હક ( શેર લિયન):

    સૌપ્રથમ તો લિયન એટલે કોઈપણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચુકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારો ને તેના નાણાં પેટે દેવાદાર ની મિલકત પર કબજાનો ,વેચાણનો, લેણું વસૂલ કરવાનો હક મળે છે જેને લીયન કે વિશેષ હક કહેવાય છે.

    શેર લિયન: જ્યારે શેરહોલ્ડર કંપનીને શેર હપ્તાના ન ચૂકવે ત્યારે કંપનીને શેરહોલ્ડર ના શેર ના સંદર્ભમાં જે વિશિષ્ટ મળે છે તેને શેર લીયન કહે છે.

    કંપની આવા હક નો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકશે, શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ, બોનસ શેર અટકાવી શકે.

    શેરહોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક એટલે કે લીયન ધરાવે છે.

     

    શેર ડિવિડન્ડ: SECTION-E

    કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણી પાત્ર નફો કહે છે.

    વહેંચણી પાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે તો શેરહોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે જેને ડિવિડન્ડ કહે છે.

    આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેરહોલ્ડરોને આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય.

    ભારતમાં કંપની ના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે.

    ડિવિડન્ડ બે પ્રકારના હોય છે: (૧) વચગાળાનું ડિવિડન્ડ

    (૨) આખર ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ.

    (૧) વચગાળાનું ડિવિડન્ડ: કંપનીની બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડ ને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. આ ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે.

    (૨) વાર્ષિક ડિવિડન્ડ કે આખર ડિવિડન્ડ: આ ડિવિડન્ડ વર્ષના અંતે વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે.

    ડિવિડન્ડ કોને કઇ રીતે ચૂકવાય છે?:

    • ડિવિડન્ડ ઈક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવવામાં આવે છે.
    • ઈક્વિટી શેર ડિવિડન્ડ આપતા પહેલા પ્રથમ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડ ને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે.
    • ઈક્વિટી શેર હોલ્ડરો કરતા ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેરહોલ્ડરોને હોય છે.
    • પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે.
    • જ્યારે ઈક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે.
    • આ ભલામણ કરેલ ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરહોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે.
    • વધુમાં વધુ ૩૦ દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે.
    • ઈક્વિટી ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે છે.
    • ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેચવું કાયદેસર રીતે ફરજિયાત નથી.

    અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચે નો તફાવત

    ક્રમ મુદ્દા અનિયમિત શેર વહેંચણી ગેરકાયદેસર શેર વહેંચણી
    અર્થ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. શેર વહેંચણીએ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વો ની હાજરી હોય એટલે કે આવા આવશ્યક તત્વો નો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર શેર વહેંચણી કહેવાય.
    સંજોગો લઘુતમ ભરણું ના મળ્યું હોય કે વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવેલી ન હોય ત્યારે થયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી બને છે. કંપની દ્વારા દરખાસ્ત થઇ ન હોય કે દરખાસ્ત નો સ્વીકાર ન થયો હોય અથવા કંપની દરખાસ્ત સ્વીકારી જાણ ન કરે કે અવેજ નો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય.
    અસરો અનિયમિત શેર વહેંચણી શેર મેળવનાર ઈચ્છે તો રદબાતલ કરાવી શકે તે માટે તેણે નક્કી કરેલ સમયમર્યાદામાં કાર્યવાહી કરવી પડે છે. આ શેર વહેંચણી રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી કારણ કે ગેરકાયદેસર શેર વહેંચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે.
    સભ્યપદ પર અસર આ શેર વહેંચણી રદબાતલ કરવામાં આવે તો શેરહોલ્ડર નું નામ સભ્ય પત્રક માં થી દૂર થવાથી તેના સભ્યપદ નો અંત આવે છે. ગેરકાયદેસર શેર વહેંચણી ની બાબતમાં સભ્યપદ મળ્યું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
    જવાબદારી આ શેર વહેંચણી માં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેરહોલ્ડરોને નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. ગેરકાયદેસર શેર વહેંચણી માં કરાર થયેલો ગણાતો નથી તેથી કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી.

    click here for economics lesson-1
    અર્થશાસ્ત્ર પાઠ -૧ અર્થશાસ્ત્રમાં આલેખ
    click here for B.A. lesson-1
    વિષય: વાણિજ્ય વ્યવસ્થા 1. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ


     

    મિત્રો આ મુજબ દરેક પાઠ આપ તૈયાર કરશો તો તમારું result અકલ્પનિય આવશે જ.

    દરેક પાઠ જો આપને જોઈતો હોય તો નીચે આપેલ બોક્સમાં તમારું નામ, email,અને contact

    no. મોકલી આપો.















     

     

     

     

Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator