Category: STD 10

  • પાઠ 2-એસિડ બેઇઝ અને ક્ષાર

    પાઠ 2-એસિડ બેઇઝ અને ક્ષાર

               વિજ્ઞાન પાઠ ૨-  એસિડ બેઇઝ અને ક્ષાર

    આ પાઠ મા આવતા અગત્યના અણુસુત્રો.

    હાઇડ્રોક્લોરિક એસિડ-HCl

    સલ્ફ્યુરિક એસિડ-H2SO4

    નાઈટ્રિક એસિડ-HNO3

    એસિટીક એસિડ-CH3COOH

    સોડિયમ હાઇડ્રોક્સાઇડ(કોસ્ટિક સોડા)-NaOH

    પોટેશિયમ હાઈડ્રોકસાઇડ(કોસ્ટિક પોટાશ)-KOH

    કેલ્શિયમ hydroxide-Ca(OH)2

    મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ-Mg(OH)2

    એમોનિયમ હાઇડ્રોક્સાઇડ-NH4OH

    સોડિયમ કાર્બોનેટ(સોડા એશ)-Na2CO3

    (ધોવાનો સોડા)

    સોડિયમ બાયકાર્બોનેટ(સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ)-NaHCO3

    (ખાવાનો સોડા)(બેકિંગ સોડા)

    સોડિયમ ઓક્સાઇડ-Na2O

    કોપર ક્લોરાઇડ-CuCl2

    ઝીંક ક્લોરાઇડ-ZnCl2

    કેલ્શિયમ કાર્બોનેટ-CaCO3

    ગ્લુકોઝ-C6H12O6

    આલ્કોહોલ-C2H5OH

    મિલ્ક ઓફ મેગ્નેશિયા-Mg(OH)2

    પોટેશિયમ સલ્ફેટ-K2SO4

    સોડિયમ સલ્ફેટ-Na2SO4

    કેલ્શિયમ સલ્ફેટ-CaSO4

    મેગ્નેશિયમ સલ્ફેટ-MgSO4

    કોપર સલ્ફેટ-CuSO4

    સોડિયમ ક્લોરાઇડ-NaCl

    સોડિયમ નાઇટ્રેટ-NaNO3

    એમોનિયમ ક્લોરાઇડ-NH4Cl

    વિરંજન (બ્લીચીંગ) પાઉડર-CaOCl2

    કળી ચૂનો (લાઇમ)-CaO

     જિપ્સમ-CaSO4.2H2O

    સોડિયમ નાઇટ્રેટ-NaNO3

    સોડિયમ નાઈ ટ્રાઈટ-NaNO2

    સોડિયમ ઝિંકેટ-Na2ZnO2

    વિદ્યાર્થીમિત્રો આપણે જાણીએ છીએ કે ખોરાકનો ખાટો અને તૂરો સ્વાદ તેમની અંદર રહેલા એસિડ અને બેઇઝ ના કારણે હોય છે.

    આપણે અથવા આપણા ઘરના કોઈ પણ સભ્ય કોઈ પ્રસંગમાં ગયા હોય અને ત્યાં મનગમતું ભોજન ઠાંસી ઠાંસીને ખાઈ લીધું હોય તો તે એસિડિટીની સમસ્યાનો ભોગ બને છે. 

    આવા વખતે એસીડીક અસર નિવારવા તેના પ્રતિ પદાર્થ બેઇઝ નો ઉપયોગ કરવો પડે ખરું ને? ચાલો આપણે આ પાઠમાં એસિડ બેઇઝ ની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું તેમજ એ પણ જોઈશું કે એસિડ બેઇઝ એકબીજાની અસર ને કેવી રીતે નાબૂદ કરે છે…

    એસિડ ની સામાન્ય ઓળખ: 

    • એસિડ સ્વાદમાં ખાટા હોય છે.
    • તે ભૂરા લિટમસ પેપર ને લાલ કરે છે
    • H+(aq) આયન મુક્ત કરે છે.
    • તેના  pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય છે.
    • તેના એસિડિક ગુણ માટે H+(aq) આયન જવાબદાર છે.

    બેઇઝ ની સામાન્ય ઓળખ:

    • બેઇઝ સ્વાદમાં તૂરા હોય છે.
    • તે લાલ લિટ્મસ પેપરને ભૂરું કરે છે.
    • તે OH આયન મુક્ત કરે છે.
    • બેઇઝના  pH નું મૂલ્ય 7 કરતા વધુ હોય છે.
    • તેના બેઝિક ગુણ માટે OH આયન જવાબદાર છે.

    સૂચક ની ઓળખ:

    જે દ્રાવણ એસિડ અને બેઇઝ ની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે.

    એસિડ અને બેઇઝ ની ઓળખ માટેના કુદરતી સૂચકો: હળદર, વેનીલા, ડુંગળી, લિટમસ પેપર લાલ કોબીજ ના પાન જેરાનિયમની રંગીન પાંખડીઓ, પેટુનિયા.

    એસિડ અને બેઇઝ ની ઓળખ માટેના કૃત્રિમ સૂચકો:

    મીથાઈલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલીન.

    પ્રશ્ન: તમને ત્રણ કસનળી આપવામાં આવે તેમાં એક કસનળીમાં નિસ્યંદિત પાણી હોય અને બાકીની બે માં એસિડિક અને બેઝિક દ્રાવણ હોય અને તમને માત્ર લાલ પેપર આપેલ હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકો ની ઓળખ કેવી રીતે કરશો?

    1. સૌથી પહેલા કસનળીને A,B,C નામ આપો.
    2.  કસનળીના દ્રાવણમાંથી એક એક ટીપુ લાલ લિટમસ પેપર પર નાખો.
    3. જે કસ નળીના દ્રાવણ નું ટીપું લાલ લિટ્મસ પેપર ને ભૂરુ બનાવે તે કસનળીમાં બેઇઝ હશે તેમ કહી શકાય.
    4. બાકી રહેતી કસનળીના દ્રાવણમાં બેઇઝના દ્રાવણ નું એક ટીપું નાખો.
    5. જે કસનળી ના દ્રાવણનું ટીપુ બેઈઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઇ રંગીન બને તે એસિડ છે તેમ કહેવાય.
    6. જે ટીપાં ના રંગ માં કોઈ ફેરફાર થાય નહીં તે નિસ્યંદિત પાણી છે તેમ કહેવાય.

    એસિડ અને બેઇઝ ના રાસાયણિક ગુણધર્મો ની સમજ:

    વિજ્ઞાનની પ્રયોગશાળા માંથી આ પ્રમાણે નમૂના એકઠા કરો.

    હાઇડ્રોક્લોરિક એસિડ(HCl), સલ્ફ્યુરિક એસિડ(H2SO4), નાઈટ્રિક એસિડ(HNO3), કેલ્શિયમ hydroxide(Ca(OH2), પોટેશિયમ hydroxide(KOH) ,મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ(Mg(OH)2, અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડ(NH4OH).

    ઉપરના દ્રાવણમાંથી દરેકનું એક ટીપુ વોચ ગ્લાસ પર મૂકો.

    લાલ લિટ્મસ પેપર, ભૂરું લિટમસ પેપર, ફીનોલ્ફથેલીન અને મી થાઈલ ઓરેન્જ જેવા સૂચકોની મદદથી થતું રંગ પરિવર્તન જુઓ.

    એસિડ ના નમૂનાઓ લાલ લિટ્મસ પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે.

    બેઇઝના નમૂનાઓ લાલ લિટ્મસ પેપર ને ભૂરું બનાવશે.

    એસિડ ના નમૂનાઓ ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવશે. બેઈઝ ના નમૂનાઓ ભૂરા લિટમસ  પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે.

    ફિનોલ્ફથેલીન નું દ્રાવણ એસિડને રંગવિહીન કરશે અને બેઇઝ ને ગુલાબી બનાવશે.

    મિથાઈલ ઓરેન્જનું દ્રાવણ એસિડને લાલ બનાવશે અને બેઇઝ ને પીળું બનાવશે.

    ધ્રાણે ન્દ્રીય સૂચકો:કેટલાક પદાર્થો ની વાસ એ એસિડિક માધ્યમ માં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તેમને ધ્રાણેન્દ્રિય સૂચકો કહે છે.દા.ત. વેનીલા નો અર્ક, લવિંગનું તેલ અને ડુંગળી.

    ધ્રાણેન્દ્રિય  સૂચકોની મદદથી એસિડ અને બેઇઝ ની પરખ:

    • સારી રીતે સુધારેલી થોડીક ડુંગળીને પ્લાસ્ટિકની એક થેલીમાં સ્વચ્છ કાપડના કેટલાક ટુકડાઓ સાથે લો.
    • થેલીને ચુસ્ત રીતે બાંધ્યા બાદ તેને આખી રાત ફ્રીજ માં રહેવા દો.
    • હવે કપડાં ના  ટુકડાઓને એસિડ અને બેઇઝ ની પરખ માટે ઉપયોગમાં લઇ શકાશે.
    • સૌપ્રથમ કપડાના ટુકડા માંથી બે ટુકડા લઈ તેની વાસ ચકાસો.
    • તેમને સ્વચ્છ સપાટી પર રાખી એક પટ્ટી પર મંદ HCl ના  દ્રાવણના થોડા ટીપા મૂકો અને બીજી પટ્ટી પર મંદ NaOH દ્રાવણ ના થોડા ટીપા મૂકો.
    • કાપડની બન્ને પટ્ટીઓને ચોખ્ખા પાણીથી ધોઈને ફરીથી તેની વાસ તપાસી ને અવલોકન નોંધો.
    • હવે થોડો મંદ વેનીલા અર્ક અને લવિંગનું તેલ લો તથા તેની વાસ તપાસી જુઓ.
    • હવે એક કસનળીમાં થોડું મંદ HCl દ્રાવણ અને બીજી કસનળીમાં થોડું મંદ NaOH દ્રાવણ લો. બંને કસનળીમાં મંદ વેનીલા અર્ક ના થોડા ટીપા ઉમેરો અને બરાબર હલાવો. ફરીથી વાસ તપાસો અને જો વાસ માં કોઈ પરિવર્તન હોય તો તેને નોંધો.
    • આ જ રીતે મંદ HCl  અને મંદ NaOH દ્રાવણ સાથે લવિંગના તેલની વાસ માં થતો ફેરફાર તપાસી જુઓ અને તમારા અવલોકનનો ની નોંધ કરો.

    અવલોકન: 

    અહીં આપણે વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ એ ત્રણેયનો ઉપયોગ ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે કરી શકીશું.

    વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગના તેલ ની વાસ મંદ HCl ઉમેરતા દૂર થતી નથી પરંતુ મંદ  NaOH ઉમેરતા ત્રણેયની વાસ દૂર થાય છે.

    આના પરથી નક્કી થાય છે કે એસિડ ધ્રાણેન્દ્રિય સૂચક ની વાસ દૂર કરતો નથી પરંતુ બેઇઝ ધ્રાણેન્દ્રિય સુચકની વાસ દૂર કરે છે.

    એસિડ અને બેઇઝ ની ધાતુ સાથે પ્રક્રિયા:

    દાણાદાર ઝીંક અને મંદ સલ્ફયુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને દહન દ્વારા ઉત્પન્ન થતાં હાઈડ્રોજન વાયુ ની ચકાસણી કરવી.

    • આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો.
    • કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લો અને તેમાં દાણાદાર ઝીંકના થોડા દાણા ઉમેરો.
    • દાણાદાર ઝીંકની સપાટી પર હાઈડ્રોજન વાયુના પરપોટા દેખાશે.
    • આ ઉત્પન્ન થયેલા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો.
    • અહીં દાણાદાર ઝિંક ના ટુકડા સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતાં પરપોટા ઉત્પન્ન થાય છે.
    • વાયુ થી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઇ જાવ.
    • સળગતી મીણબત્તીને હાઈડ્રોજન વાયુ ની નજીક લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઊઠે છે.
    • બીજા કેટલાક એસિડ જેવા કે HCl, HNO3  લઈને પણ આ પ્રવૃત્તિ કરી શકાય.

    આમ ધાતુની એસિડ સાથે ની પ્રક્રિયા નો સાર નીચે મુજબ થાય.

    એસિડ + ધાતુ→ક્ષાર+હાઈડ્રોજન વાયુ

    અન્ય પ્રક્રિયા: 

    2NaOH(aq)+Zn(s)→Na2ZnO2(s)+H2

    Na2ZnO2→ સોડિયમ ઝીંકેટ

    ખાસ: આવી પ્રક્રિયા બધી ધાતુ સાથે સંભવ નથી.

    ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઈડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા:

    • બે કસનળી લો તેમને A અને B નામ આપો.
    • કસનળી A માં 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ અને કસનળી B મા 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લો.
    • બંને કસનળી ઓમાં આશરે 2 ml HCl  ઉમેરો.
    • સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટની સાથે મંદ HCl ની પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે.
    • દરેક કસનળીમાં ઉદભવતા વાયુને ચૂનાના પાણી માંથી પસાર કરો.
    • આમ કરવાથી કેલ્શિયમ કાર્બોનેટ ના સફેદ અવક્ષેપ મળશે.

    પ્રક્રિયાના સમીકરણો:

    Ca(OH)2+CO2→CaCO3+H2O

    યાદ રાખો:  કુદરત માં મળી આવતા ચુનાનો પથ્થર, ચાક અને આરસ -પહાણ પણ કેલ્શિયમ કાર્બોનેટ ના વિવિધ રૂપો છે.

    એસિડ અને બેઇઝ ની એકબીજા સાથે પ્રક્રિયા:

    • એક  કસનળીમાં આશરે બે ml મંદ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું  દ્રાવણ લો અને તેમાં ફિનોલ્ફથેલીન દ્રાવણ ના બે ટીપા ઉમેરો.
    • આના લીધે દ્રાવણનો રંગ ગુલાબી થશે.
    • હવે દ્રાવણમાં થોડું થોડું મંદ હાઈડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ ઉમેરો.
    • આને લીધે શ્ દ્રાવણનો ગુલાબી રંગ દૂર થશે.
    • હવે આ મિશ્રણમાં સોડિયમ હાઈડ્રોક્સાઈડ ના થોડા ટીપા ઉમેરો.
    • ફિનોલ્ફથેલીન નો ગુલાબી રંગ ફરીથી દેખાશે.
    • આ રંગ પરિવર્તન થવાનું કારણ તટસ્થીકરણ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં એસિડ દ્વારા બેઇઝ ની અસર નાબુદ થાય છે.

    સમીકરણ: NaOH+HCl→NaCl+H2O

    તટસ્થીકરણ પ્રક્રિયા: 

    જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.

    1. NaOH+HCl→ NaCl + H2O
    2. 2KOH+H2SO4→K2SO4+2H2O

    એસીડ + બેઇઝ→ક્ષાર+પાણી

    ધાત્વિય ઓકસાઇડ ની એસિડ સાથેની પ્રક્રિયા:

    • એક બીકર માં થોડી માત્રામાં કોપર ઓક્સાઇડ  લો.
    • તેને હલાવવા નું ચાલુ રાખી તેમાં ધીરે ધીરે મંદ હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરો.
    • આમ કરતાં દ્રાવણ નો રંગ વાદળી લીલો થઇ જશે.
    • આમ થવાનું કારણ તેમાં ઉત્પન્ન થતો કોપર ક્લોરાઇડ છે.

    સમીકરણ: CuO+2HCl→CuCl2+H2O

     યાદ રાખો: બેઈઝની એસિડ સાથેની પ્રક્રિયાની  માફક ધાત્વિય  એસિડ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેથી ધાત્વિય ઓક્સાઇડ ને બેઝિક ઓકસાઈડ કહે છે.

    અધાત્વિય ઓક્સાઇડ ની બેઇઝ સાથે ની પ્રક્રિયા:

    જે  ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહે છે.

    આ રીતે ધાત્વિય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે કારણકે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે.

    આ રીતે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે

    • ખાસ યાદ રાખો: દહીં તેમજ અન્ય ખાટા પદાર્થો જે એસિડ ધરાવતા હોય છે તે પિત્તળ અને તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થો બનાવે છે અને તે માનવ શરીર માટે હાનિકારક હોવાથી આવા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા ન જોઇએ.
    • સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ વાયુની હાજરી ની કસોટી કરવા માટે ઝડપથી દીવાસળી કે મીણબત્તીને કસનળી ના મુખ પાસે રાખતા હાઈડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે.
    • રાસાયણિક સમીકરણ: Zn+2HCl→ZnCl2+H2

    એસિડ અને બેઇઝ માં સમાનતા:

    • ગ્લુકોઝ, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલ વગેરેના દ્રાવણ લો.
    • એક બૂચ ઉપર બે ખીલી લગાડો અને આ બૂચને  100 ml ના એક બીકર માં મુકો.
    • હવે ખીલીઓને બલ્બ અને સ્વીચ મારફતે છ વોલ્ટના વીજ કોષ ના બે છેડા સાથે જોડો.
    • હવે બિકરમાં થોડો મંદ હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કરો.
    • હવે મંદ સલ્ફ્યુરિક એસિડ વડે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

    અવલોકન: અહીં ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી.. એટલે બલ્બ પ્રકાશિત થતો નથી.

    જ્યારે એસિડ ના કિસ્સામાં વિદ્યુતનું વહન થાય છે…અને બલ્બ પ્રકાશિત થશે. આ કિસ્સામાં એસિડિક ગુણધર્મ માટે H+ અને બેઝિક ગુણધર્મ માટે OHઆયન જવાબદાર છે.

    આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરતી પ્રવૃત્તિ:

    • આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો.
    • દ્રાવણ તરીકે આલ્કોહોલ ઉમેરો અને અવલોકન નોંધો ત્યારબાદ આલ્કોહોલને બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને તેનું અવલોકન નોંધો.
    • અવલોકન કરતાં જોવા મળશે કે બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી જે સૂચવે છે કે બંને દ્રાવણો માંથી  વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી.
    • આના પરથી ખ્યાલ આવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+ આયનો મુક્ત થતા નથી.જ્યારે એસિડના દ્રાવણમાં H+  આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.
    • એટલે આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઈડ્રોજન હોવા છતાં તેનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી.

    નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે.

    • નિસ્યંદિત પાણી શુદ્ધ હોવાથી આયનો ધરાવતું નથી.
    • વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવતું હોવાથી પાણીમાં તે આયનો મુક્ત કરે છે.
    • નિસ્યંદિત પાણી માં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી જ્યારે  વરસાદી પાણીમાં આયનો હોવાથી તેમાં વિદ્યુતનું વહન થાય છે.

    એસિડ અને બેઇઝ નું પાણીના દ્રાવણમાં શું થાય છે?

    • શુદ્ધ અને શુષ્ક કસનળીમાં આશરે એક ગ્રામ સોડિયમ ક્લોરાઇડ લો.
    • કસનળીમાં થોડો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો.
    • ઉદભવેલા વાયુની ક્રમશઃ સૂકા અને ભીના ભૂરા લિટમસ પેપર વડે પરખ કરો.
    • પાણીની ગેરહાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ના અણુમાંથી H+ આયન નું અલગીકરણ થશે નહીં.
    • હાઈડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ તે પાણી સાથે સંયોજન બાદ અસ્તિત્વ ધરાવે છે આમ હાઈડ્રોજન આયનો ને હંમેશા H+ અથવા હાઇડ્રોનિયમ આયન H3O+  સ્વરૂપે દર્શાવવા જોઈએ.
    • હાઇડ્રોજન આયનોને હમેશા H+ અથવા H3O+ વડે દર્શાવાય છે. જ્યારે બેઝિક  ગુણધર્મ દર્શાવવા માટે OH

     આયન જવાબદાર છે.

     આલ્કલી એવો બેઇઝ છે કે જે પાણીમાં ઓગળે છે.તે સ્પર્શ થી સાબુ જેવા ચીકણા, કડવા અને ખવાઇ જાય તેવા હોય છે.

    પાણીમાં દ્રવ્ય બેઇઝ આલ્કલી ના નામથી ઓળખાય છે.દા.ત.NaOH,KOH

    પાણીને એસિડ અથવા બેઇઝ સાથે મિશ્ર કરવું.

    • એક બીકરમાં 10 ml પાણી લો.
    • તેમાં થોડા મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખો અને બી કરને ધીરે ધીરે ગોળ ગોળ ફેરવો.
    • બીકર ના તળીયા ને સ્પર્શ કરતા તળિયું થોડું ગરમ થશે.
    • આ પ્રવૃત્તિનો સલ્ફ્યુરિક એસિડ ને બદલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની નાની ગોળીઓ લઈ ફરીથી પુનરાવર્તન કરો.
    • એસિડ અને બેઇઝ ની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે.
    • આ પ્રક્રિયાથી દ્રાવણ ની સાંદ્રતા માં ઘટાડો થાય છે.

    ખાસ યાદ રાખો:એસિડ અને બેઇઝ અને પાણી સાથે મિશ્રણ કરતા એકમદીઠ આયનોની સાંદ્રતા માં  ઘટાડો થાય છે આ પ્રક્રિયાને મંદન કહે છે… અને આવા એસિડ અને બેઇઝ અને મંદ એસિડ અથવા મંદ બેઇઝ કહે છે.

    સાંદ્ર નાઈટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ ને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ.

    એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતાં જઈને ઉમેરવો જોઈએ જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળીશકે છે અને દાઝી જવાનો ભય રહે છે.

    અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર પણ તૂટી જઈ શકે છે.

    આથી જ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્ર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની નાની ગોળીઓ ની શીશી પર ચેતવણીના સંકેતો આપેલા હોય છે.

    • ખાસ યાદ રાખો: HCl HNO3 વગેરે જલીય દ્રાવણ માં H+ આયન મુક્ત કરે છે તેથી તે એસિડિક લક્ષણ ધરાવે છે.

    જ્યારે આલ્કોહોલ તેમજ glucose વગેરે જલીય દ્રાવણ માં H+ 

    આયન મુક્ત કરતા નથી એટલે તે એસિડિક લક્ષણો ધરાવતા નથી

    • એસિડ જ્યારે પાણીમાં ઓગળે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે પરિણામે ઉદભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે.
    • શુષ્ક HCl વાયુ H+ આયન ઉત્પન કરી શકતો નથી આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી એટલે લિટમસ પેપર નો રંગ બદલતો નથી.
    • સાંદ્ર એસિડ ને મંદ કરતી વખતે જો  એસિડ માં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાઝી શકાય છે.આથી એસિડ ને   મંદ   કરવા માટે એસિડ માં પાણી ઉમેરો અને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય.
    • જ્યારે એસિડના દ્રાવણને  મંદ કરવામાં આવે છે ત્યારે hydronium (H3O+)આયનોની  સાંદ્રતા માં ઘટાડો થાય છે.
    • જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે એકમ કદ દીઠ hydroxide આયનો (OH) ની સાંદ્રતા માં વધારો થાય છે.

    એસિડ અને બેઇઝ દ્રાવણ ની  પ્રબળતા: 

    pH માપક્રમ

    • દ્રાવણમાં રહેલા હાઈડ્રોજન આયન ની સાંદ્રતા માપવા માટેના માપક્રમ ને pH  માપક્રમ કહે છે.
    • pH મા p જર્મન શબ્દ પોટેન્ઝ એટલે કે શક્તિ સૂચવે છે.
    • pH માપક્રમ દ્વારા આપણે  0 થી 14 pH સુધી નું માપન કરી શકીએ છીએ.
    • જેમકે pH માપક્રમ પર 7થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણ નું સૂચન કરે છે જ્યારે 7થી વધુ મૂલ્ય બેઝિક દ્રાવણનું સૂચન કરે છે જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણ નું સૂચન કરે છે.
    • વધુમાં જેમ pH મૂલ્ય 7થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH  આયનની સાંદ્રતા માં વધારો થાય છે અર્થાત આલ્કલી ની પ્રબળતા માં વધારો થાય છે આથી દ્રાવણ વધુ બેઝિક બને છે.
    • જેમ હાઈડ્રો નિયમ આયન (H+) ની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ પણ pH નું મૂલ્ય ઓછું અને જેમ હાઈડ્રો નિયમની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી પણ pH નું મૂલ્ય વધુ.

    યાદ રાખો: સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકો નું મિશ્રણ છે તેનો ઉપયોગ કરીને દ્રાવણ માં રહેલા હાઇડ્રોકસિલ કે hydroxide આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે.

    એસિડ અને બેઇઝ ની પ્રબળતા નક્કી કરવી:

    • એસિડ અને બેઇઝ ની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+આયનો અને OH અાયનોની સંખ્યા પર આધાર રાખે છે.
    • જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહે છે
    • જે એસીડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે તેને નિર્બળ એસિડ કહે છે.
    • જે બેઇઝ પાણીમાં વધુ માત્રામાં OH  આયનો આપે છે તેને પ્રબળ બેઇઝ કહે છે.
    • જે બેઇઝ પાણી માં ઓછી માત્રામાં  OH આયનો આપે છે તેને નિર્બળ બેઇઝ કહે છે.

    ખાસ યાદ રાખો:

    પાંચ દ્રાવણ A,B,C,D,E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા:

    A- pH 4-નિર્બળ એસિડિક

    B-pH 1- પ્રબળ એસિડિક

    C-pH 11-પ્રબળ બેઝિક

    D-pH 7- તટસ્થ

    E-pH 9- નિર્બળ બેઝિક

    • એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની pH લગભગ 10 હશે.
    • એક દ્રાવણ ઇંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો તે દ્રાવણ HCl  ધરાવે છે.
    • પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી. એસિડિક વર્તણૂક માટે H+આયનો જવાબદાર છે આમ, પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા ના હોવાથી તે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી.
    • કસનળી A અને B માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડ (HCl)ઉમેરવામાં આવે છે અને કસનળી B માં એસિટીક એસિડ (CH3COOH) ઉમેરવામાં આવે છે.અહી HCl એ એસિટીક એસિડ કરતા વધુ પ્રબળ એસિડ હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl આયનો માં સંપૂર્ણ આયનીકરણ થતા વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે આથી કસનળી Aમાં અતિતીવ્ર H2 હાઈડ્રોજન વાયુના ઉભરા મળશે.
    • તાજા દૂધની pH 6 છે જો તેનું દહીં માં રૂપાંતર થાય તો લેક્ટિક એસિડ બને છે તેને લીધે તેનું pH મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે.
    • દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પમાત્રામાં બેકિંગ સોડા(ખાવાનો સોડા) ઉમેરે છે કેમકે જો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો દૂધનું pH મૂલ્ય 6 થી વધે છે કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે.
    • આમ કરવાથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીં માં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે.

    દૈનિક જીવનમાં pH નું મહત્વ:

    1. સજીવના અસ્તિત્વમાં: માનવ શરીર 7 થી 7.8  pH ની મર્યાદામાં કાર્ય કરે છે સજીવો માત્ર pH ના મર્યાદિત ફેરફારમાં ટકી શકે છે.

    જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય ત્યારે તેને એસિડવર્ષા કહે છે જ્યારે નદીમાં વહે છે ત્યારે તે નદીના પાણીની pH ઘટાડે છે આવી નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ બને છે.

         (2) જમીનમાં pH નું મહત્વ: 

    જે જમીનની pH 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ ખુબ જ સારો થાય છે.

    એટલે ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જિપ્સમ ઉમેરે છે.

       (3) પાચનતંત્ર માં pH નું મહત્વ:

    ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે.કે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. અપચા દરમિયાન ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે જે દર્દ અને બળતરા નુ કારણ બને છે.

    આ પ્રકારના દર્દથી છુટકારો મેળવવા લોકો બેઇઝ નો ઉપયોગ કરે છે જેને એન્ટાસિડ કહે છે.આ એન્ટાસિડ નું કાર્ય વધારા ના 

    એસીડ ને  તટસ્થ કરવાનું છે.આ ઉપરાંત મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ (મિલ્ક ઓફ મેગ્નેશિયા) કે જે મંદ બેઇઝ છે તે પણ આ હેતુ માટે અવારનવાર ઉપયોગમાં લેવામાં આવે છે.

     (4) દાંતનું ક્ષયન રોકવામાં pH નું મહત્વ: 

    જ્યારે મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે.

    દાંતનુ ઉપરનું આવરણ કે જે કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું છે તે શરીરનો  સૌથી સખત પદાર્થ છે.

    તે પાણીમાં દ્રાવ્ય થતો નથી પરંતુ મોઢાની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે.

    મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢા માં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે.

    ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે.દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટુથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝિક હોય છે તે વધારાના એસિડને તટસ્થ  કરે છે અને દાંતનો સડો અટકાવે છે.

    પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતાં રાસાયણિક હુમલાથી સ્વરક્ષણ:

    મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે જેને લીધે દર્દ અને બળતરા થાય છે. ડંખ મારેલા ભાગમાં હળવા બેઇઝ નો ઉપયોગ જેમકે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત પૂરી પાડે છે.

    કૌવચ વનસ્પતિ ના પાંદડા ના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે.

    ખાસ યાદ રાખો: જે માટી માટે pH નું મૂલ્ય 5.6 થી ઓછું હશે તે માટી એસિડિક ગુણ ધરાવશે.

    એસિડિક જમીનને તટસ્થ કરવા લાઇમ જેવો બેઇઝ ઉમેરાય અને બેઝિક જમીનને તટસ્થ કરવા જિપ્સમ જેવો એસિડ ઉમેરાય.

    જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે જમીન ની pH 6.5 થી  7.3 ની વચ્ચે હોવી જોઈએ.

    In-text  પ્રશ્નો:

    • દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે. આ સંજોગોમાં દ્રાવણ A એસિડીક છે તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા વધુ હશે તેમજ દ્રાવણ B બેઝિક છે તેમાં હાઈડ્રોજન આયન ની સાંદ્રતા ઓછી હશે.
    • જે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધુ હશે તે દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવશે અને  જે દ્રાવણમાં H+ આયન ની સાંદ્રતા ઓછી હશે તે દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવશે.
    • ઘણીવાર બેઝીક દ્રાવણ પણ H+ આયનો ધરાવતા હોય છે પરંતુ બેઝિક દ્રાવણ માં વધુ  પ્રમાણમાં OH આયનો હોવાથી તેઓ સ્વભાવે બેઝિક હોય છે.
    • ખેતર ની માટી ની pH જ્યારે 6.5 થી ઓછી હોય ત્યારે તે એસિડિક  ગુણ ધરાવે છે આ એસિડિક માટીને તટસ્થ કરવા માટે ખેડૂત તેમાં બેઝિક આ પદાર્થો જેવા કે ક્વિક લાઇમ, ફોડેલો ચૂનો કે ચાક ઉમેરે છે.

    ક્ષાર પરિવાર: એક સમાન ધન અથવા ઋણ આયન (મૂલકો) ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે.

    સોડિયમ ક્ષાર પરિવાર ના ઉદાહરણ:NaCl, Na2SO4

    ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ:NaCl,KCl

    પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ માંથી બનતા તટસ્થ ક્ષારની pH 7 હોય છે.

    બીજી  તરફ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ ના ક્ષાર pH નું 7થી ઓછુ મુલ્ય ધરાવતા એસિડિક ક્ષાર હોય છે.

    જ્યારે પ્રબળ બેઇઝ તેમજ નિર્બળ એસિડ ના ક્ષાર pHના 7 થી વધુ મૂલ્ય ધરાવતા સ્વભાવે બેઝિક હોય છે.

    સામાન્ય ક્ષાર માંથી મળતા રસાયણ:

    હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણના સંયોગીકરણ થી ઉદભવતા ક્ષારને સોડિયમ ક્લોરાઇડ કહે છે.

    આ સોડિયમ ક્લોરાઇડ મહાત્માગાંધીની દાંડીકૂચમાં અગત્યનું પ્રતીક હતું!!!

    ખનીજ ક્ષાર (રૉક સોલ્ટ): વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપન થયેલું જોવા મળે છે આ મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થાઈ રંગના હોય છે તેને ખનીજ ક્ષાર કહે છે.ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનીજ ક્ષારની ચાદર ઉદ્દભવી.

    સોડિયમ હાઇડ્રોક્સાઇડ: જ્યારે સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ માંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને કલોર- આલ્કલી ક્રિયા કહે છે.કારણકે તેમાં ઉત્પન્ન થતી નીપજો કલોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે.

    સમીકરણ: 2NaCl + 2H2O→2NaOH+Cl2+H2

    અેનોડ પર કલોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પર હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. (આકૃતિ પાઠ્યપુસ્તક page:30)

    વિરંજન પાવડર: (બ્લીચિંગ પાઉડર-CaOCl2)

    બનાવટ: ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે ની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે.

    સમીકરણ: Cl2+Ca(OH)2→CaOCl2+H2O

    વિરંજન પાઉડર ના ઉપયોગો:

    • ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લીનન ના વિરંજન માટે.
    • કાગળ ઉદ્યોગ માં લાકડાના માવાના વિરંજન માટે.
    • લોન્ડ્રીમાં ધોયેલા કપડાં ના વિરંજન માટે.
    • રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કર્તા તરીકે.
    • પીવા ના પાણી ને જંતુ મુક્ત કરવા જંતુનાશક તરીકે.

    બેકિંગ સોડા: રસોઈઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે ઉપયોગી ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા.

    ઘણીવાર ખોરાક ઝડપથી રાંધવા માટે બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. આ સંયોજન નું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3) છે.

    સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ માં CO2 અને NH3 પસાર કરતાં બેકિંગ સોડા બને છે.

    સમીકરણ: NaCl+H2O+CO2+NH3→NH4Cl+ NaHCO3

     બેકિંગ સોડા મંદ બિન ક્ષારીય બેઈઝ છે.

    ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે.

    સમીકરણ: 2NaHCO3→Na2CO3+H2O+CO2

    બેકિંગ સોડા ના ઉપયોગો:

    • બેકિંગ સોડા અને ટાટૅરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડર ની બનાવટ માં વપરાય છે.
    • બેકિંગ પાઉડર ને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઈડના કારણે પાઉ અથવા કેક  ફૂલે છે અને નરમ તેમજ પોચી બને છે.
    • બેકિંગ સોડા એન્ટાસિડ નો પણ એક ઘટક છે આલ્કલાઈન હોવાના કારણે તે પેટમાં રહેલા વધારા ના એસીડ ને તટસ્થ કરી રાહત આપે છે.
    • બેકિંગ સોડાનો ઉપયોગ સોડા- એસિડ અગ્નિશામક માં પણ કરવામાં આવે છે.

    ધોવાનો સોડા: (Na2CO3.10H2O)

    • બેકિંગ સોડા ને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થઇ શકે છે.
    • સોડિયમ કાર્બોનેટ નું પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા મળે છે તે પણ બેઝિક ક્ષાર જ છે.

    સમીકરણ: Na2CO3+10H2O→Na2Co3.10H2O

    ધોવાના સોડા ના ઉપયોગો:

    • ધોવાના સોડા નો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે.
    • તેનો ઉપયોગ બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં થાય છે.
    • ધોવાના સોડાનો ઉપયોગ ઘરોમાં સફાઇના હેતુ માટે થાય છે .
    • તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે થાય છે.

    સ્ફટિક જળ: સ્ફટિક જળ એ ક્ષાર ના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓ ની નિશ્ચિત સંખ્યા છે.

    દા.ત. કોપર સલ્ફેટ CuSO4.5H2O આ સૂત્રમાં પાણીના પાંચ અણુઓ હાજર છે. તેમજ જિપ્સમ CaSO4.2H2O  પાણીના બે અણુઓ ધરાવે છે.

    પ્લાસ્ટર ઓફ પેરિસ: 

    બનાવટ: જ્યારે જિપ્સમ ને 373K તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઈડ્રેટ (CaSO4.½ H2O) બને છે તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે.

    પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે ફરી એકવાર સખત ઘન પદાર્થ  જિપ્સમ માં ફેરવાય છે.

    પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ: CaSO4.½ H2O+1½ H2O→CaSO4.2H2O

    ઉપયોગો:

    • પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ દાક્તરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે કરે છે.
    • પ્લાસ્ટર ઓફ પેરિસ રમકડાં ,સજાવટની સામગ્રી અને સપાટીને લીસી બનાવવા માટે ઉપયોગી છે.
    • પ્લાસ્ટર ઓફ પેરિસ(POP) બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટર માં ઉપયોગી છે.
    • દાંત ના ચોકઠા માટેના બીબા બનાવવા માટે ઉપયોગી છે.

    ખાસ યાદ રાખો: 

    • CaOCl2 સંયોજન નું સામાન્ય નામ બ્લીચિંગ પાઉડર છે.
    • સખત પાણી ને નરમ બનાવવા માટે સોડિયમ કાર્બોનેટ Na2CO3 ઉપયોગી છે.
    • સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં સોડિયમ કાર્બોનેટ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે.સમીકરણ:
    • 2NaHCO3→ Na2CO3+H2O+CO2

    સ્વાધ્યાય ના પ્રશ્ન 5 સમીકરણ સમતુલિત કરો નો અલગથી વિડિયો બનાવેલો છે.

    આ પાઠમાંથી આ મુદ્દાઓ ખાસ યાદ રાખો:

    • આપેલ pH પરથી કયુ દ્રાવણ વધુ એસિડિક છે અને કયુ દ્રાવણ વધુ બેઝિક છે. કયુ દ્રાવણ તટસ્થ છે.
    • એસિડ બેઇઝ ની લિટમસ પેપર પર અસર.
    • રોજિંદા જીવનમાં pH નું મહત્વ.
    • એસિડ અને બેઇઝ ની પ્રક્રિયાઓ.
    • બ્લીચીંગ પાઉડર, બેકિંગ સોડા, ધોવાનો સોડા તેમજ પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ તેમજ તેમના ઉપયોગો
    • pH માપક્રમ.

    ખાસ યાદ રાખો

    • દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે.
    • ખાટા ફળોમાં સાઈટ્રિક એસિડ હોય છે. કીડી ના ડંખ માં મીથેનોઇક એસિડ હોય છે.
    • મેલી ટીન 26  એમિનો એસિડ ધરાવતો પોલીપેપટાઈડ છે.
    • ખાવાનો સોડા પ્રતિ એસિડ પદાર્થ છે.
    • H2O ઊભય ધર્મી ગુણધર્મ ધરાવે છે.
    • મીઠા નું જલીય દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે.
    • સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે અંતભારિત કાગળનો ઉપયોગ થાય છે.
    • શુક્ર ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું છે.

                                     

  • પાઠ 1- રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

    પાઠ 1- રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો

             
    •  વિદ્યાર્થીમિત્રો શું આપ ધોરણ ૧૦ ના NCERT ના નવા અભ્યાસક્રમને  લઈને ખૂબ જ ચિંતિત છો?
    • શું આપને થિયરીના લાંબા લાંબા પ્રશ્નો પાકા કરવા ખૂબ અઘરા લાગે છે?
    આપની ચિંતા અને સમસ્યાઓનો હવે અંત આવી ગયો છે. આપની સમક્ષ અમે એક એવી અદભુત પદ્ધતિ લાવ્યા છીએ જેનું નામ છે: “SHORT GOLDEN METHOD”
    • આ પદ્ધતિ મુજબ તમારે એટલું જ પાકું કરવાનું છે જેટલું જરૂરી છે.
    • આ પધ્ધતિમાં દરેક પ્રશ્નોના જવાબ ની ભાષાને ખુબ જ સરળ બનાવી દેવામાં આવી છે.
    • ઘણીવાર વિદ્યાર્થીઓને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે લાંબા જવાબોમાં કેટલું પાકુ કરું અને કેટલું ન કરું?. આમ કરવા જતા તેનાથી અગત્ય ના વાક્યો પાકા કરવાના રહી જાય છે. જેમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે.
    • આ પદ્ધતિમાં અમે હેતુલક્ષી પ્રશ્નોના  જવાબો જ્યાં વિસ્તૃત પ્રશ્નોમાં સમાયેલા હોય તેને તમારા માટે ખૂબ જ આકર્ષક રીતે અલગથી તારવેલ છે.
    • આપેલા પાઠના  topics માં જ્યાં બ્લૂ રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે  તે બોર્ડ ની પરીક્ષામાં પૂછાતા ૧૬ માર્ક ના હેતુલક્ષી પ્રશ્નોમાં ખુબ જ ઉપયોગી થશે.તેવી લાઈન ખાસ પાકી કરજો.
    • વિજ્ઞાન ના ગમે તેવા અઘરા topic સહેલાઈથી સમજાય જાય તે માટે 
    એકદમ રસપ્રદ વિડિયો પણ સાથે મુકેલ છે.

    જે ખાસ જોજો જ.આ વીડિયોમાં topic સમજાવવાની એકદમ અનોખી પદ્ધતિ છે.



    • જ્યાં નવો topic બદલાય છે ત્યાં green colour થી ટાઇટલ કરેલ છે.






    “SHORT GOLDEN METHOD” ના ફાયદા
    • ખૂબ જ થોડા સમયમાં તમે ઘણું બધું પાકું કરી શકશો.
    • તમારો કીમતી સમય બચશે.
    • પરીક્ષામાં આની બહારનું લગભગ કંઈ જ નહીં પુછાય.
    • તમારા હાથમાં readymade most imp content રહેશે.
    • પરીક્ષા વખતે ફાસ્ટ રીવીઝન કરવામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
    • તમે આ પદ્ધતિથી નિશ્ચિત ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શકશો એમાં શંકાને કોઇ સ્થાન નથી.
    • જુદા જુદા રંગો, સૂત્ર ,તેમજ keywords ના ઉપયોગથી તમે ગમે તેવા પ્રશ્નો ના જવાબ ખૂબ જ ઝડપથી પાકા કરી શકશો.
    • આ પદ્ધતિથી એકવાર ફક્ત એક પાઠ તૈયાર કરી જુઓ અને પછી જુઓ ચમત્કાર!!!!
           

    ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1- રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ
    • અગત્ય ની સંજ્ઞાઓ સંયોજકતા સાથે
    • મેગ્નેશિયમ- Mg2+      
    • ઓક્સિજન- O2-
    • લેડ (સીસું)-  pb2+
    • પોટેશિયમ-   K+
    • આયોડિન-    I
    • હાઈડ્રોજન-  H+
    • ક્લોરિન-     Cl
    • લોખંડ (આયર્ન)-Fe2+&Fe3+
    • બેરિયમ-       Ba2+
    • એલ્યુમિનિયમ-Al3+
    • સલ્ફર-         S2-
    • સોડિયમ-    Na+
    • કેલ્શિયમ-   Ca2+
    • કાર્બન-       C+4
    • નાઇટ્રોજન-   N3-
    • કોપર (ક્યુપ્રિક)-Cu+ & Cu2+
    • સિલ્વર (ચાંદી)- Ag+
    • ઝીંક (જસત)-  zn2+
    આયન ની સંજ્ઞાઓ

    આયોડાઈડ-I

    Hydride- H

    ક્લોરાઇડ- Cl

    Bromide- Br

    Oxide -O2-

    Sulfide-S2-

    Nitride- N3-

    કાર્બાઇડ-C4-

    નાઈટ્રેટ-. (NO3-)

    સલ્ફેટ- (SO42-)

    હાઈ ડ્રો ક સાઇડ-OH

    કાર્બોનેટ- CO32-

    Sulphite- SO32-

    ફોસ્ફેટ-.     PO43-

      આ પાઠમાં આવતા અગત્યના અણુસૂત્ર
    • મેગ્નેશિયમ ઓકસાઇડ  Mgo
    • લેડ નાઈ ટ્રેટ.            Pb(NO3)2        
    • પોટૅશિયમ આયોડાઇડ   KI
    • હાઇડ્રોક્લોરિક એસિડ   HCl
    • ફેરસ ફેરિક ઓક્સાઈડ  Fe3O4
    • બેરિયમ કલોરાઇડ.       Bacl2
    • એલ્યુમિનિયમ સલ્ફેટ.   Al2(So4)3
    • બેરિયમ સલ્ફેટ.            Baso4
    • એલ્યુમિનિયમ ક્લોરાઇડ  AlCl3
    • સોડિયમ હાઈડ્રોક્સાઈડ.  NaOH
    • સોડિયમ સલ્ફેટ.             Na2SO4
    • સોડિયમ ક્લોરાઇડ.       Nacl
    • કેલ્શિયમ ઓક્સાઈડ(કળી ચૂનો) CaO
    • કેલ્શિયમ હાઇડ્રોક્સાઈડ(ચૂનાનું નીતર્યું પાણી), લાઈમ વોટર, ફોડેલો ચૂનો-.        Ca(OH)2
    • ગ્લુકોઝ.                       C6H12O6
    • કેલ્શિયમ કાર્બોનેટ.(આરસ પહાણ) CaCO3
    • ફેરસ સલ્ફેટ (આયર્ન).         FeSO4
    • આયર્ન ઓક્સાઇડ (ફેરિક ઓક્સાઈડ) Fe2O3
    • સલ્ફર ડાયોક્સાઇડ.           SO2
    • સલ્ફર ટ્રાયોક્સાઇડ.           SO3
    • લેડ ઓક્સાઇડ.               PbO
    • નાઇટ્રોજન ડાયોક્સાઇડ.    NO2
    • બેરિયમ હાઈડ્રોક્સાઈડ.    Ba(OH)2
    • એમોનિયમ ક્લોરાઇડ.     NH4Cl
           
    • કોપર સલ્ફેટ.            CaSO4    
    • ઝીંક સલ્ફેટ.            ZnSO4
     
    • સિલ્વર નાઇટ્રેટ.        AgNO3
    • ઝીંક નાઇટ્રેટ.           Zn(NO3)2
    • કોપર ક્લોરાઇડ.       CuCl2
    • પોટેશિયમ બ્રોમાઇડ.  KBr
    • બેરિયમ આયોડાઈડ.  BaI2
    • બેરિયમ બ્રોમાઇડ.     BaBr2
    • કોપર ઓકસાઈડ.      CuO
    • કાર્બન ડાયોક્સાઇડ.   CO2
    • પાણી.                    H2O
    • પોટેશિયમ સલ્ફેટ.      K2SO4
    • પોટેશિયમ ક્લોરાઇડ.  Kcl
    • ઝીંક કાર્બોનેટ.           ZnCO3
    • ઝીંક ઓક્સાઇડ.        ZnO
    • મેગ્નેશિયમ ક્લોરાઇડ.   Mgcl2
    • મિથેન.                     CH4
    • કોપર નાઈટ્રેટ.             Cu(NO3)2
    • લોખંડનો કાટ.            Fe2O3•xH2O
    • લેડ સલ્ફેટ.                PbSO4
    • એમોનિયા.                NH3
    • લીથીયમ હાઇડ્રા ઇડ.   LiH
    • ફેરસ સલ્ફેટ નો સ્ફટિક FeSO4•7H2O
    રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ.

    ૧. ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે ત્યારે દૂધ જલદી બગડી જાય છે.

    ૨. લોખંડના તવા,તપેલા,કે ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે.

    ૩. દ્રાક્ષનું આથવણ થાય.

    ૪. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય.

    ૫. જ્યારે આપણે શ્વાસ લઈએ.




    મેગ્નેશિયમની પટ્ટી નું હવામાન દહન

    ૧.લગભગ ત્રણ-ચાર સેમી લાંબી મેગ્નેશિયમની પટીને કાચપેપર વડે ઘસીને શુદ્ધ કરો.

    ( મેગ્નેશિયમની પટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવાનું કારણ- મેગ્નેશિયમ ધાતુ ખુબ જ ક્રિયાશીલ હોવાથી જ્યારે તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે ત્યારે બાહ્ય સપાટી પર

    MgO નું નિષ્ક્રિય પડ બને છે.આ મેગ્નેશિયમ ઓકસાઇડ ના નિષ્ક્રિય પડને પેપર વડે  સાફ કરવામાં આવે તો મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે.)

    ૨. પટ્ટી ને ચીપિયા વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પ ની મદદથી સળગાવો અને તેની રાખને વોચ ગ્લાસમાં એકત્ર કરો.

    ૩. વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ એ મેગ્નેશિયમ ઓકસાઇડ છે.

    અવલોકન-મેગ્નેશિયમની પટ્ટી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાઉડર માં પરિવર્તિત થાય છે. આ પાવડર મેગ્નેશિયમ ઓકસાઇડ છે.મેગ્નેશિયમ તેમજ હવામાનના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓકસાઇડ ઉદભવે છે.

    રાસાયણિક પ્રક્રિયા- 2Mg +O2⟶2MgO




    લેડ નાઇટ્રેટ અને પોટૅશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા

    એક કસનળી માં લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લો.

    તેમાં પોટૅશિયમ આયોડાઇડ નું દ્રાવણ ઉમેરો.

    અવલોકન- લેડ નાઇટ્રેટ અને પોટૅશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને પોટેશિયમ નાઇટ્રેટ બને છે. આ પ્રક્રીયા દ્વિ વિસ્થાપન પ્રક્રિયા છે. સમતુલિત રાસાયણિક સમીકરણ-

    Pb(NO3)2+KI⟶PbI2+2KNO3




    ઝીંક અને મંદ સલ્ફયુરિક એસિડ અથવા મંદ હાઈડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા.
    • એક કોનીકલ ફ્લાસ્ક અથવા કસનળી માં થોડા ઝીંકના દાણા લો.
    • તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો.
    અવલોકન: આ પ્રક્રિયા દરમ્યાન હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.

    ઝીંક ક્લોરાઇડ બને છે.. કોનિકલ ફલાસ્ક ગરમ થાય છે. આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    રાસાયણિક સમીકરણ-Zn+2HCl⟶ZnCl2+H2

    રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો-

    ૧. અવસ્થામાં પરિવર્તન ૨. રંગમાં પરિવર્તન.

    ૩. વાયુ નો ઉદ્દભવ ૪. તાપમાનમાં પરિવર્તન




    રાસાયણિક સમીકરણો લખવાની રીત-

    મેગ્નેશિયમ+ઓક્સિજન⟶મેગ્નેશિયમ ઓકસાઇડ
    • આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે.
    • આ પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓકસાઇડ નીપજ છે.
    • આ રીતે સમીકરણમાં પ્રક્રિયકો ને હંમેશા ડાબી બાજુએ(LHS) અને નીપજો ને જમણી બાજુએ(RHS) દર્શાવાય છે.
    • પ્રક્રિયક ઓ અને નીપજ વચ્ચે⟶નિશાની મૂકવામાં આવે છે.
    • જો એક કરતાં વધુ પ્રક્રિયકો હોય તો તેમની વચ્ચે + સંજ્ઞા મૂકવામાં
    આવે છે. તે જ રીતે એક કરતાં વધુ નિપજ ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ + ની સંજ્ઞા મુકાય છે.
    • તીરનો અગ્રભાગ (arrow head) નિપજો તરફ હોય છે. તે પ્રક્રિયા ની દિશા દર્શાવે છે.⟶



    અસમતોલિત રાસાયણિક સમીકરણ

    જે રાસાયણિક સમીકરણ માં બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુની સંખ્યા જો સમાન ન હોય તો તેવા રાસાયણિક સમીકરણ ને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે.

    આવા સમીકરણમાં બંને તરફના દળ સમાન હોતા નથી. આવા સમીકરણને માળખાકીય (કંકાલ) રાસાયણિક સમીકરણ કહેવાય છે. દા. ત. મેગ્નેશિયમ ની હવામા સળગવાની  પ્રક્રિયા માટે નું સમીકરણ માળખાકીય સમીકરણ છે.




    સમતોલીત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણો ને શા માટે સમતોલીત કરવા જોઈએ?  (ગુણ-3)

    જે રાસાયણિક સમીકરણ માં તીર ની નિશાનીની  બંને તરફ પ્રક્રિયકો અને નીપજો ના દરેક તત્વ ના પરમાણુની સંખ્યા સમાન થાય તો તેને સમતોલીત રાસાયણિક સમીકરણ કહેવાય.

    દળ સંચયનો નિયમ:કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ (દ્રવ્ય) નું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી.

    જેથી રાસાયણિક સમીકરણ માં રહેલા પ્રક્રીયકો અને નીપજ નું દળ સમાન રહે છે.

    કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા બંને બાજુ સમાન રાખવી જરૂરી હોય છે.

    આથી રાસાયણિક સમીકરણોને સમતોલીત કરવા જોઈએ.

    ખાસ: રાસાયણિક સમીકરણોને સમતોલીત કરવાની પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે.




    રાસાયણિક પ્રક્રિયાઓ ના પ્રકાર: (૧) સંયોગીકરણ પ્રક્રિયા (૨) વિઘટન પ્રક્રિયા (૩) વિસ્થાપન પ્રક્રિયા (૪) દ્વિ વિસ્થાપન પ્રક્રિયા (૫) ઓક્સિડેશન અને રિડકશન.




    રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે બંધો તુટી ને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે અને નીપજોનું નિર્માણ થાય છે.

    નીચેની લિંક પર click કરો




    સંયોગીકરણ પ્રક્રિયાનો વિડિયો:
    • એક બીકર માં કેલ્શિયમ ઓક્સાઈડ(CaO) અથવા કળી ચૂનાનો થોડો જથ્થો લો.
    • તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો.
    • કેલ્શિયમ ઓક્સાઈડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો (કેલ્શિયમ hydroxide) બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે.
    •  
    જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઇ એક જ નીપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે.

    દા.ત. CaO(s)+H2O (l)⟶Ca(OH)2(aq)+ઉષ્મા

    ઉપરની પ્રક્રિયામાં બે પ્રક્રિયકો CaO અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઇ એક જ નીપજ Ca(OH)2 બને છે.માટે આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે.




    ઘરની દીવાલો ધોળવાની પ્રક્રિયા: ફોડેલા ચૂનાના દ્રાવણનો (ચૂનાનું નીતર્યું પાણી) ઉપયોગ ઘરની દિવાલો ધોળવા માટે થાય છે.




    કેલ્શિયમ hydroxide હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દીવાલો પર કેલ્શિયમ કાર્બોનેટ નું પાતળું સ્તર બનાવે છે.

    દિવાલ ધોળ્યા બાદ બે-ત્રણ દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટ નું નિર્માણ થાય છે જેથી દીવાલો પર ચમક આવી જાય છે.


    આરસ પહાણ નું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે.

    Ca(OH)2(aq)+CO2(g)⟶CaCO3 (s)+H2O(l)

    સંયોગીકરણ પ્રક્રિયાના અન્ય ઉદાહરણો:

    ૧.કોલસા નું સળગવું C(s)+O2(g)⟶CO2

    ૨. હાઈડ્રોજન અને ઓક્સિજન માંથી પાણીનું નિર્માણ

    2H2(g)+O2(g)⟶2H2O




    ઉષ્મા ક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાઓ: (ગુણ-3)

    જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે.

    દા.ત. કુદરતી વાયુ નું સળગવું-CH4(g)+2O2(g)⟶CO2(g)+2H2O

    આ ઉપરાંત વનસ્પતિ જ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    શ્વસન એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા-
    • જીવન જીવવા માટે આપણને ઊર્જાની જરૂર પડે છે.
    • આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ  ઊર્જા મળે છે.
    • પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે.
    ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડ માં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઇ ગ્લુકોઝ બને છે.

    આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઇને ઊર્જા પૂરી પાડે છે.

    આ પ્રક્રિયાને શ્વસન કહે છે.આ પ્રક્રિયા દરમ્યાન ઊર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    C6H12O6 (aq)+6O2(aq)⟶6CO2(aq)+6H2O+ઊર્જા




    ઉષ્માશોષક પ્રક્રિયા:જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણ સાથે ઉષ્મા નું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે. દા.ત.  સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્માશોષક પ્રક્રિયા છે.




    સિલ્વર બ્રોમાઈડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન:




    2AgBr(s)⟶2Ag(s)+Br2(g)

    સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઈડ નો ઉપયોગ શ્યામ અને શ્વેત(black& white) ફોટોગ્રાફી માં પણ થાય છે.

    વિઘટન પ્રક્રિયા: ફેરસ સલ્ફેટ ને ગરમ કરી વિઘટન પ્રક્રિયા સમજવી

    નીચેની લિંક પર click કરો:

    વિઘટન પ્રક્રિયાનો વિડિયો
    • એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2g ફેરસ સલ્ફેટ લો.
    • આ નળીને સ્પિરિટ લેમ્પ ની જ્યોત પર ગરમ કરો.
    2FeSO4(s)⟶Fe2O3(s)+SO2(g)+SO3(g)

    આ પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજઆપે છે આથી આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે.

    ફેરસ સલ્ફેટ ના સ્ફટિક ને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિક નો રંગ બદલાય છે.

    ઉપરાંત તે ફેરિક ઓક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઈડમાં  વિઘટિત થાય છે.

    અવલોકન: ગરમ કરતી વખતે ફેરસ સલ્ફેટ નો રંગ લીલાશ પડતો અથવા આછો લીલો હોય છે. પરંતુ ગરમ થયા બાદ લીલાશ પડતા રંગ માંથી લાલાશ પડતો કથ્થાઈ રંગ બને છે.

    કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ માં થતું વિઘટન એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે.

    કેલ્શિયમ ઓક્સાઈડ ને ચૂનો અથવા કળીચૂનો કહે છે તેનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે.

    CaCO3(s)⟶CaO(s)+CO2(g)(ઉષ્મા દ્વારા વિઘટન)

    આ વિઘટન પ્રક્રિયાનું એવું ઉદાહરણ છે કે જેમાં ઘન અને વાયુ એમ બે નિપજો પ્રાપ્ત થાય છે.

    લેડ નાઇટ્રેટ વિઘટનની પ્રક્રિયા:
    • એક કસનળીમાં આશરે 2g લેડ નાઈટ્રેટનો પાવડર લો.
    • કસનળીને હોલ્ડર વડે પકડીને જ્યોત પર ગરમ કરો.
    અવલોકન: લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગ નો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો નાઈટ્રોજન ડાયોક્સાઇડ(NO2) નો છે.

    પ્રક્રિયા: 2Pb(NO3)2⟶ 2PbO(s)+4NO2(g)+O2(g)




    પાણીનું વિદ્યુત વિભાજન:
    • એક પ્લાસ્ટિક નો કપ લઇ તેના તળિયે બે છિદ્રો કરો અને આ છિદ્રો માં રબરના બૂચ લગાવો.
    • રબરના બૂચ માં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો.
    • આ વિદ્યુત ધ્રુવો ને છ વોલ્ટની બેટરી સાથે જોડો.
    • વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. પાણીમાં મંદ સલ્ફયુરિક એસિડ ના થોડા ટીપા નાખો.
    • પાણીથી ભરેલી બે કસનળીઓ લો અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઉંધી ગોઠવો.
    • વિદ્યુત પ્રવાહ ચાલુ કરી દો.
    • થોડીવાર બાદ બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદભવતા દેખાશે આ પરપોટા કસનળી ઓ માં પાણી નું વિસ્થાપન કરે છે.
    નીચેની લિંક પર click કરો



    અવલોકન: બંને કસનળી ઓમાં એકઠા થયેલા વાયુના કદ સમાન હોતા નથી. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સળગતી મીણબતી પાસે લઈ જતા ઓક્સિજન સળગતો નથી જ્યારે હાઈડ્રોજન સળગે છે.

    પ્રક્રિયા:2H2O⟶2H2+O2 (વિદ્યુત દ્વારા વિઘટન)

    ખાસ: પાણીમાં બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્સિજન હોવાથી એક કસનળીમાં બે ભાગ હાઇડ્રોજન અને બીજી કસનળીમાં એક ભાગ ઓક્સિજનવાયુ મળે છે. આ રીતે મળતા હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુ નું કદથી પ્રમાણ 2:1 છે.

    સિલ્વર ક્લોરાઇડ નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન.
    • એક ચાઇના ડિશમાં આશરે 2g સિલ્વર ક્લોરાઇડ લો. જે સફેદ રંગનો હોય છે.
    • થોડીવાર માટે ચાઈના ડિશને સૂર્યના પ્રકાશમાં મૂકો.
    • થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડ ના રંગનું અવલોકન કરો.
    અવલોકન: સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું  રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે પ્રકાશના કારણે સિલ્વર ક્લોરાઇડ નું વિઘટન સિલ્વર અને ક્લોરિન માં થવાને કારણે આમ બને છે.

    પ્રક્રિયા: 2AgCl(s)⟶2Ag(s)+Cl2(g)(પ્રકાશ દ્વારા વિઘટન)










    વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા ની વિરુદ્ધ પ્રક્રિયા છે.(ગુણ-3)




    કારણ: વિઘટન પ્રક્રિયામાં એક અણુને ઊર્જા આપતા તેનું બે કે વધુ પરમાણુઓમાં વિઘટન થાય છે.

    આનાથી ઊલટું સંયોગીકરણ પ્રક્રિયા માં બે કે વધુ પરમાણુ ભેગા થઈને એક અણુ બને છે અને ઊર્જા મુક્ત થાય છે.

    વિઘટન પ્રક્રિયા: PQ+ઉર્જા⟶P+Q

    2AgCl⟶2Ag(s)+Cl2

    સંયોગીકરણ પ્રક્રિયા: P+Q⟶PQ+ઉર્જા

    વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે.




    બેરિયમ હાઈડ્રોક્સાઈડ અને એમોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા:




    એક કસનળીમાં આશરે 2g બેરિયમ હાઈડ્રોક્સાઈડ લો.

    તેમાં 1g એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને કાચના સળિયા વડે મિશ્ર કરો.

    આ પ્રક્રિયા ઉષ્માશોષક હોવાથી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ઘટાડો થાય છે.

    Ba(OH)2+2NH4Cl⟶Bacl2+2NH3+2H2O

    વિસ્થાપન પ્રક્રિયા:

    જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને  તેના સંયોજન(દ્રાવણ)માંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
    • લોખંડની ખીલી અને કોપર સલ્ફેટ નાં દ્રાવણ વચ્ચે થતી પ્રક્રિયા
    • આયર્નની ત્રણ ખીલીઓ લઈ તેને કાચપેપર વડે ઘસીને સાફ કરો.
    • બે કસ નળી ને Aઅને B નામ આપો દરેક કસનળીમાં આશરે 10 ml  કોપર સલ્ફેટનું દ્રાવણ લો.
    • લોખંડ ની બે ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટનાં દ્રાવણ થી ભરેલી કસનળી(B) 20 મિનિટ માટે ડુબાડો. સરખામણી કરવા માટે એક ખીલીને અલગ રાખો.
    • ૨૦ મિનિટ બાદ બંને ખીલીઓને copper sulphate ના દ્રાવણ માંથી બહાર કાઢો.
    • બંને ખીલીના રંગ ની તુલના બહાર રાખેલી ખીલી સાથે કરો.
    અવલોકન: આયર્નની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં મૂકતાં ખીલી કથ્થાઈ રંગની બને છે. આ દરમ્યાન કોપર સલ્ફેટનાં દ્રાવણ નો ભૂરો રંગ આછો લીલો બનશે.

    કારણ: અહીં આયર્નની ખીલીને કોપર સલ્ફેટ ના દ્રાવણમાં ડૂબાડતા કોપર કરતા આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે જે લીલા રંગનો હોવાથી દ્રાવણ નો રંગ બદલાય છે.

    પ્રક્રિયા: Fe(s)+CuSO4(aq)⟶FeSO4(aq)+Cu(s)

    આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટ ના દ્રાવણમાંથી કોપર ને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. 

    નીચેની લિંક પર click કરો

    વિસ્થાપન પ્રક્રિયાનો વિડિયો ખાસ જુઓ

    વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો:

    Zn(s)+CuSO4(aq)⟶ZnSO4(aq)+Cu(s)

    Pb(s)+CuCl2(aq)⟶PbCl2(aq)+Cu(s)

    અહીં ઝીંક અને લેડ એ કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે તેથી તે કોપરના સંયોજન માંથી કોપર ને વિસ્થાપિત એટલે કે દૂર કરે છે.

    સિલ્વર (ચાંદી )ની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા:

    સિલ્વર ના શુદ્ધિકરણ માં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા થાય છે.

    સમાવિષ્ટ પ્રક્રિયા:  Cu(s)+2AgNO3(aq)⟶ Cu(NO3)2(aq)+2Ag(s)

    દ્વિ વિસ્થાપન પ્રક્રિયા:

    જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનો ની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને

     દ્વિ વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

    બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની દ્વિ વિસ્થાપન પ્રક્રિયા:

    એક કસનળીમાં આશરે ત્રણ ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો.

    બીજી કસનળીમાં આશરે ત્રણ ml બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ લો.

    બંને દ્રાવણ ને મિશ્ર કરો.

    અવલોકન: સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ ને ભેગા કરતા બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ મળે છે જે સફેદ રંગના છે.

    નીચેની લિંક પર click કરો ( 1:50 to 3:50 minute)

    દ્વિ વિસ્થાપન પ્રક્રિયાનો વિડિયો

    પ્રક્રિયા: Bacl2(aq)+Na2SO4 (aq)⟶BaSO4+2NaCl(aq)

    અહી Ba2+ અને SO4-  આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે અને બીજી નીપજ સોડિયમ ક્લોરાઇડ મળે છે. જે દ્રાવણમાં જ દ્રાવ્ય રહે છે.




    વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિ વિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત: (ગુણ-3)

    વિસ્થાપન પ્રક્રિયા માં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણ માંથી મુક્ત કરે છે.

    જ્યારે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા માં બે પ્રક્રિયકો વચ્ચે આયનો ની અદલા બદલી અથવા આપલે થતી હોય છે.(સમીકરણો ઉપર આપેલ છે)

    દ્વિ વિસ્થાપન પ્રક્રિયા નું અન્ય ઉદાહરણ:

    Na2CO3(aq)+CaCl2(aq)⟶CaCO3(aq)+2NaCl(aq)

    આ પ્રક્રિયામાં સોડિયમ કાર્બોનેટ ની કેલ્શિયમ ક્લોરાઇડ સાથે ની પ્રક્રિયા થઈ કાર્બોનેટ અને ક્લોરાઈડ આયનનું  આદાન-પ્રદાન થવાથી કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે.

    અવક્ષેપન પ્રક્રિયા:

    એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે.

    ઉદા. AgNO3 (aq) +NaCl(aq)⟶Agcl(s).  +NaNO3(aq)

                                                 સફેદ↑ અવક્ષેપ

    અહીં સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થઇ

    સિલ્વર ક્લોરાઇડ ના સફેદ અવક્ષેપ મળે છે.

    આ રીતે અવક્ષેપન પ્રક્રિયાઓ દ્વારા અદ્રાવ્ય ક્ષારો બને છે.

    કોપર નું કોપર ઓકસાઈડ માં ઓક્સિડેશન:

    આશરે એક ગ્રામ કોપર નો ભૂકો ચાઇના ડિશમાં લઈ તેને ગરમ કરો.

    અવલોકન: કોપરના ભુકા ની સપાટી પર કાળા રંગના કોપર ઓકસાઈડ નું પડ જામી જાય છે.કોપરમાં ઓક્સિજન ઉમેરાઈ ને કોપર ઓકસાઈડ બનવાથી આવું થાય છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે.

    પ્રક્રિયા: 2Cu+O2⟶2CuO આ પ્રક્રિયામાં Cuનું ઓક્સિડેશન થાય છે.




    હવે આ ગરમ કરેલા પદાર્થ CuO પરથી હાઈડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી (ઉંધી) પ્રક્રિયા થવાના કારણે સપાટી પર નું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગ(કોપર) માં ફેરવાય છે અને ફરીથી કોપર મળે છે.

    બીજું ઉદાહરણ:  C+O2⟶CO2 માં C નું ઓક્સિડેશન થાય છે

    પ્રક્રિયા: CuO+H2⟶Cu+H2O આ પ્રક્રિયામાં હાઇડ્રોજન રિડક્શન કર્તા છે.

    ઓક્સિડેશન અને રિડક્શન ઉદા. સહિત સમજાવો. (ગુણ-3)

    ઓક્સિડેશન: 

    જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઈડ્રોજન ગુમાવે તો તેને ઓક્સિડેશન કહે છે.




    રિડક્શન:

    જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઈડ્રોજન મેળવે તો તેને રીડક્શન કહે છે.

    આમ સરળ ભાષામાં,ઓક્સિડેશન એટલે ઓક્સીજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો અથવા હાઇડ્રોજન મેળવવો.

    નીચેની પ્રક્રિયાઓ દ્વારા ઓક્સિડેશન અને રિડક્શન ની ઓળખ:

    (1) 4Na(s)+O2(g)⟶2Na2O

    આ પ્રક્રિયામાં સોડિયમ ધાતુ નું  ઓક્સિડેશન થાય છે.

    જ્યારે O2 નું રિડક્શન થાય છે.

    ઓક્સિડેશન પામતો પદાર્થ: Na2O

    રિડક્શન પામતો પદાર્થ:O2

    (2) CuO(s)+ H2(g)⟶Cu(s)+H2O (l)

    આપેલ પ્રક્રિયામાં CuO નું  રિડક્શન થાય છે, જ્યારે

    H2 નું  ઓક્સિડેશન થાય છે.

    ઓક્સિડેશન પામતો પદાર્થ:H2O

    રિડક્શન પામતો પદાર્થ: Cu

    રિડકશન પ્રક્રિયા નું બીજું ઉદાહરણ:CO2+H2⟶CO+H2O

    આ પ્રક્રિયામાં CO2 નું રિડક્શન થાય છે.

    નીચેની લિંક પર click કરો.

    ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો વિડિયો

    ક્ષારણ અને ખોરા પણું ઉદા. સહિત સમજાવો. (ગુણ-3)

    ક્ષારણ:

    નીચેની લિંક પર click કરો.

    ક્ષારણપ્રક્રિયાનો વિડિયો

    જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે.

    લોખંડ ની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે.આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે.

    ચાંદી પર લગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર ક્ષારણ ના ઉદાહરણો છે.

    ક્ષારણ ને કારણે લોખંડની વસ્તુઓ જેવી કે મોટર કાર ના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ વગેરેને નુકસાન થાય છે.

    લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાન પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ આવે છે.

    આ પ્રકારના ધાતુ ક્ષારણ ને લીધે મોટે ભાગે લોખંડની વસ્તુ પર કાટ લાગતો હોય છે. આથી આવા કાટથી બચવા માટે સામાન્ય રીતે લોખંડ ની સપાટી પર રંગ લગાવવામાં આવે છે. જેનાથી લોખંડ અને હવા નો સંપર્ક થતો નથી પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને તેમને કાટ લાગતો નથી.




    ખોરા પણું:

    જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરુ થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે.

    આમ ઓક્સિડેશન ખોરાકને અખાદ્ય બનાવતી પદ્ધતિ છે.

    આવા અખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

    સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશન નો પ્રતિકાર કરે તેવા પદાર્થો(એન્ટિ-ઓક્સિડન્ટ) ઉમેરવામાં આવે છે.

    સામાન્ય રીતે હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે.

    ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનુ ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે.

    નીચેની લિંક પર click કરો.ખાસ જુઓ

    ખોરા પણું પ્રક્રિયાનો વિડિયો 




    મિત્રો આ આ પાઠ માંથી ત્રણ ગુણનો એક પ્રશ્ન તેમજ એક ગુણનો ઉચ્ચ વૈચારિક કૌશલ્ય વાળો એક પ્રશ્ન પૂછાશે.

    આવો પ્રશ્ન એક ગુણ માટે નીચે મુજબ હોઇ શકે:


    • કોપર ઘાતુ હવામાં ખુલ્લી રાખવાથી તેના પર લીલા રંગનું આવરણ (કોપર કાર્બોનેટ)જોવા મળે છે., અને તે ધાતુને ગરમ કરવાથી કાળુ આવરણ(કોપર ઓકસાઈડ) જોવા મળે છે.
     
    • ખોરાપણું અટકાવવા માટે ઉમેરવામાં આવતા રસાયણ નું સામાન્ય નામ એન્ટીઓક્સીડંટ છે.
     
    • કોપર ઓકસાઈડ ના કાળા સ્તરને રાસાયણિક પદ્ધતિ થી દૂર કરવા માટે ગરમ કરેલા કોપર ઓકસાઈડ ના સ્તર પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતાં તેનું કાળું સ્તર કથ્થાઈ રંગ માં ફેરવાઈ જાય છે.
     
    • ધાતુના નમૂનાઓને ખુલ્લી હવામાં રાખતા તે હવામાં રહેલા વાયુઓ સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ નું પડ બનાવે છે પરિણામે ધાતુ તેની ચમક ગુમાવીને ઝાંખી પડે છે.
     
    • પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્માશોષક પ્રક્રિયા છે.કારણકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે ઉષ્મા ની જરૂર પડે છે.
     
    • જ્યારે પાણીમાં કળી ચૂનો ઉમેરવામાં આવે ત્યારે તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક અને સંયોગીકરણ પ્રકારની છે.
    • અથાણાં કોપર,એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરતા હોવાથી ધાતુના પાત્રમાં અથાણા ન સંઘરવા જોઈએ.કારણ કે અથાણામાં રહેલા એસિડિક ગુણવાળા પદાર્થો ધાતુ ના પાત્ર સાથે પ્રક્રિયા કરે છે.
    • આયર્ન ના ભૂકામાં મંદ  હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા હાઈડ્રોજન વાયુ અને આયર્ન કલોરાઈડ ઉદભવે છે.
    • Fe2O3+2Al→Al2O3+2Fe આ વિસ્થાપન પ્રક્રિયા નું ઉદાહરણ છે.
    • ચાંદીના દાગીનાની હવામાના વાયુ અને ભેજ સાથે ક્ષારણ પ્રક્રિયા થાય છે જેના લીધે તે કાળા પડી જાય છે. ટૂથપેસ્ટ જેલવડે આ કાળા પડ ને દૂર કરી શકાય છે.
     
    • ઝિંકના પડવાળી આયર્નની ખીલીને કોપર sulphate ના દ્રાવણમાં ઉમેરતા દ્રાવણનો વાદળી રંગ ફિક્કો પડશે અને દ્રાવણ આછા લીલા રંગનું બનશે કારણકે લોખંડ અને ઝીંક કોપરનું વિસ્થાપન કરે છે.
    કારણ: કોપર કરતા આયર્ન અને ઝીંક વધુ સક્રિય ધાતુ છે.


    • ઔષધો ને ઘણીવાર ઠંડી જગ્યાએ ઘેરા રંગની બોટલ માં સંઘરવામાં આવે છે કારણ કે આવા ઔષધો સૂર્યપ્રકાશની હાજરીમાં ઊંચા તાપમાને જો રાખવામાં આવે તો તે પ્રક્રિયા કરે છે અને તેનું બંધારણ સાવ બદલાઈ જાય છે.
    • કેટલાક ઔષધોને તાપમાન ઘટાડવા રેફ્રિજરેટર મા રાખવામાં આવે છે કારણ કે ઊંચા તાપમાને આવા ઔષધો જોખમી કે ઝેરી બને છે.
    આ પાઠમાંથી આ મુદ્દાઓ ખાસ યાદ રાખો
    • સમીકરણ પરથી પ્રક્રિયાનો પ્રકાર ઓળખવો.
    • બે પ્રક્રિયકો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાઓ ના પરિણામો અને અવલોકનો.
    • દરેક સમીકરણોની ઓળખ.
    • દરેક તત્વો ના સૂત્રો અને સંજ્ઞાઓ સંયોજકતા સાથે.
    • કોઈપણ તત્વનો રંગ, ગુણધર્મ અને ઉપયોગ.
    • દરેક પ્રક્રિયા ની વ્યાખ્યાઓ.



    મિત્રો આ પ્રકારના પ્રશ્નો ને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્ન તરીકે ગણી શકાય. આવો કોઈ પણ પ્રશ્ન એક માર્ક માં પુછાઈ શકે.

    માટે આખો પાઠ ખૂબ જ કાળજીપૂર્વક વાંચવો અને સમજવો ગોખણપટ્ટી કરવી નહીં.

    ખાસ સુચના: આ પ્રકરણમાં રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા તેમજ પ્રક્રિયાઓને ઓળખવા અંગેનો અલગથી વિડિયો બનાવેલો છે.





































Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator