Site icon 1clickchangelife

પાઠ- 8 કૃષિક્ષેત્ર

CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના:

 કૃષિક્ષેત્રે દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખુબ જ અગત્યનું ગણવામાં આવતું ક્ષેત્ર  છે.આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીને અનાજ, શાકભાજી, ફળ-ફળાદી, ફૂલો જ નહિ પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. દુનિયાના દરેક દેશના કૃષિક્ષેત્રની  ક્ષમતા જુદી-જુદી હોય છે. તે જુદાં-જુદાં પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું જોવા મળે છે.


અર્થતંત્રની  કરોડરજ્જુ (Backbone of the Economy)

ભારતને ખેતીપ્રધાન દેશ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? ( દેશના કૃષિક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે.)

જેથી કહી શકાય કે જો ભારતમાં કૃષિક્ષેત્ર નિષ્ફળ નીવડે તો દેશનું અર્થતંત્ર  ખોરવાય છે અને આ જ રીતે કૃષિક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે.


ભારતમાં વર્ષ 1956 (બીજી પંચવર્ષીય યોજના)થી ઔદ્યોગિકીકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે ઔધોગીકીકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતીપ્રધાન અર્થતંત્ર તરીકે જ ઓળખાય  છે.


ભારતમાં કૃષિક્ષેત્રની વર્તમાન સ્થિતિ/મહત્વ

 ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન  અને અંગ્રેજોથી મળેલ આઝાદી બાદ પણ કૃષિ આધારિત દેશ છે.

દેશમાં આયોજન દરમિયાન ઓદ્યોગિકીકરણને વધુ મહત્વ આપવાને કારણે ભૂતકાળની  કૃષિક્ષેત્રની સ્થિતિ કરતા વર્તમાન સ્થિતિમાં ખૂબ મોટું પરિવર્તન જોવા મળે છે.  

આ ફેરફારો ઉપરાંત અન્ય ફેરફારો કેવા પ્રકારના અને કઈ દિશાના છે તે સમજવા કૃષિની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરતા નીચેના  મુદ્દાઓ તપાસીએ.


રાષ્ટ્રીય આવકમાં ફાળો

રોજગારી :

વર્ષ 2001-02માં 58 %, જ્યારે વર્ષ 2014-15 મા 49 % લોકોને રોજગારી પૂરી પાડે છે.

નિકાસ-આવક :

 આમ, કૃષિક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હૂંડિયામણની જરૂરિયાત કૃષિક્ષેત્રની વસ્તુઓની નિકાસ દ્વારા મળી રહે છે. દા.ત., ચા, મરી- મસાલા ,ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી હૂંડિયામણ કૃષિક્ષેત્ર દેશ માટે મેળવી (કમાઈ) આપે છે.

આઝાદીના સમયે ભારતની કુલ નિકાસ-આવક પૈકી ની 70 % આવક માત્ર કૃષિક્ષેત્રેમાંથી મળી રહેતી હતી.

વર્ષ 2013-14 મુજબ દેશની કુલ નિકાસ-આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 14.2 % નોંધવામાં આવ્યો હતો.


જીવનધોરણ :

ભારતમાં અનાજની માથા દીઠ ઉપલબ્ધતા જે  1951માં દૈનિક 395 ગ્રામ હતી તે ભારતની વસ્તીમાં થયેલ ખૂબ ઝડપી વધારા છતાં વધીને વર્ષ 2013માં દૈનિક 511 ગ્રામ થઈ છે.


કૃષિ – ઉત્પાદનમાં વૃદ્ધિ

 

જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેકટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે.

ઔધોગિક વિકાસનો પાયો :

 અહીં એ નોંધનીય છે કે, આ 69 % ભારતીય વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિક્ષેત્ર છે. જેથી જ ગ્રામ્યક્ષેત્ર  ઔધોગિક ઉત્પાદનની વસ્તુઓ દા.ત., ટી.વી., ફ્રિજ, બાઈક, મોબાઇલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે.


કૃષિની નીચી ખેત-ઉત્પાદકતાના કારણો

ભારત ખેતી પ્રધાન દેશ છે છતાં, આ દેશમાં ખેતી-સંલગ્ન ઘણી સમસ્યાઓ

પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત-ઉત્પાદકતા છે.

જે  માટેના કારણભૂત પરિબળો નીચે મુજબ છે :

  1.  સંસ્થાકીય પરિબળો
  2.  ટેકનોલોજીકલ પરિબળો
  3.  અન્ય પરિબળો


સંસ્થાકીય પરિબળો :

આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતીક્ષેત્રે નીચી ખેત-ઉત્પાદકતા જોવા મળે છે.


જમીન મહેસુલ ઉઘરાવવાની પ્રથા : 

ખેત-ધિરાણ : 

તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતાં લોકો દ્વારા માત્ર 27 % ખેત-ધિરાણ પૂરું પાડવામાં આવે છે.

 કૃષિ પેદાશોની વેચાણ-વ્યવસ્થા : 

ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર  અંગેની જાણકારી, બજારભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિ જાણકારી વગેરે ન ધરાવતા હોઈ પોતાના ખેત-ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે. 


ગ્રામીણ સમાજ-વ્યવસ્થા : 


ટેકનોલોજીકલ પરિબળો :

 પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે.

અન્ય પરિબળો :

 વસ્તીનું ભારણ :

 આમ, ખેતીક્ષેત્ર પર રોજગારીનું  ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતીક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેચાતું હોઈ શ્રમની ઉત્પાદકતા ઘણી નીચે જોવા મળે છે.


આર્થિક આયોજનનો અભાવ : 

 ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય-ફાળવણી, ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતીક્ષેત્રને  આપેલ નથી.

સરવાળે એમ કહી શકાય કે, ભારતનું કૃષિક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી અને આ જ કારણથી ભારતના કૃષિક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે.

ખેત- ઉત્પાદકતા વધારવાના ઉપાયો

 ભારતના કૃષિક્ષેત્ર ની નીચી ખેત-ઉત્પાદકતા એ કૃષિક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિક્ષેત્ર ભારતના મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી  છે.

કૃષિક્ષેત્રની ખેત-ઉત્પાદકતા વધારવા ના ઉપાય નીચે મુજબ છે :

1. સંસ્થાકીય સુધારા 2. ટેકનોલોજીકલ સુધારા 3. અન્ય ઉપાય

સંસ્થાકીય સુધારાઓ:

 જમીનવિષયક સુધારાઓ:

જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત-ઉત્પાદનનો  મોટો ભાગ પ્રાપ્ત કરી શકે.


સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ : 

તેના અંતર્ગત  RRBs (Regional Rural Banks) પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને LDBs (Land Development Banks) જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો જેથી ભારતીય ખેડૂતોને સમયસર, પુરતું અને સસ્તું  ધિરાણ મળી શકે.

 

કૃષિપેદાશની વેચાણ-વ્યવસ્થામાં સુધારો :

 કૃષિપેદાશોની વેચાણ-વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાંઓ લેવામાં આવ્યા છે.

 (1) નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે.

 (2) ખેત-ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા ‘એગમાર્ક (AGMARK) = Agriculture Marketing) પ્રથા દાખલ કરવામાં આવી છે.

 (3) ખેડૂતો ખેત-પેદાશોનો સંગ્રહ કરી  શકે તે હેતુથી ‘ રાષ્ટ્રીય કોઠાર નિગમ’ અને  રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા છે.

 (4) ખેત-પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

 (5) ખેડૂતોને બજારના ભાવ ફેરફારોની સુરક્ષિત કરવાના હેતુથી ‘ તળિયાના ભાવ’ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે.

કૃષિ-સંશોધનો : 

આ ઉપરાંત કૃષિ – સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા, સામુહિક ગ્રામ-વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામવિકાસ યોજનાઓ,જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી  ખેત-ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે.

2. ટેકનોલોજીકલ સુધારાઓ:

તેથી ખેત વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આ સુધારાઓ નીચે મુજબ છે:

સુધારેલાં બિયારણો : 

 ભારતમાં અન્ન- ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન- ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને ‘કૃષિક્રાન્તિ’ ને સ્થાને ‘બીજકાંતિ’ (Seed Revolution)ના નામે પણ ઓળખવામાં આવે છે.

રાસાયણિક ખાતરનો વપરાશ : 

આ ઉપરાંત ખેડૂતોને નીચા ભાવે (સબસિડી ભાવે) ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સિંચાઈની સગવડમાં વધારો : 

 

ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર ‘સિંચાઈક્ષેત્ર વિકાસ યોજના’ અને ‘આંતર  માળખાકીય વિકાસ ભંડોળ’ ની રચના કરવામાં આવી છે.

યંત્રોનો ઉપયોગ:

આવાં યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા, ઉત્પાદકતા વધી છે.

જંતુનાશક દવાઓ : 

 

ભૂમિ-પરીક્ષણ : 

 અન્ય ઉપાયો :

આ ઉપરાંત ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન,  મરઘા-બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંશોધનોના વ્યાપક ઉપયોગથી પણ ખેતીક્ષેત્ર પરનું ભારણ ઘટે છે.


આધુનિક ખેતીના વિવિધ પાસાઓ   (Modern Agriculture):

જેના કારણે ખેત-ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો જેને એક પ્રકારની ક્રાંતિ ગણવામાં આવી. આ ક્રાંતિ ખેતીક્ષેત્રમાં ‘હરિયાળી ક્રાંતિ’ ના નામે ઓળખવામાં આવી.

હરિયાળી ક્રાંતિ (Green Revolution) :

 જેને ‘હરિયાળી ક્રાંતિ’ ના નામથી ઓળખવામાં આવે છે.આ  ઉપરાંત તેને ‘આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ’ અથવા  ‘બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પાકની ફેરબદલી (Multiple Cropping) 

(1) અનાજનો પાક અને (2) અનાજેત્તર પાક, જેને રોકડિયા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે.

 પાકની ફેરબદલી માટેના બે મુખ્ય કારણો છે : (1) ટેક્નોલોજિકલ પરિબળો (2)આર્થિક પરિબળો.

 ટેકનોલોજીકલ પરિબળો : 

ભારતના ઘણા રાજયોમાં સિંચાઈની સગવડોના આધાર પર શેરડી, તમાકુ જેવા પાક લેવામાં આવે છે. આમ, પાકની ફેરબદલી મૂડી, નવા બિયારણો, ખાતરો, ધિરાણની સગવડો વગેરેના આધારે શક્ય  બને છે.

 આર્થિક પરિબળો :

પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્ય ધરાવે છે. આ આર્થિક પરીબળો નીચે મુજબ છે :

(1) કિંમત અને આવક મહત્તમ બનાવવી (2) ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા (3) ખેતરનું કદ (4) વીમા-૨ક્ષણ (5) મુદત (જમીન માલિક પાસેથી મળેલ જમીનની મુદત) વગેરે.

 આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે-તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર હોય છે.

  પાકની  ફેરબદલીના કારણે વર્ષ 2010- 11માં અંદાજે અનાજનો પાક 66 % અને રોકડિયો પાક 34 % લેવાયેલ હતો. તેવું એગ્રિકલ્ચરલ સ્ટેટિકસ્ટિક્સ એટ અ  ગ્લાન્સના 2010-11 ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે જેના આધારે કહી શકાય છે.


પાક-સંરક્ષણ (Crop Protection) :


ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા-જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC (Central Insecticide Board and Registration Committee) કાર્યરત છે.

કૃષિ-સંશોધન (Agriculture Research):

 

  ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે. તેણે રાષ્ટ્રીય  અનાજ-પ્રાપ્તિ અને પોષણયુકત રક્ષણ મળી રહે તે માટે શક્ય તેટલા પ્રયત્નો પણ કર્યા છે.



Exit mobile version