Category: વાણિજ્ય વ્યવસ્થા

  • પાઠ-૨ સંચાલન ના સિદ્ધાંતો

    પાઠ-૨ સંચાલન ના સિદ્ધાંતો

        સંચાલનના સિદ્ધાંતો ( Principles of Management )

    • ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ષના શાસનમાં રાજય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યુહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે .
    • ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેયોલ , ગીલબ્રેથ , મેક્સ વેબર , ચેસ્ટર બર્નાડ , પીટર એફ. ડ્રકર અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકુળ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
    • હેરોલ્ડ કુંત્ઝએ સંચાલન વિચારધારાઓ ને જંગલ તરીકે ઓળખાવી છે.
    • હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી . માત્ર ધારણાઓ, રૂઢિમો અને અનુભવોનો નિચોડ છે .
    • ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો , સિદ્ધાંતો ઘડવા પડે છે , જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને . આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે .
    • માનવ વર્તણૂક અને ટેક્નોલોજી એવાં પરિબળો છે કે જે સમયાંતરે બદલાતાં રહે છે . આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે .
    • સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે .
    • સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુકિતઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રયુકિતઓ કે રીતો ( Methods and Techniques ) એ ધ્યેયસિદ્ધિ માટે લેવામાં આવેલાં વિવિધ પગલાં આનો સમૂહ છે ; જ્યારે સિદ્ધાંતો  એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગે ની માર્ગદર્શિકા છે .

     

    • સંચાલનના સિદ્ધાંતો નું સ્વરૂપ

    સંચાલનની કોઈ એક વિચારધારા નથી પરંતુ સંચાલન વિચારધારાનું જંગલ છે.- હેરોલ્ડ કુંત્ઝ

    • સ્વરૂપ ( Nature ) : સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી . આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે .
    • ( 1 ) સાર્વત્રિક સ્વીકૃતિ : સંચાલનના સિદ્ધાંતો . મોટા ભાગનાં ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે , જ્યાં જયાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે , ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે .
    • ( 2 ) પરિવર્તનશીલ : સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી , પરંતુ પરિવર્તનશીલ છે . સંચાલકને જયારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે .
    • ( 3 ) સામાન્ય માર્ગદર્શિકા : સંચાલનના સિદ્ધાંતા એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા – જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે . ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ , આવતી હોય છે.
    • ( 4 ) માનવ વતણૂંક પર આધારિત : સંચાલનમાં માનવ કેન્દ્રસ્થાને હોવાથી   સંચાલન ના સિદ્ધાંતો એ માનવ વર્તણુંક ઉપર મોટી અસર જન્માવે છે , સંચાલનના સિદ્ધાંતોને માંનવ વર્તણુંક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણુંક એ મનોવૈજ્ઞાનિક બાબત છે , જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે .
    • ( 5 ) આકસ્મિકતા : સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું  એક તત્ત્વ આકસ્મિકતા પણ છે . કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિધ્ધિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે.

    સંચાલનના સિદ્ધાંતો નું  સ્વરૂપ- 

    સાર:સાર્વત્રિક પરિવર્તન સામાન્ય માનવ આકસ્મિકતા

    Short: સાર્વ પરી સામા આકસ્મિક માનવ ss

    • સંચાલનના સિદ્ધાંતો નું મહત્વ

    “સિદ્ધાંત એટલે મૂળભૂત સત્ય અંગેનું વિધાન કે જે બે કે તેથી વધુ વિચલનો કે બનાવો વચ્ચે ના કારણ અને અસર  સંબંધ ના સંદર્ભમાં સ્થપાય છે”

    • મહત્ત્વ ( Importance ) : સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂંકને દીર્ધદષ્ટિ પુરી પાડે છે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે , સંચાલક ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે .આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશાસુચન કરે છે. આમ , સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
    • (1) સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો : સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે , જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે.
    • (2) સંસાધનો નો ઈષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ : ધંધાકીય એકમ મા પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે. તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે, ઈષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય.
    • (3) વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ :નિર્ણય હંમેશાં હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા;હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતા પૂર્ણ અને અસરકારક હોવા જોઈએ.
    • (4) બદલાતા જતા ધંધાકીય પર્યાવરણ ને પહોંચી વળવા : સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકિય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે.
    • (5) સામાજિક જવાબદારી અદા કરવા : ધંધો એ સમાજ નુ અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી, સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે.
    • (6) સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી : સંચાલનના સિદ્ધાંતો  સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે.                             

      સંચાલનના સિદ્ધાંતો નું મહત્વ: KSH ( કાર્યક્ષમતા)

      સાર:સંચા ksh માં વધારો અને સંસાનો ઇષ્ટ ઉપયોગ વૈજ્ઞાનિક રીતે કરી બદલાતા જતા સામાજિક સંશોધન માટે ઉપયોગી સંચા સિદ્ધ મહત્વ

      Short: સંચા સંસા  વૈજ્ઞા બદ સામા સંશો તાલી સંચા સિદ્ધ મહત્વ.

      સંચાલનની વિચારધારાઓ

    thoughts of managements

    સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો,અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલન વિચારધારાઓનો વિકાસ થયો છે. અનેક સંચાલન શાસ્ત્રીએ અલગ-અલગ મત આપી, જુદા-જુદા સિદ્ધાંતો આપ્યા છે. તેથી તેમાં પણ અનેક શાખા-પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારાઓ અથવા અભિગમો પણ કહેવામાં આવે છે.

    પ્રશિષ્ટ વિચાર ધારાઓ (Thoughts of Classical Theory) 

    • સંચાલનની વિચારધારાઓ માં 19 મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે.
    • પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલન શાસ્ત્રીઓ ફેડરિક ટેલર, મેક્સ વે બ૨, ગીલબર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે.
    • પ્રશિષ્ટ વિચારધારા માં ટેલરનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે.
    • વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધત્તિઓ ને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે.
    • વૈજ્ઞાનિક સંચાલન ના સિદ્ધાંત નું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતનપ્રથા, જવાબદારી અને કાર્ય ની વૈજ્ઞાનિક રીતે વહેચણી બાબત રહેલું છે.

    • પ્રશિષ્ટ વિચારધારા માં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે.

    • ઓગણીસમી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિ ને પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા.
       પરિણામે પ્રશિષ્ટ વિચાર ધારા ની કેટલીક મર્યાદાને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ.
    • તેની મર્યાદામાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજન ને વધુ સ્થાન, માનવીય અભિગમ ને ઓછું મહત્ત્વ તથા અવૈધિક સંબંધો ની અવગણના મુખ્ય છે.

    પ્રશિષ્ટ વિચારધારાઓ અંગે સવિસ્તાર સમજાવો:

    સાર:19 મી સદીના અંત સુધીમાં રજૂ થઇ તે, મુખ્ય પ્રણેતાઓ ફ્રેડ મેક્સ ગીલ હેનરી, ટેલર નો ફાળો, રૂઢિગત પદ્ધતિઓને બદલે વૈજ્ઞાનિક, મુખ્ય પ્રદાન વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથામાં રહેલું, હેનરી ફેયોલનું પ્રદાન નોંધપાત્ર, ધંધાકીય એકમો ના કદ-સ્વરૂપ બદલાતા,મુખ્ય મર્યાદા નાણાકીય ઉત્તેજનને મહત્વ,માનવીય અભિગમને ઓછું, અવૈધિક સંબંધોની અવગણના.

    નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ (Thoughts of Neoclassical Theory) :
    • સંચાલનની પ્રશિષ્ટ વિચાર ધારાની  કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાંક સંચાલન શાસ્ત્રીઓ એ તેમાં સુધારા કરી નવા અભિગમ પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે.

    • વીસમી સદીની શરૂઆત માં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો ના હોર્થોન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તેથી એલ્ટન મેયો ને નવ પ્રશિષ્ટ વિચારધારા પ્રણેતા કહે છે.
    • નવપ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે.
    • નવ પ્રશિષ્ટ વિચાર ધારા માં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્ત્વોનો ઉમેરો થયો.
    • આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેનસીસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગીરિસ, મે કગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાન કર્તા છે.
    • નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવવર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે.

    નવ પ્રશિષ્ટ સંચાલન ની વિચારધારાઓ: V૪ (વિચારધારા)

    સાર: પ્રશિષ્ટ વિચાર ધારાની  ખામીઓને દૂર કરી નવો અભિગમ પ્રસ્થાપિત,,વીસમી સદીમાં ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો પ્રણેતા,વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર,અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણાનો ઉમેરો,V ૪ના યોગદાનકર્તાઓ એલ્ટન મેયો, રેલિ,હર્ઝ, ક્રિસ, મેક અને માસ્લો,માનવ સંબંધો કે માનવવર્તનવાદી V ૪, સામાજિક તંત્ર V ૪ અને સામાજિક વ્યવસ્થા V ૪ મુખ્ય.

     

    વર્તન સંબંધિત વિચારધારા (Thoughts of Behaviour Related) :
    • સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે.

    • જેમ પ્રો. ઉર્વિક કહ્યું છે, ‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે’ તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
    • વર્તન સંબંધિત વિચારધારા, મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારી કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકે છે.
    • આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઇ હોય તેવું જણાય છે.

    વર્તન સંબંધિત વિચારધારા: 

     સાર: પ્રો. ઉર્વિક કહ્યું છે, ‘તમે તમારા માણસોને સાચવો,કર્મચારી કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર,અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક  આર્થિક પરિબળની અવગણના.

     

    આધુનિક વિચારધારા (Thoughts of Modern Management) :
    • ઇ. સ. 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું.
      પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ.
    • સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને કમ્યુટર ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ઉપયોગ ની પણ આ વિચારધારા માં હિમાયત કરવામાં આવી છે.
    • આ વિચારધારામાં કુન્તઝ, ઓ ડોનલ, જ્યોર્જ આર, ટેરી, જેવા સંચાલન શાસ્ત્રી એ પોતાનું પ્રદાન આપ્યું છે. આ ઉપરાંત પીટર એફ, ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રી એ પણ આ વિચારધારા માં ફાળો આપ્યો છે.

     

    ફ્રેડરિક ટેલર નો વૈજ્ઞાનિક સંચાલન નો સિદ્ધાંત

    frederick taylor scientific management

    • એફ. ડબલ્યુ ટેલરે સૌ પ્રથમવાર વૈજ્ઞાનિક સંચાલન નો સિદ્ધાંત રજૂ કર્યો, તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

    • રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. જેને હુકમનો નિયમ (Rule Of Thumb) કહે છે.
      મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયાં હતાં.
    • આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાવાય છે.

    • અર્થ : વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં, કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહ કાર્યકર્તા ઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે.
    • વ્યાખ્યા : વૈજ્ઞાનિક સંચાલન ની વ્યાખ્યા આપતાં ફ્રેડરિક ટેલર જણાવે છે કે, “તમે માણસો પાસે શું કરવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન.’

    ફેડરિક ટેલર પોતે પણ એક એન્જીનીયર હોવાને લીધે તેમના અભ્યાસ ને આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહિ મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતા થી કામ નહિ કરે.


    વૈજ્ઞાનિક સંચાલન ના સિદ્ધાંતો

    (1) વૈજ્ઞાનિક પદ્ધતિ : કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિનો ઉપયોગ નો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ.

    (2) આયોજન અને અમલીકરણ : રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજન નું કામ નિષ્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ.

    (3) કાર્ય-વિશ્લેષણ : ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણે ઉત્તમ છે. જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ નો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતા માં વધારો કરી શકાય.

    (4) પ્રમાણીકરણ :  પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે અગાઉથી થવી જોઈએ. ઓજારો સાધનો,સમય,કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે જરૂરી બને છે.

    (5) વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ : કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારી શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ  વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય.

    નાણાંકીય ઉત્તેજન : કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવાં જોઈએ.

    (7) કરકસર : વૈજ્ઞાનિક સંચાલન ના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતાં ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ.

    (8) માનસિક ક્રાંતિ : માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ.

    વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો: VSS (વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો)

    સાર: વૈજ્ઞાનિક આયોજન કરી કાર્ય પ્રમાણીકરણ પણ વૈજ્ઞાનિક કરવું નાણાકીય કરકસર કરી માનસિક ક્રાંતિ વૈસંચામાં લાવવી.

    Short: વૈજ્ઞા આયો કાર્ય પ્રમા વૈજ્ઞાનાણાં કર માન VSS

    વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો ની પ્રયુક્તિઓ
    • ગતિ નિરીક્ષણ : ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતાં, બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદભવતા બગાડ ને દૂર કરવાની પદ્ધતિ.

    • ગતિ નિરીક્ષણ નો મુખ્ય ઉપયોગ શ્રમના લધુત્તમ બગાડ ની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે.
    ફેડરિક ટેલરની ભિન્ન વેતન દર ની પદ્ધતિ

    કામદારો ને તેમના કામ ના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતનદરની પદ્ધતિ.


    ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથા ની હિમાયત કરી હતી.

    કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે.

    આ હકીકત ને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદન ના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતા વાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ,

    આ બાબત ધ્યાને રાખીને ટેલર ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે.

    હેનરી ફેયોલ ના સંચાલનના સિદ્ધાંતો

    સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એજીનીયર અને ઉદ્યોગપતિ હતા.
    તેમણે પોતાના પુસ્તક ‘ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન (Industrial and General Management)’માં આ સિદ્ધાંતોની રજૂઆત કરી,

    હેનરી ફેયોલ ઔદ્યોગિક સાહસ ની વહીવટી પ્રવૃત્તિઓ સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે છ ભાગમાં વહેંચી હતી.

    (1) ટેકનિકલ પ્રવૃત્તિઓ જેમાં કારખાના-યંત્રો તેમજ ઉત્પાદન ને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ
    થાય છે.
    (2) વાણિજ્ય પ્રવૃત્તિઓ જેમાં એકમ ની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
    (3) નાણાકીય પ્રવૃત્તિઓ જેમાં મૂડી પ્રાપ્તિ, મૂડી નો ઉપયોગ, ભંડોળ ની જાળવણી, પુનઃરોકાણ
    જેવી પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.
    (4)

    સંરક્ષણ પ્રવૃત્તિઓ

     

    જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ-સામાનની
    સલામતી વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
    (5) હિસાબી પ્રવૃત્તિઓ જેમાં નાણાકીય હિસાબો નાં પત્રકો, તેમજ જરૂરી આંકડાકીય માહિતી |
    મેળવવાની પ્રવૃત્તિઓ નો સમાવેશ થાય છે.
    (6) સંચાલકીય પ્રવૃત્તિઓ

    જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી
    પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

       

    હેનરી ફેયોલની  ઔદ્યોગિક સાહસ ની વહીવટી પ્રવૃત્તિઓ:

    સૂત્ર: ટેક વાણી નાણાં સંરક્ષણ  હિસાબી સંચા.

       

      હેનરી ફેયોલે  સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે-તે ઔદ્યોગિક એકમનાં સ્વરૂપને અનુરૂપ કામગીરી ની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે.

    Henri fayols 14 principles of management

    હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંત નીચે પ્રમાણે છે :
    (1) શ્રમ   વિભાજનનો સિદ્ધાંત (2) સત્તા અને જવાબદારી સિદ્ધાંત
    (3) શિસ્તનો સિદ્ધાંત (4) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત (5) દોરવણીની એકવાક્યતા નો સિદ્ધાં (6) સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન (7) કર્મચારીઓને યોગ્ય વેતન નો સિદ્ધાંત (8) કેન્દ્રીકરણ નો સિદ્ધાંત (9) સત્તા રૈખિક સાંકળનો સિદ્ધાંત          (10) વ્યવસ્થા સિદ્ધાંત(11) સમાનતાનો સિદ્ધાંત                      (12) સ્થિર કર્મચારીગણ નો સિદ્ધાં (13) પહેલવૃત્તિ નો સિદ્ધાંત          14) જૂથ ભાવનાનો સિદ્ધાંત

    હેનરી ફેયોલના  સંચાલનના સિદ્ધાંતો: 

    સૂત્ર: શ્રમ, સતા, શિસ્ત,હુકમ, દોર, સામાન્ય, કર્મ, કેન્દ્રી, સતા,વ્યવસ્થા, સમાન, સ્થિર, પહેલ, જૂથ.

    ઉપર્યુક્ત સિદ્ધાંતો રજૂ કરતાં શ્રી હેનરી ફેયોલ જણાવે છે કે, “આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે, આ સિદ્ધાંતોની
    સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે, તે એક શાણપણનું કામ છે.”

    હેનરી ફેયોલ ના સંચાલનના સિદ્ધાંતો

    (1) શ્રમ વિભાજન નો સિદ્ધાંત : શ્રમ વિભાજન ને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે.
    શ્રમવિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંત નો લાભ લેવો જોઈએ.

    (2) સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત : સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે.જવાબદારી વગર ની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે.

    જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવા જરૂરી છે.

    સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદો, જ્ઞાન, લાયકાત, અનુભવો, નેતૃત્વ ની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાને લેવા જોઈએ.

    (૩) શિસ્ત અંગેનો સિદ્ધાંત : ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે.

    શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ-ન્યાયી કરારો તેમજ શિક્ષા નો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે.

    (4) હુકમ ની એકવાક્યતા નો સિદ્ધાંત : કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહિ.

    તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી
    અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ.

    તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ
    એક જ અધિકારીનો જવાબદાર હોવા જોઈએ.

    હુકમની એક વાક્યતાના સિદ્ધાંત ને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી
    કોઈ પણ મુંઝવણ ઉભી થતી નથી,

    એક કરતાં વધુ અધિકારી દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં  મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી.

    (5) કર્મચારીઓને યોગ્ય વેતન નો સિદ્ધાંત : એકમ માં બધા જ કર્મચારીઓ
    એકસરખી કાર્યક્ષમતા થી કાર્ય કરતા હોતા નથી.

    એ કામમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે, જેઓ નિશ્ચિત
    કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે.

    તેઓને તેમની કાર્ય ક્ષમતા બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂરી
    ફેરબદલી દર ઘટે છે.

    (6) કેન્દ્રીકરણ નો સિદ્ધાંત : વ્યવસ્થા તંત્રમાં જેટલી અંશે સત્તાની સોંપણી થઇ નથી તેને
    કેન્દ્રીકરણ કહેવામાં આવે છે.

    કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો
    જરૂરી છે.
    (7) વ્યવસ્થા નો સિદ્ધાંત : આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે, માલ-સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા.

    માલ-સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી

    (8) સમાનતાનો સિદ્ધાંત : કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થા નો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે. તેથીતેની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે.

    અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાય પૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ.આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિકરૂપે વર્તન કરી
    એકમ માં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ.

    કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી,વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે.

    પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન

    પીટર એફ, ડ્રકર( 1909-2005 )ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા.

    પીટર એફ. ડ્રકરે  માનવ સંપત્તિ ને ધંધાકીય એકમ માં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી.

    પીટર એફ, ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન’ અને ‘સ્વનિયમન નો સિદ્ધાંત’ મુખ્ય છે,

    તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે.

    તેથી પીટર એફ. ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામા આવે છે.

    પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન:

    સાર: લેખક, ચિંતક અને કેળવણીકાર,માનવ સંપત્તિ ને ધંધાકીય એકમ માં વિશેષ મહત્વની હિમાયત,ધ્યેયલક્ષી સંચાલન’ અને ‘સ્વનિયમન નો સિદ્ધાંત’ મુખ્ય, માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માં મુખ્ય પ્રદાન,આધુનિક સંચાલનના પિતા.

                            Fast Forward : 

    •  સંચાલનના સિદ્ધાંતો અનુભવનો નિચોડ છે.
    • ટેકનોલોજીમાં ફેરફારને લીધે સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે.
    •  ફેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા છે.
    • 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઇ તે પ્રશિષ્ટ વિચારધારાઓ.
    • નવ પ્રશિષ્ટ વિચારધારા ના પ્રણેતા એલ્ટન મેયો હતા.
    • તમે તમારા માણસોને સાચવો… આ વિધાન પ્રો. ઊર્વિકે કર્યું હતું.
    • સી.કે. પ્રહલાદ નું પ્રદાન આધુનિક વિચારધારા માં રહેલું છે.
    • સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર હેનરી ફેયોલ હતા.
    • કોઈપણ કાર્યમાં થી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિને ગતિ નિરીક્ષણ કહે છે.
    • ધ્યેયલક્ષી સંચાલન ના સિદ્ધાંત ના પ્રણેતા પીટર એફ. ડ્રકર હતા.
    • શ્રમવિભાજન ના  અમલ દ્વારા વિશિષ્ટીકરણ શક્ય બને છે.
    • જો કર્મચારીને તેમની કાર્યક્ષમતા નો યોગ્ય બદલો ન મળે તો મજૂર ફેરબદલી દરમાં વધારો થાય છે.
    • સંચાલનના સિદ્ધાંતો નિર્ણય ઘડતરની માર્ગદર્શિકા છે.
    • મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો એ હોથોન  પ્રયોગો કર્યા હતા.
    • આધુનિક સંચાલન ના પિતા નું બિરુદ મેળવનાર પીટર ડ્રકર હતા.
    • સંચાલન વિચારધારાઓને હેરોલ્ડ કુંત્ઝ એ  જંગલ તરીકે ઓળખાવી છે.
    • વર્તનવાદી વિચારધારાને હોથોન  પ્રયોગોએ જન્મ આપ્યો.
    • જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક નો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ.
    • કોઈપણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારી ને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ એટલે હુકમની એકવાક્યતા.
    • વર્તન સંબંધિત વિચારધારામાં આંતર માનવીય સંબંધો, નેતૃત્વ, અભિપ્રેરણ, માહિતી સંચાર અને ઔદ્યોગિક ઝઘડાઓના  નિકાલ વગેરે નો સમાવેશ થાય છે.
    • આધુનિક વિચારધારા માં સંચાલનને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને I.T જેવા વિષયો સાથે અનુબંધ છે.
    • પ્રશિષ્ટ વિચારધારા માં ફેડરિક ટેલર નો ફાળો ખૂબ જ મહત્વના છે.
    • પ્રશિષ્ટ વિચારધારા ની મુખ્ય મર્યાદા નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન અને માનવીય અભિગમને ઓછું મહત્ત્વ છે.
    • નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તન લક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે.
    • આધુનિક સંચાલનની વિચારધારામાં કુન્તઝ, ઓડોનલ, જ્યોર્જ આર, ટેરી, પીટર એફ, ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીએ આ વિચારધારા માં ફાળો આપ્યો છે.
    • નવપ્રશિષ્ટ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેનસીસ લિકર્ટ, હર્ઝબર્ગ, આર્ગીરિસ, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાન કર્તા છે.
    • પીટર. એફ.  ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી.
    • પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા ફેડરિક ટેલર, મેક્સ વેબ૨, ગીલબર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે.

     

     

    .

     

     

     

     

     

     

     

     





     

     

     

     

  •  std 12 B.A. પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

     std 12 B.A. પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

    •  વિદ્યાર્થીમિત્રો શું આપ થિયરીના વિષયોથી લઈને ખૂબ જ ચિંતિત છો?
    • શું આપને થિયરીના લાંબા લાંબા પ્રશ્નો પાકા કરવા ખૂબ અઘરા લાગે છે?

    આપની ચિંતા અને સમસ્યાઓનો હવે અંત આવી ગયો છે. આપની સમક્ષ અમે એક એવી અદભુત પદ્ધતિ લાવ્યા છીએ જેનું નામ છે: “SHORT GOLDEN METHOD”

    • આ પદ્ધતિ મુજબ તમારે એટલું જ પાકું કરવાનું છે જેટલું જરૂરી છે.
    • આ પધ્ધતિમાં દરેક પ્રશ્નોના જવાબ ની ભાષાને ખુબ જ સરળ બનાવી દેવામાં આવી છે.
    • ઘણીવાર વિદ્યાર્થીઓને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે લાંબા જવાબોમાં કેટલું પાકુ કરું અને કેટલું ન કરું?. આમ કરવા જતા તેનાથી અગત્ય ના વાક્યો પાકા કરવાના રહી જાય છે. જેમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે.
    • આ પદ્ધતિમાં અમે વિભાગ A વિભાગ B તેમજ વિભાગ C ના તમામ પ્રશ્નો ના જવાબો જ્યાં વિસ્તૃત પ્રશ્નોમાં સમાયેલા હોય તેને તમારા માટે ખૂબ જ આકર્ષક રીતે અલગથી તારવેલ છે.
    • આપેલા પાઠના  જવાબો માં જ્યાં બ્લૂ રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે  તે વિભાગ A તેમજ વિભાગ B માટેની અગત્યની લાઈનો છે.
    • જ્યા કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવેલો છે તે વિભાગ C ના પ્રશ્નના જવાબો છે.
    • તમારી સરળતા માટે દરેક વિસ્તૃત પ્રશ્નના જવાબ ને સહેલાઇથી યાદ રાખવા માટે જ્યાં જરૂરી હોય ત્યાં સૂત્રો પણ આપેલા છે.
    • ઘણા પ્રશ્નો ના જવાબ ના અંતે keywords પણ આપેલા છે.
    • તફાવત ના પ્રશ્નો માં જુદા જુદા રંગો નો ઉપયોગ કરવામાં આવેલો છે. જે વિભાગ A-B-C ને લાગુ પડતો નથી.

     

    “SHORT GOLDEN METHOD” ના ફાયદા

    • ખૂબ જ થોડા સમયમાં તમે ઘણું બધું પાકું કરી શકશો.
    • તમારો કીમતી સમય બચશે.
    • પરીક્ષામાં આની બહારનું લગભગ કંઈ જ નહીં પુછાય.
    • તમારા હાથમાં readymade most imp content રહેશે.
    • પરીક્ષા વખતે ફાસ્ટ રીવીઝન કરવામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
    • તમે આ પદ્ધતિથી નિશ્ચિત ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી શકશો એમાં શંકાને કોઇ સ્થાન નથી.
    • જુદા જુદા રંગો, સૂત્ર ,તેમજ keywords ના ઉપયોગથી તમે ગમે તેવા પ્રશ્નો ના જવાબ ખૂબ જ ઝડપથી પાકા કરી શકશો.
    • આ પદ્ધતિથી એકવાર ફક્ત એક પાઠ તૈયાર કરી જુઓ અને પછી જુઓ ચમત્કાર!!!!

     

               

    વાણિજ્ય વ્યવસ્થા

                      

              સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

    Nature of management

    ધંધાકીય એકમો માં વિવિધ પ્રકારના નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે.
    કુંત્ઝ અને ઓડોનેલના જણાવ્યા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા.
    Livingston ના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે.

            સંચાલનનુ સ્વરૂપ (લાક્ષણિકતાઓ)

    “સંચાલન એ ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી.”
    • સર્વ વ્યાપી પ્રવૃત્તિ: સંચાલન સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ જોવા મળે છે.
    • હેતુલક્ષી પ્રવૃત્તિ: સંચાલન એ એક સાધન છે સાધ્ય નથી દરેક એકમ ની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે.
    • જૂથ પ્રવૃત્તિ: સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે.
    • સતત ચાલતી પ્રવૃત્તિ: સંચાલનનું ઘ્યેય સિદ્ધ  થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ નું ચક્ર સતત ચાલ્યા જ કરે છે.
    • માનવીય પ્રવૃત્તિ: સંચાલનમાં માનવ તત્ત્વનું સ્થાન મહત્વનું છે. સંચાલનમાં માનવી કેન્દ્રસ્થાને છે. તેથી તે માણસ માટે, માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે.
    • નિર્ણય પ્રક્રિયા: સંચાલન કરતાં સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે ત્યાર પછી તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે.
    • વિજ્ઞાન, કળા અને વ્યવસાય: સંચાલનમાં ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોવાથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે.સંચાલનમાં માનવ પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. જેને કામ લેવાની કળા તરીકે ઓળખી શકાય. આધુનિક સમયમાં વકીલ ડોક્ટર સીએ ની જેમ સંચાલકોએ પણ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. આમ સંચાલન એક વ્યવસાય પણ છે.

    સૂત્ર: સર્વ હેતુ જૂથ સતત માનવીય નિર્ણય વિજ્ઞાન.

                     સંચાલનનુ મહત્વ

    “સંચાલન એ ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી તો પણ તેનું મહત્વ જરાય ઓછુ તો નથી જ.”
    • દરેક ક્ષેત્રમાં જરૂરી: સંચાલન ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમત-ગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે.
    • સાધનો નો ઈષ્ટતમ ઉપયોગ: સંચાલન ને લીધે જમીન મૂડી કાચોમાલ કર્મચારીઓ અને યંત્ર આ બધાનો ઈષ્ટતમ ઉપયોગ શક્ય બને છે.
    • ધ્યેય સિદ્ધિ: સંચાલન ને લીધે સાધનોનો ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના જઈને સિદ્ધ કરી શકાય છે.
    • ધંધાની સફળતા માટે ઉપયોગી: ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે.નાના પાયાના ઔદ્યોગિક એકમ જો મોટા ઔદ્યોગિક એકમ નું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલન ને ફાળે જાય છે.
    • રોજગારીની તકોમાં વધારો: જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે જેથી રોજગારી ની તકો વધે છે.
    • નફામાં વૃદ્ધિ: કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. નફો જ ધંધા ની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે.
    • સામાજિક લાભ: દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે.
    • રાષ્ટ્રીય હેતુ:  રાષ્ટ્રની વણવપરાયેલી માનવ સંપતિ અને વણવપરાયેલ ઉત્પાદનના સાધનો મહત્તમ ઉપયોગ તો જ  થઈ શકે જો કાર્યક્ષમ સંચાલન હોય.
    • આમ સંચાલન દ્વારા સામાજિક,આર્થિક,રાજકીય,માનવમૂલ્યો વગેરે ક્શેત્રોનો વિકાસ થાય છે.

     સંચાલનનુ મહત્વ:

    સાર: દરેક સાધનોનો ઉપયોગ ધ્યેય સિદ્ધિ તેમજ ધંધાની રોજગારીની નફામાં વૃદ્ધિ અને સામાજિક રાષ્ટ્રીય હેતુ માટે  સંચામ (સંચાલનનુ મહત્વ) હોય છે.

    સૂત્ર: દરેક સાધનોનો ધ્યેય  ધંધાની રોજગારી નફામાં સામા રાષ્ટ્રીય  સંચામ 

    સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય.

    “સંચાલન એ ભૌતિકશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી કે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી તો પણ તેનું મહત્વ જરાય ઓછુ તો નથી જ.”

    સંચાલન એક વિજ્ઞાન છે: વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે માંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્ય-કારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તે વિજ્ઞાન છે.

    “વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે”- જ્યોર્જ. ટેરી

    સંચાલન એક કળા છે: જ્ઞાન ને અમલમાં મુકવાની સરળ પદ્ધતિ એટલે કળા. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું  નૈ પુણ્ય કે કૌશલ્ય.

    “કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે”-  જ્યોર્જ. ટેરી
    • સંચાલન એક વ્યવસાય છે: કોઇપણ ક્ષેત્રનું  વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિ ને વ્યવસાય કહે છે. ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેરો વગેરે વ્યવસાયી વ્યક્તિઓ છે.
    • વિશિષ્ટ પ્રકારના જ્ઞાન ની જરૂર: વ્યવસાય ના પ્રકાર પ્રમાણે વિશિષ્ટ જ્ઞાન ની જરૂર પડે છે. વકીલના વ્યવસાય માટે LL.B ની પદવી મેળવવી પડે છે. ડોક્ટરના વ્યવસાય માટે M.B.B.S,M.D કે M.S ની પદવી મેળવવી પડે છે. સંચાલનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે B.B.A(Bachelor of Business administration) M.B.A.(Master of Business Administration) ની પદવી મેળવવી પડે છે.
    • જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન:દરેક વ્યવસાય ની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવા ને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે.
    • વ્યવસાયી મંડળો: વિવિધ વ્યવસાયના ક્ષેત્રોની જેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળ હોય છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા I.I.M.(Indian institute of management) છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે.
    • આચારસંહિતાનું પાલન: દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચારસંહિતા ઘડે છે. દરેક સભ્યોએ તેનું પાલન કરવાનું ફરજિયાત હોય છે.
    • નૈતિક જવાબદારી: દરેક વ્યવસાયી વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી નિભાવે તે જરૂરી છે.

    સંચાલન એક વ્યવસાય છે- સમજાવો

    સૂત્ર: વિશિષ્ટ જ્ઞાન માં વ્યવસાયી આચાર નૈતિક

    સંચાલનની વિવિધ સપાટીઓ Level Of Management

    સંચાલનની મુખ્ય ત્રણ સપાટીઓ છે (૧) ઉચ્ચ સપાટી સંચાલન (૨) મધ્ય સપાટી સંચાલન (૩) તળ સપાટી સંચાલન

    ઉચ્ચ સપાટી સંચાલન: એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સતા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે.

    સમાવેશ: ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર મુખ્ય વહીવટી અધિકારી (chief executive officer-C.E.O.) નો સમાવેશ થાય છે.

    ઉચ્ચ સપાટી નું અન્ય નામ: આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે.

    • ઉચ્ચ સપાટી ના કાર્યો:

    • મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા.
    • ટ્રસ્ટી તરીકે નું કાર્ય કરવું.
    • ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરી તેને સત્તા અને જવાબદારી સોંપવી.
    • વિવિધ વિભાગોના અંદાજપત્ર મંજૂર કરવા.
    • વ્યૂહાત્મક નિર્ણય લેવા.
    • જટિલ સમસ્યાઓનો કાનૂની જોગવાઈ મુજબ ઉકેલ લાવવો.
    • જુદી જુદી યોજનાઓ ના ઘડતર, અમલીકરણ, અને દેખરેખનું કાર્ય કરવું.
    • નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફા નું પુનઃ રોકાણને લગતા કાર્યો કરવા.

    સાર : ઉચ્ચ સપાટી સંચાલન ના કાર્યો:  DHNA( ધંધાકીય એકમના) ANDJ (અંદાજપત્ર) AY (આયોજન)

    DHNA ના  મુ-ગૌ નક્કી કરવા, DHNA ના ટ્રસ્ટી,DHNA ના  ઉચ્ચઅધિની નિમણૂક,ANDJ ને મંજૂરી, વ્યૂહાત્મક નિર્ણય,જટિલ સમસ્યાઓનો ઉકેલ, યોજના ઘડી અમલ અને દેખરેખ, નફાની વહેંચણી,ડીવી, અના, પુનઃ રોકાણ.

    મધ્ય સપાટી સંચાલન:

    મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની સાંકળની એક મહત્વની કડી છે.

    સમાવેશ: આ સપાટીમાં ખાતા વાર અધિકારીઓ વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. દા. ત., ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે.

    મધ્ય સપાટીનું અન્ય નામ: આ સપાટી ને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

    મધ્ય સપાટી ના કાર્યો:

    • મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમ અને સૂચનાઓનો અમલ કરવો.
    • પોતાના વિભાગ ના અંદાજપત્ર તૈયાર કરી ઉચ્ચ સપાટી એ મોકલવા.
    • કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા.
    • અન્ય વિભાગો સાથે સતત સંપર્કમાં રહેવું.
    • પેટા વિભાગના કાર્યો પર ધ્યાન રાખવું.
    • ઉચ્ચ સપાટી સંચાલનને નીતિવિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું.

    સાર : મધ્ય સપાટી સંચાલન ના કાર્યો: KRM (કર્મચારી)

    હુકમ અને સુચનાઓનો અમલ, ANDJ તૈયાર કરી રજુ કરવા,  કાર્યદક્ષતા અને અસરકારકતા વધારવી,KRM નો જુસ્સો વધારવો, સતત સંપર્ક,પેટા વિભાગના કાર્યો પર ધ્યાન, નીતિવિષયક નિર્ણયોમાં મદદરૂપ થવું.

    તળ સપાટી સંચાલન:સંચાલનની ઉચ્ચ સપાટી એ લીધેલા નિર્ણય અને નીતિનું અમલીકરણ નું કાર્ય આ સપાટીએ થતું હોય છે.

    સમાવેશ: સંચાલનની આ સપાટી માં નિરીક્ષકો, જોબર, અને ફોરમેનોનો સમાવેશ થાય છે.

    તળ સપાટી નું અન્ય નામ: આ સપાટી ને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી તેમજ કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

    તળ સપાટી ના કાર્યો:

    કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું.

    કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા.

    પોતાના વિભાગના રોજિંદા કાર્યો નું આયોજન કરવું.

    કર્મચારીઓ ને લગતા કાર્યો કરવા. દા.ત. બદલી, બઢતી,તાલીમ વગેરે.

    મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સુચનાઓનો અમલ કરવો.

    યંત્રો ની ગોઠવણી, યંત્રોનું સમારકામ અને જાળવણી ને લગતા કાર્યો કરવા.

    કામદારોને કાર્ય કરવા માટે સાધનસામગ્રી, કાચોમાલ વગેરે પૂરા પાડવા.

    ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો.

    સાર: તળ સપાટી ના કાર્યો: KMD (કામદાર) BBT (બઢતી, બદલી, તાલીમ) MVA (મુખ્ય વહીવટી અધિકારી અધિકારી)

    KMD ના કાર્યનું નિરીક્ષણ, KMD માં શિસ્ત જુસ્સો વધારવા, રોજિંદા કાર્યો નું AY કરવું,KRM ને લગતા કાર્યો BBT, MVA પાસેથી પ્રાપ્ત થયેલ સૂચનાઓ અને હુકમોનો અમલ , યંત્ર સમારકામ જાળવણી કરવી,KMD ને સાધનસામગ્રી કાચો માલ પુરા પાડવા, નિર્ણયો નીતિઓનો અમલ.

        1. ક્રમ મુદા ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટી
          (૧) સંચાલન અને વહીવટ સંચાલન નું પ્રમાણ વધુ અને વહીવટ નું પ્રમાણ ઓછું હોય છે. સંચાલન નું પ્રમાણ ઓછું અને વહીવટ નું પ્રમાણ વધુ હોય છે. સંચાલન નું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટ નું પ્રમાણ સૌથી વધુ હોય છે.
          (૨) સમાવેશ આ સપાટીમાં સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર નો સમાવેશ થાય છે. આ સપાટીમાં વિભાગીય અધિકારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સપાટીમાં નિરીક્ષકો જોબર અને ફોરમેન નો સમાવેશ થાય છે.
          (૩) સત્તા અને જવાબદારી સત્તા અને જવાબદારી બંને નું પ્રમાણ વધુ હોય છે. સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી હોય છે. સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું, જવાબદારીનું પ્રમાણ અમુક પેટાવિભાગ પૂરતું હોય છે.
          (૪) સંખ્યા ઉચ્ચ સપાટી માં કર્મચારીઓની સંખ્યા ઓછી હોય છે. ઉચ્ચ સપાટી કરતા મધ્ય સપાટીમાં કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે. ઉચ્ચ અને મધ્ય સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે.
          (૫) લાયકાત સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે. વિશિષ્ટ જ્ઞાન ની જરૂર છે. વિશિષ્ટ જ્ઞાન ની જરૂર છે.
          (૬) નિર્ણયો આ સપાટી ના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દુરોગામી હોય છે. આ સપાટીના નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે. આ સપાટી ના નિર્ણય ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે.
    ઉચ્ચ સપાટી  મધ્ય સપાટી તળ સપાટી સંચાલન નો તફાવત:  SHORT

    U.S (૧) સંચાલન નું પ્રમાણ વધુ વહીવટ નું પ્રમાણ ઓછું

    M.S (૨) સંચાલન નું પ્રમાણ ઓછું વહીવટ નું પ્રમાણ વધુ.

    T.S (૩)  સંચાલન નું પ્રમાણ ખૂબ ઓછું વહીવટ નું પ્રમાણ સૌથી           વધુ.

    (૧) સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર નો સમાવેશ.

    (૨) ખાતાના વિભાગીય અધિકારીઓ, નિષ્ણાત અધિકારીઓનો સમાવેશ

    (૩) નિરીક્ષકો, જોબર અને ફોર મેનનો સમાવેશ.

    (૧) સત્તા અને જવાબદારી બને નું પ્રમાણ વધુ.

    (૨) સતા પ્રમાણમાં ઓછી જવાબદારી વિભાગ પૂરતી.

    (૩) સતાનું  પ્રમાણ ખૂબ ઓછું જવાબદારી પેટાવિભાગ પૂરતી.

    (૧) કર્મચારીઓની સંખ્યા ઓછી.

    (૨) ઉચ્ચ સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા વધુ.

    (૩) ઉચ્ચ, મધ્યમ સપાટી કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ વધુ

    (૧) સર્વગ્રાહી કૌશલ્યની જરૂર.

    (૨) વિશિષ્ટ  જ્ઞાનની જરૂર.

    (૩) પોતાના વિભાગ અને પેટા વિભાગ પૂરતા જ જ્ઞાનની જરૂર.

    (૧) નિર્ણય વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી.

    (૨) નિર્ણય પ્રમાણમાં ઓછો જોખમી અને ઓછા દૂરોગામી.

    (૩) નિર્ણય ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી.

    સંચાલન ના કાર્યો નું વર્ગીકરણ

    કુંતઝ અને ઓડોનેલે સંચાલનના પાંચ કાર્યો દર્શાવ્યા છે: ૧. આયોજન ૨. વ્યવસ્થાતંત્ર ૩. કર્મચારી વ્યવસ્થા ૪. દોરવણી ૫. અંકુશ

    હેનરી ફેયોલ ના સંચાલન કાર્યો નું વર્ગીકરણ:. ૧. આયોજન ૨. વ્યવસ્થાતંત્ર ૩. આદેશો આપવા ૪. સંકલન ૫. અંકુશ

    પીટર ડ્રકર ના સંચાલન ના કાર્યો: ૧. ધંધા નું સંચાલન

    ૨. સંચાલકો નુ સંચાલન ૩. કામદારો અને કામ નું સંચાલન.

    ડો. જ્યોર્જ આર. ટેરી ના સંચાલન કાર્યો: ૧. આયોજન ૨. વ્યવસ્થાતંત્ર ૩. દોરવણી ૪. અંકુશ

    લ્યુથર ગ્યુલિકે સંચાલન ના સાત કાર્યો દર્શાવ્યા છે.

                           સંચાલન ના કાર્યો

    ૧. આયોજન: નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય, કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનો છે અને કાર્ય ક્યારેય પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવા આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા ને આયોજન કહે છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન.સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો છે.

    “ભગવાન પણ ભૂત કાળ ને બદલી શકતો નથી પરંતુ માનવી ભવિષ્ય બદલી શકે છે.( Even God cannot change the past but man can change the future)”

    ૨. વ્યવસ્થાતંત્ર (પ્રબંધ): સમાન હેતુની સિદ્ધિ માટે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારી ની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે.

    આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારીત ધ્યેય સિદ્ધ કરવા માટે એકમની  પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં જુદા-જુદા માનવ જૂથ વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેચણી કરવામાં આવે છે જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે. આયોજન એ ધંધાકીય એકમ નું મગજ છે જ્યારે વ્યવસ્થાતંત્ર એ શારીરિક માળખું છે.

    ૩. કર્મચારી વ્યવસ્થા: “ Employees are arms and legs of unit.”

    કર્મચારીઓ એકમના હાથ-પગ છે

    ડો. જ્યોર્જ. આર. ટેરી ના મત મુજબ કર્મચારી વ્યવસ્થા નો ઉદ્દેશ્ય સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઉભુ કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે.જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય કર્મચારીઓ વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈપણ એકમ ની પ્રવૃત્તિ અને સફળતાનો આધાર કર્મચારીઓ પર રહેલો છે.વર્તમાન સમયમાં માનવશક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થા માં કરવામાં આવે છે.

    ૪. દોરવણી:કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. દોરવણી સંચાલનની દરેક સપાટી એ  અને સતત ચાલતી પ્રક્રિયા છે.

    ૫. અંકુશ: પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ્ય વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ.નિર્ધારિત ધ્યેયો ને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવા ના કાર્યો અને અંકુશ કહે છે. અંકુશ  એ સંચાલનનું અંતિમ કાર્ય છે.

    સાર:સંચાલન ના કાર્યો: આયોજન કરી વ્યવસ્થાતંત્રમાં કર્મચારી વ્યવસ્થા જાળવી,દોરવણી આપી તેમના પર અંકુશ રાખવો.

                                 સંકલન:

    co ordination

    અર્થ: ધંધાકીય એકમ ના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવા ના કાર્યને સંકલન કહે છે.સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે આયોજન થી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. સંકલનથી એકમ નું કોઇ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે.

    • સંકલન ની લાક્ષણિકતાઓ:
    • આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલન ની જરૂર પડે છે.
    • સંકલન સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે.
    • સંકલન ની સફળતા માટે માહિતીસંચારની વ્યવસ્થા કાર્યક્ષમ  હોવી જોઈએ.
    • સહકાર વગર સંકલન શક્ય નથી.
    • સંકલન ને સંચાલન નો આત્મા કહે છે.

    સાર: સંકલનની લાક્ષણિકતાઓ: 

    આયોજનથી અંકુશ સુધી  જરૂર પડે,સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય માહિતી સંચાર વ્યવસ્થા કાર્યક્ષમ,સહકાર વગર સંકલન શક્ય નથી,ધંધાકીય એકમના સાધનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા, સંકલનને સંચાલન નો આત્મા કહે છે.

    •    સંકલન નુ મહત્વ:
    • સંકલનથી સંચાલન ના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી ,અંકુશ વગેરે અસરકારક બને છે.
    • સંકલનથી એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે.
    • સંકલનથી એકમનું  કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી.
    • સંકલનથી એકમના જુદાજુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે.
    • એકમના કાર્યો વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલન ને લીધે શક્ય બને છે.
    • એકમના નક્કી કરેલા હેતુ ઓને  સિદ્ધ કરી શકાય છે.
    સંકલન નુ મહત્વ: SHORT

    સંચાલન ના જુદા જુદા કાર્યો અસરકારક ,એકમના બધા કાર્યો સરળતાથી, કોઈ કામ રહી જતું નથી કે બેવડાતું નથી,એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા કાર્યોના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય,એકમના નક્કી કરેલા હેતુ ઓને સિદ્ધ કરી શકાય છે.

    સંચાલન ના કાર્ય વિસ્તારો: સંચાલન ના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે: ૧. માર્કેટિંગ (બજારીય) સંચાલન. ૨. માનવ સંસાધન સંચાલન.

    ૩. નાણાકીય સંચાલન ૪. ઉત્પાદન સંચાલન.

    માર્કેટિંગ (બજારિય)સંચાલન: માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટીંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના  વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણવૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતો નો આમાં સમાવેશ થાય છે.

    બજાર સંચાલન નો મુખ્ય હેતુ:

    • બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે.
    • તેને માલ કે સેવામાં ફેરવી આખરી ઉપભોક્તા કે ગ્રાહક તરફ લઈ જવામાં આવે છે.
    • બજાર સંચાલનમાં વ્યવસ્થાતંત્ર ને મળી શકતા સાધનોનો ઈષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર ભાર મુકવામાં આવે છે.
    • બજાર સંચાલન ના મુખ્ય તત્વ તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ તેમજ  પેકેજીંગ નો સમાવેશ થાય છે.

    માર્કેટિંગ (બજારીય) સંચાલન ના કાર્યો:

    The-Four-Ps-of-Marketing

    • પેદાશ અથવા પેદાશ મિશ્ર:આમાં પેદાશના રૂપ,રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણ નો સમાવેશ થાય છે.
    • કિંમત: કિંમત અંગેના નિર્ણય માં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ ,જથ્થાબંધ અને છૂટક વેચાણ, મધ્યસ્થીઓ નું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે.
    • વિતરણ: વિતરણ અંગેના નિર્ણય માં પોતાની દુકાનો દ્વારા વેચાણ જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છુટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન-વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે.
    • અભિવૃદ્ધિ: જેમાં માલ ની જાહેરાત કરવી, પ્રસિદ્ધ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

    માર્કેટિંગ (બજારીય) સંચાલન ના કાર્યો SHORT : P K V ABH

    પેદાશ, કિંમત ,વિતરણ,અભિવૃદ્ધિ.

    માનવ સંસાધન સંચાલન નો અર્થ અને લાક્ષણિકતાઓ:

    human-resources-management-masters-degree-program

    અર્થ: માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમ માં કામ કરતા કર્મચારીઓનું  કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો-અણગમો ,વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઇ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતા ના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા.

    લાક્ષણિકતાઓ:

    • માનવ સંસાધન સંચાલન માં કર્મચારીઓની ભરતી, પસંદગી ,તાલીમ, વિકાસ, બઢતી,બદલી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે.
    • આમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેય ને ધ્યાનમાં રાખી કંપનીનું ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે.
    • કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી સંચાલન કરવામાં આવે છે.
    • કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
    • કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.

    સાર: માનવ સંસાધન ની લાક્ષણિકતાઓ: BH P T  B B V D (ભરતી, પસંદગી, તાલીમ, બઢતી-બદલી,વિકાસ દોરવણી)  FERB (ફેરબદલી દર)

    KRM ની BH P T B B D ના કાર્યો કર્મચારી ના વ્યક્તિગત ધ્યેયને  સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવા.KRM ને અમુલ્ય મિલ્કત સમજી તેનું સંચાલન કરવુ, KRM ને T આપી તેનો V કરવો,યોગ્ય સંચાલન દ્વારા FERB ઘટાડવો,KRM ને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું.

    માનવ સંસાધન સંચાલન નું મહત્વ:

    • કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
    • એકમની નફાકારકતામાં વધારો થાય છે.
    • એકમ ની પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
    • ઉત્પાદનના સાધનો નો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.
    • કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.
    • કર્મચારીઓના સંતોષ માં વધારો થાય છે.
    • કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે.
    • વસ્તુ કે સેવા ની ગુણવત્તાના ઉંચા ધોરણો જળવાય છે.

     સાર: માનવ સંસાધન સંચાલન નું મહત્વ:

    કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો, એકમની નફાકારકતામાં વધારો, એકમ ની પ્રતિષ્ઠામાં વધારો, ઉત્પાદન ના સાધનો મહત્તમ ઉપયોગ ફેરબદલી દરમાં ઘટાડો, કર્મચારીઓના સંતોષમાં વધારો,જૂથ ભાવનાનો વિકાસ,વસ્તુ કે સેવા ની ગુણવત્તાના ઉંચા ધોરણો

    નાણાકીય સંચાલન: ધંધાકીય એકમમાં નાણું એ જીવન દાતા રક્ત સમાન છે. ધંધા ની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે.

    અર્થ: નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાનો ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણી નું કાર્ય.

    Financial-Management

    નાણાકીય સંચાલન ના કાર્યો:

    • નાણાની જરૂરિયાતો અંદાજવી.
    • સમયની દ્રષ્ટિએ નાણાનો આયોજન કરવું.
    • અંદાજપત્ર બનાવવું.
    • આવકની ફાળવણી કરવી.
    • નાણાના પ્રાપ્તિસ્થાનો પસંદ કરવા.
    • નાણા મેળવવા કાર્યવાહી કરવી.
    • મેળવેલા નાણાનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું.
    • નાણાકીય નીતિ નક્કી કરવી.

    નાણાકીય સંચાલન ના કાર્યો: 

     જરુરિયાતોનો  અંદાજ, સમયની દ્રષ્ટિએ આયોજન, અંદાજપત્ર બનાવવું, આવકની ફાળવણી,  નાણાના પ્રાપ્તિસ્થાનો પસંદ કરવા, નાણા મેળવવા કાર્યવાહી ,નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું, નાણાકીય નીતિ નક્કી કરવી, 

    ઉત્પાદન સંચાલન: કુદરતમાંથી પ્રાપ્ત થતાં કાચાં માલસામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન.

    અર્થ: ઉત્પાદન સંચાલનએ  ઉત્પાદન નું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની ,સંકલન સાધવાની ,દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે.

    ઉત્પાદન સંચાલન ના કાર્યો:

    • ઉત્પાદન આયોજન કરવું
    • ઉત્પાદન સંશોધન કરવું.
    • વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રણની પસંદગી કરવી.
    • ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી.
    • ધંધાના સ્થાનની પસંદગી કરવી.
    • ઉત્પાદન અંકુશ રાખવો.
    • ગુણવત્તા અંકુશ જાળવવો.
    • ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરલી કરણ  દાખલ કરવું.
    સાર: ઉત્પાદન સંચાલન ના કાર્યો: 
    ઉત્પાદન આયોજન કરવું, સંશોધન કરવું, વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી, ટેકનોલોજી યંત્રોની પસંદગી કરવી, ધંધાનું સ્થાન પસંદ કરવું, ગુણવત્તા અંકુશ જાળવવો, વૈવિધ્યકરણ અને સરલીકરણ દાખલ કરવું.

                                Fast Forward: 

    • અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન
    • પ્રવૃત્તિ ની દ્રષ્ટિએ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે.
    • જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા.
    • વ્યવસાય મંડળ પોતાના વ્યવસાય માટે આચાર સહિતા નું ઘડતર કરે છે.
    • સંચાલનની ત્રણ સપાટીઓ છે.
    • ઉચ્ચ સપાટી સંચાલનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ થાય છે.
    • તળ સપાટી સંચાલનને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
    • આયોજન અને ધંધાકીય સાહસ નું મગજ છે તો વ્યવસ્થાતંત્ર શારીરિક માળખું છે.
    • ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે આયોજન.
    • નિર્ધારિત ધ્યેય ને સિદ્ધ કરવા માટે એકમ ની પ્રવૃતિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે અંકુશ.
    • સંચાલનના ચાર કાર્ય  વિસ્તારો છે.
    • એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે કે ઉચ્ચ સપાટી.
    • સંચાલન દ્વારા સામાજિક, આર્થિક, રાજકીય, માનવ મૂલ્ય વગેરે જેવા ક્ષેત્રોનો વિકાસ થાય છે.
    • સંચાલનમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ નો સમાવેશ થાય છે.
    • મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી ના નામથી પણ ઓળખાય છે.
    • મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સુચનાઓનો અમલ તળ સપાટી કે કાર્યકારી સપાટી કરે છે.
    • યંત્રોની ગોઠવણી અને સમારકામ ને લગતા કાર્યો સંચાલનની તળ  સપાટીએ થાય છે.
    • પેદાશ મિશ્રમાં પેદાશના રૂપ, રંગ, કદ,આકાર, વજન છાપ,પેકિંગ અને વેચાણ પછીની સેવાઓ જેવા ગુણધર્મ નો સમાવેશ થાય છે.
    • IIM- Indian Institute of Management.
    • MBA-Master of Business Administration
    • CEO- Chief Executive Officer
    • LL.B- Bachelor of Laws
    • M.B.B.S- Bachelor of Medicine and Bachelor of Surgery
    • M.D- Doctor of Medicine
    • સંચાલનનો વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે B.B.A અને M.B.A ની પદવી મેળવવી પડે છે.
    • ભારતમાં સંચાલન નું શિક્ષણ આપતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય  કક્ષાએ કાર્યરત સંસ્થા IIM છે.
    • ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી નો સમાવેશ થાય છે.
    • મધ્ય સપાટી  સંચાલનમાં ખાતાના વિભાગીય અધિકારીઓ, પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો નો સમાવેશ થાય છે.
    • મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
    • તળ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેન નો સમાવેશ થાય છે.
    • તળ સપાટીને નિમ્ન સપાટી, કાર્ય કારી સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે.
    • માર્કેટિંગ કે  બજા રીય સંચાલન ના મુખ્ય તત્વ તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ વૃદ્ધિ ઉપરાંત પેકેજીંગ વગેરેને ગણાવી શકાય.
    • માનવ સંસાધન સંચાલન માં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી-બદલી અને દોરવણી નો સમાવેશ થાય છે.
    • સંચાલનના ચાર કાર્ય  વિસ્તારો છે: માર્કેટીંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન.
    • નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન.
Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator