Gujarati Essay Writing Tips

how to write gujarati essay

 પ્રિય વિદ્યાર્થી મિત્રો આ વેબસાઇટ પર આદર્શ નિબંધ માટે જરૂરી હોય એવા અનુરૂપ રૂઢિપ્રયોગો, કહેવતો, કાવ્યપંક્તિઓનો ઉપયોગ સૂત્ર, સુભાષિતો અને અવતરણો ખૂબ જ વિશાળ પ્રમાણમાં આપેલ છે. જેનો ઉપયોગ કરીને આપ ખૂબ જ સારી રીતે નિબંધ લખી શકશો અને આપની શાળામાં,કોલેજમાં કે કોઈપણ જગ્યાએ કોમ્પિટિશનમાં સારામાં સારી સ્પીચ પણ તમે આપી શકશો.

how to write gujarati essay
gujarati essay writing tips

નિબંધ લેખન ની કલા:

નિબંધ માટે અંગ્રેજીમાં essay શબ્દ વપરાય છે. બંગાળીમાં સર્જક નિબંધ ને રમ્યરચના કહે છે. નિબંધ એટલે કોઈ પણ બંધન નથી તે, પણ એનો અર્થ ગમેતેમ લખવું તો ન જ થાય. નિબંધકાર કેન્દ્રવર્તી વિચાર લઈને લેખન કરે છે કશુક વિશેષ રીતે કહેવું એટલે નિબંધ.

નિબંધ ની વ્યાખ્યાઓ:

બંધ અર્થાત બાંધવું રચવું અને તેમાં પૂર્વ પ્રત્યય નિ લાગતા નિબંધ થાય છે. મતલબ કે વિચારોની ક્રમબદ્ધ બાંધણી,ગોઠવણી કે રચનાને આપણે નિબંધ કહી શકીએ.

પ્રથમ દ્રષ્ટિએ નિબંધ ની રચના ત્રણ ભાગમાં વહેંચાય છે આરંભ મધ્ય અને અંત લેખન કેમ શરૂ કરવું અને તેનું સમાપન કેવી રીતે કરવું એ નિબંધને  રસપ્રદ બનાવવા માટે મહત્વની બાબતો છે કોઈપણ વિષય પસંદ થાય એટલે તેના વિશે લખવાની ઉતાવળ ન કરતા વિષયને અનુરૂપ સુંદર કાવ્ય પંક્તિ એટલે કે દૃષ્ટાંતોનો ઉપયોગ કરવો જરૂરી બને છે પરિણામે લખાણનો ઉઘાડ આકર્ષક અને આનંદદાયક બને છે. વળી વિષયના પરિચય કે

પ્રવેશની વિગતો આપવાથી લખાણની સુંદર ભૂમિકા બંધાય છે. ઇમારતના  પાયાની જેમ નિબંધનો આરંભ અતિ મહત્વનો ગણાવી શકાય. આરંભ જેટલો સુંદર સ્પષ્ટ અને આકર્ષક હોય તેટલો વાચકને વધુ આકર્ષે છે. સમગ્ર લેખન ની ભૂમિકા બાંધવાની હોવાથી નિબંધનો આરંભ ધીરજ અને સ્વસ્થતાથી કરવો જોઈએ.

૧. નિબંધ એટલે ગોષ્ઠિ

૨. નિબંધ એટલે ગદ્ય દેહ ધરેલુ ઊર્મિકાવ્ય.

૩. આદર્શ નિબંધ માં એક પ્રકારની હળવાશ હોય છે.

નિબંધ લેખન માટે જરૂરી માર્ગદર્શન:

૧. સામાન્ય રીતે શરુઆતમાં નિબંધ લખવા છે સમય વધુ બગડે તો પાછળ બધા પ્રશ્નોમાં ઉતાવળ કરવી પડે એટલે નિબંધ પહેલો લખો નહીં.

૨. તે જ રીતે અંતમાં  નિબંધ લખવો પણ હિતાવહ નથી કારણકે

જો સમય થોડો બચ્યો હોય તો વિચારો ની રજૂઆત વ્યવસ્થિત થઇ શકતી નથી અને નિબંધના આરંભ અને અંતના લખાણને સુંદર બનાવી શકાતું નથી એટલે નિબંધ સાવ છેલ્લો ન લખવો.

૩. વિષયની રજૂઆત માં બને તેટલા પોતાના વિચારો આવડે એવા લખવા જોઈએ કેમકે મૌલિક રજૂઆત નો વિશેષ પ્રભાવ પડે છે.

૪. પોતાના વિચારના સમર્થન કે સ્પષ્ટતા માટે વિષયને અનુરૂપ હોય એવા કોઈપણ લેખકના વિચારો કે કાવ્યપંક્તિ અવશ્ય ટાંકવી જોઈએ આમ કરવાથી તમારા બહોળા વાંચનનો પરીક્ષકને પરિચય થાય છે.

૫. વિષયના મુદ્દાઓ આપેલા હોય તો મુદ્દાઓ ઉપર બરાબર વિચાર કરીને આખા નિબંધ નું માળખું તમારા ચિત માં બરાબર ગોઠવી દો.

૬.નિબંધ નો આરંભ આકર્ષક, અસરકારક અને ચોટદાર હોવો જોઈએ ક્યારેક કોઈ સુભાષિત, કાવ્યપંક્તિ કે કોઈ અવતરણથી પણ નિબંધની શરૂઆત કરી શકાય.

૭. નિબંધ એવો પ્રશ્ન છે જેનાથી વિદ્યાર્થીની વિચારશક્તિ અને ભાષા શક્તિનો  સીધો પરિચય થાય થાય છે એટલે નિબંધમાં જોડણી વાક્યરચના અને વ્યાકરણ ના દોષ ન રહે તેની કાળજી લેવી ઘણી જરૂરી છે કેટલાક વિદ્યાર્થીઓ એટલા બધા બે કાળજીવાળા હોય છે કે પ્રશ્નપત્ર માં છાપેલું નિબંધનું મથાળું ઉત્તરવહીમાં ખોટું લખે છે પરીક્ષકને પ્રશ્ન થાય છે કે આટલું મથાળું જે  ભૂલ રહિત ના લખી શકે તેના લખાણમાં કેટલી બધી ભૂલો હશે એટલે નિબંધમાં ભૂલો ટાળવા જાગૃત રહેવું આવશ્યક છે.

૮. નિબંધ ના મધ્ય ભાગમાં નિબંધનું હાર્દ સમાયેલું છે મધ્યભાગ મુખ્ય વિષયને બરાબર ન્યાય આપે તેઓ સરળ, સચોટ, રસિક અને માહિતી પ્રદાન હોવો જોઈએ.

૯. નિબંધ નો અંત ભાગ સુંદર, સૂત્રાત્મક અથવા તો પ્રશ્ન સૂચક હોવો જોઈએ નિબંધ વાંચનારના મન ઉપર દીર્ઘકાલીન અસર ઉપજાવે એવો આદર્શ નિબંધ લખવો  આવશ્યક છે.

૧૦. એકના એક શબ્દો કે વાક્યો વારંવાર નિબંધ માં આવવા જોઈએ નહીં.

૧૧. નિબંધમાં વિષયાંતર થવું જોઈએ નહીં ઉપરાંત વિચારોની એકસૂત્રતા જળવાય તે આદર્શ નિબંધ માટે જરૂરી છે.

૧૨.નિબંધ લેખન માટે અઘરો વિષય પસંદ ન કરતાં જેમાં આપણે સારી રજૂઆત કરી શકીએ એવો વિષય પસંદ કરવો જોઈએ.

૧૩. નિબંધ ના લક્ષણો આ પ્રમાણે છે ૧.નિબંધ નું વસ્તુ ૨.નિબંધ ની શૈલી ૩. નિરૂપણરીતિ તેમજ ૪.લાઘવ ની કળા.

૧૪. પરીક્ષામાં નિબંધ લેખન માટે 20 થી 25 મિનિટ જેટલો જ સમય આપી શકાય.

૧૫.નિબંધ લેખન માટે નિયમિત વાંચન વિચારવિનિમય નિરીક્ષણ મનન આટલા પાસાઓ આપણા મજબૂત રાખવા જરૂરી છે.

ઉપરના સૂચનો ધ્યાનમાં લઈ પૂરા આત્મવિશ્વાસથી નિબંધલેખન શરૂ કરનાર વિદ્યાર્થીને ધારી સફળતા નિશ્ચિત મળે છે તો ચાલો હવે રાહ શેની ઉઠાવો કલમ અને કરો શુભ શરૂઆત.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Eco-Friendly Impact Calculator

Eco-Friendly Impact Calculator