Site icon 1clickchangelife

પાઠ 14- ઊર્જાના સ્ત્રોતો

STD 10 VIGNAN LESSION 14

 

ખાસ વિનંતી: હવેથી તમે આ ચેપ્ટર ના વિડીયો જોવા માટે  સીધો જ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.

વિડીયો સાઈટ ઉપર જ જોવા મળશે. www.1clickchangelife.com ઓપન કરો., અને તેમાં પાસવર્ડ માગે ત્યારે

પાસવર્ડ:jayho14 (every lesson’s password is jayho+lesson number

આપશો એટલે પાઠ ખુલી જશે. ક્યાં તમે આ ચેપ્ટર ને લગતા લાઇવ વિડિયો પણ જોઈ શકશો.

 

 ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયા અને કુલ ઊર્જાનું સંરક્ષણ થાય છે. તો પછી આપણે કેમ ઊર્જાસંકટ વિશે આટલું બધું સાંભળતા ૨હીએ છીએ ?

 

 જો ઊર્જા ને  ના તો ઉત્પન્ન કરી તો ઉત્પન્ન  કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય, તો આપણને  કોઈ ચિંતા હોવી જોઈએ નહિ !

આપણે ઊર્જાના સંસાધનોની ચિંતા કર્યા વિના અમર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવા જોઈએ!

જો  આપણે યાદ કરીએ કે આપણે ઊર્જા વિશે આનાથી વધારે બીજું શું-શું શીખ્યાં છીએ તો આ કોયડાનો  ઉકેલ લાવી શકાય છે.

ઊર્જાનાં વિવિધ સ્વરૂપો છે અને ઊર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે. 

ઉદાહરણ તરીકે, જો આપણે કોઈ પ્લેટને કોઈ ઊંચાઈથી પડતી મૂકીએ તો  સ્થિતિ ઊર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત  થઈ જાય છે. 

જો આપણે કોઈ મીણબત્તી સળગાવીએ છીએ તો પ્રક્રિયા વધારે ઉષ્માક્ષેપી બને છે  અને સળગવાથી મીણબતી ની રાસાયણિક ઊર્જા, ઉષ્મા ઉર્જા તથા પ્રકાશઊર્જામાં પરિવર્તિત થઈ જાય છે. મીણબતી ને સળગાવવાથી આ ઊર્જા સિવાય બીજી કઈ નીપજો  મળે છે ?

કોઈ પણ ભૌતિક  અથવા રાસાયણિક પ્રક્રિયા દરમિયાનું કુલ ઊર્જા અચળ હોય છે. પરંતુ જો આપણે સળગતી મીણબત્તી પર ફરીથી વિચાર કરીએ તો શું આપને પણ પ્રકારે પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ ઉષ્મા  અને પ્રકાશને બીજી નિપજો સાથે સાંકળીને મીણના રૂપમાં રાસાયણિક ઊર્જાને ફરીથી પ્રાપ્ત કરી શકીએ ?




ચાલો, આપણે એક બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ 

 

ધારો કે આપણે 100 mL પાણી લઈએ છીએ જેનું તાપમાન  348 K (75 °C) છે અને તેને એક રૂમમાં કે જેનું તાપમાન 298 K (25 °C) છે તેમાં રાખી મૂકીએ. 

તો થોડા સમય પછી શું થશે ? શું એવો કોઈ રસ્તો છે કે જેનો દ્વારા પર્યાવરણમાં ગુમાવેલી બધી  ઊર્જાને એકત્ર કરીને ઠંડા થઈ ગયેલ પાણીને ફરીથી ગરમ કરી શકાય ?

 

આવા દરેક ઉદાહરણ વિશે વિચાર કરતાં આપણે જોઈ શકીએ કે ઉપયોગી સ્વરૂપમાંની ઊર્જા  આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઊર્જાના રૂપમાં વિખેરણ પામે છે. 

તેથી કાર્ય કરવા માટે જે કોઈ ઊર્જાના સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ તે વપરાઈ જાય છે અને તેમાં તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી.

ઊર્જાના ઉત્તમ સ્ત્રોત 

ઊર્જાના ઉત્તમ સ્ત્રોત તરીકે કોને ગણવો જોઈએ ? આપણે આપણા રોજિંદા જીવનમાં કાર્ય કરવા  માટે આપણે વિવિધ સ્રોતમાંથી મળતી ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ.

 ટ્રેનને ચલાવવા માટે આપણે  ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. રસ્તા પરની સ્ટ્રીટલાઇટ પ્રકાશિત કરવા માટે વિધુતનો ઉપયોગ છીએ અથવા સાયકલ લઈને શાળાએ જવા માટે આપણે સ્નાયુઓમાં રહેલી સ્નાયુ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ.

શારીરિક કાર્યો કરવા માટે સ્નાયુઊર્જા, જુદાં-જુદાં ઉપકરણો ચલાવવા માટે વિદ્યુતઊર્જા, રસોઈ બનાવવા અથવા વાહનો ચલાવવા રાસાયણિક ઊર્જા આ દરેક ઊર્જા કોઈ ને કોઈ ઊર્જાસ્રોત માંથી   પ્રાપ્ત થાય છે. 

ઊર્જાના પરંપરાગત સ્રોત: 

અશ્મિભૂત બળતણ :

પ્રાચીન સમય માં ઉષ્મીય ઉર્જાનો  સામાન્ય સ્રોત લાકડુ હતો, કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે  પવન તથા વહેતા પાણીની ઊર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. 

ઉર્જાસ્ત્રોતના રૂપમાં કોલસાના  ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી.

વધતા જતા ઉદ્યોગોના કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. તેના પરિણામે સમગ્ર વિશ્વમાં ઊર્જાની  માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થઈ રહી છે. 

ઊર્જાની વધતી માંગની પૂર્તિ મોટે ભાગે અશ્મિભૂત બળતણ – કોલસા તથા પેટ્રોલિયમથી થઈ છે. માંગમાં થતી વૃદ્ધિ સાથે—સાથે આ ઉર્જાસ્ત્રોતનો  ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો. 

પરંતુ આ બળતણ કરોડો વર્ષો અગાઉ બનેલા છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે.

અશ્મિભૂત બળતણ ઊર્જા પુનઃઅપ્રાપ્ય સ્ત્રોત છે, તેથી તેનું  સંરક્ષણ કરવું જરૂરી છે. 

જો આપણે આ ઊર્જાસ્રોતનો ઉપયોગ  હાલના ચિંતાજનક દરથી કરતા રહીશું તો ઓ ભંડાર ટુંક સમયમાં ખાલી થઇ જશે ! આવી પરિસ્થિતિને ટાળવા માટે  ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત ની શોધ કરવામાં આવી. 

પરંતુ આજે પણ આપણે આપણી ઊર્જાઓની મોટા ભાગની જરૂરિયાત  પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છીએ.





અશ્મિભૂત બળતણના દહનના  ગેરફાયદા  

અશ્મિભૂત બળતણ  સળગાવવા ને કારણે ઉદભવતા પ્રદૂષણને જુદી જુદી પ્રવિધીઓ (Techniques) દ્વા૨ા બળતણના દહનની કાર્યક્ષમતા વધારીને તથા દહનને કારણે ઉદભવતા હાનિકારક ગેસ તથા  રાખને વિવિધ પ્રૌદ્યોગિકી (Technology) દ્વારા વાતાવરણમાં ભળતા ઓછા કરીને થોડા અંશે ઘટાડી શકાય છે. 


થર્મલ પાવર પ્લાન્ટ :

આ પાવર સ્ટેશનોને થર્મલ  પાવર સ્ટેશન કહેવાનું કારણ એ છે કે, તેમાં બળતણના દહન દ્વારા ઉષ્માઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે, જેનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ થાય છે.

 

જળ વિદ્યુત પ્લાન્ટ (Hydro Power Plant)

જળાશયોમાં દર વખતે  વરસાદને કારણે પાણી ફરી ભરાય છે (જળવિદ્યુત એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે).

 

આમ, આપણે અશ્મિભૂત બળતણ કે  જે એક દિવસ નાશ પામવાનું છે તેની જેમ જળવિદ્યુત સ્ત્રોત નો  નાશ પામવા અંગેની ચિંતા કરવાની જરૂર નથી.

ગેરફાયદા

પરંતુ, મોટા બંધોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી  છે. બંધોનું કેટલાક ચોકકસ વિસ્તારમાં ખાસ કરીને ટેકરી વાળા વિસ્તારમાં જ  નિર્માણ કરી શકાય છે. 

બંધોના નિર્માણ ને કારણે ઘણીબધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટ ડુબવાને કારણે નષ્ટ પામે છે.  

બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. 

જે ઝાડ-પાન તથા વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે તે અજા૨ક (anaerobic) પરિસ્થિતિઓમાં સડવા લાગે છે તથા વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે એક ગ્રીનહાઉસ ગેસ છે. 

બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃ વસવાટ તથા ક્ષતિપૂર્તિ સમસ્યાઓ પણ ઉદ્ભવે છે.

 ગંગા નદી પર ટિહરી બંધનું નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની  પરિયોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમસ્યાઓને લીધે થયો હતો.

ઊર્જાના પરંપરાગત સ્ત્રોત નો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિકી (ટેક્નોલોજી)માં સુધારા:

જૈવભાર (Bio–mass)

બાયોગેસ તેમજ બાયોગેસ પ્લાન્ટ: 

આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો તેમજ મળ  મૂત્રનો ઉપયોગ જૈવિક કચરા અને મળ-મૂત્રના  નિકાલનો સલામત અને સક્ષમ માર્ગ ઉપરાંત ઊર્જા  ખાતર આપે છે. 

પવનઊર્જા:

હાલમાં,પવનઊર્જા વિદ્યુતઊર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. 

 

 

પવનઊર્જાનો  ઉપયોગ કરવાની મર્યાદાઓ  

વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન અને વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી હોય છે.

વૈકલ્પિક અથવા બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત:

જેમ આપણી ઊર્જાની જરૂરિયાત વધતી જાય છે તેમ આપણે વધુ ને વધુ ઊર્જાના સ્રોતની તરફ  નજર કરવી જરૂરી બનશે. 

આપણે એવી ટેકનોલોજીનો વિકાસ કરીએ કે જેમાં પ્રાપ્ય અથવા જાણીતા  ઊર્જાસ્રોતની ઊર્જાનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ તથા ઊર્જાના નવા સ્રોત પણ શોધીએ.

સૌરઊર્જા(Solar Energy)

જોકે સોલાર સેલની ઊંચી કિંમતને કારણે  તેનો ઘરેલુ વપરાશ હજુ સીમિત છે.

 

સમુદ્રમાંથી ઊર્જા :

ભરતી ઊર્જા (Tidal Energy)

આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો  ખૂબ જ મર્યાદિત છે.

તરંગ ઊર્જા (Wave Energy)


સમુદ્ર તાપીય ઊર્જા (Ocean Thermal Energy)

સમુદ્રમાં મળતી આ ઉર્જા (ભરતી ઊર્જા, તરંગ ઊર્જા અને તાપિય ઊર્જા) ઘણી વધુ હોય છે. પરંતુ  ક્ષમતાપૂર્વક વ્યાપારી ઉપયોગ મુશ્કેલ છે.

ભૂતાપીય ઊર્જા (Geothermal energy)

ભૂસ્તરીય ઊર્જા પર આધારિત ઘણા પાવર-પ્લાન્ટ ન્યૂઝિલેન્ડ અને યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યાન્વિત છે.

ન્યુક્લિઅર ઊર્જા (Nuclear Energy)


ન્યૂક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યૂક્લિયર  ઊર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રીએક્ટરોમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત છે, પરંતુ બંને પ્રકારનાં સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે.

 

સ્વાધ્યાયના પ્રશ્નો

4.પ્રત્યક્ષ ઉર્જાસ્ત્રોતોના રૂપમાં અશ્મિભૂત બળતણ અને સૂર્યની સરખામણી કરો.

ઉત્તર :

અશ્મિભૂત બળતણ:

 

→તે પુનઃ અપ્રાપ્ય અને ખુટી જાય તેવો ઉર્જા સ્ત્રોત છે.

→તે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે.

 →અશ્મિભૂત બળતણ જમીનમાંથી મેળવવું પડે છે.

→ તે પરંપરાગત ઊર્જા સ્રોત છે.

 સૂર્ય:

→તે પુનઃપ્રાપ્ય અને અખૂટ ઊર્જા સ્રોત છે.

 →તે પ્રદૂષણ રહિત સ્રોત છે.

 →તે આપણા દેશના મોટાભાગના વિસ્તારોમાં દિવસના મોટા ભાગના સમય  દરમિયાન સરળતાથી પ્રાપ્ત છે.

→તે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે.

 

5.ઉર્જાસ્ત્રોતના સ્વરૂપમાં જૈવભાર અને જળ વિધુતની સરખામણી કરો.

ઉત્તર :

જૈવભાર:

→તેના ઉપયોગથી પ્રદૂષણ થાય છે.

→તે ઓછો ખર્ચાળ છે.

 →તે લાકડુ, કૃષિ-કચરો, છાણાં વગેરે સ્વરૂપે પ્રાપ્ત થાય છે..

 →તેના ઉપયોગ દ્વારા બાયોગેસ ઉત્પન્ન કરી શકાય છે.


જળવિધુત:

 →તે પ્રદૂષણ મુક્ત ઊર્જા સ્ત્રોત છે.

 →બંધ બનાવવાના  સંદર્ભે તે ખર્ચાળ છે.

→પાણીની સ્થિતિ-શક્તિનું જળવિદ્યુતમાં રૂપાંતર થાય છે.

→તેના ઉપયોગથી કોઈ વાયુ ઉત્પન્ન થતો નથી.


6.નીચેના માંથી ઊર્જા  પ્રાપ્ત કરવામાં કઈ મર્યાદાઓ છે ?

(a) પવન (b) તરંગો (c) ભરતી

ઉત્તર :

ઉર્જા –સ્વરૂપ  →પ્રાપ્તિમાં મર્યાદાઓ

(a) પવન → ગતિ 15km / h થી વધુ હોવી જરૂરી, પવન ઊર્જા ફાર્મ સ્થાપવા પ્રારંભિક ખર્ચે ખૂબ ઉંચો, કુદરતી  પરિબળો સામે ટાવર અને પાંખિયાંનો નિભાવ ખર્ચ વધારે હોય છે.

(b) તરંગો → સમુદ્ર જે વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા હોય ત્યાં જ તીવ્ર તરંગોમાંથી ઊર્જા મેળવી શકાય.તે ખર્ચાળ છે અને તેનુ વ્યવસ્થાપન મુશ્કેલ છે.

(c ) ભરતી → ભરતી ઊર્જા મેળવવા બંધ બનાવી શકાય તેવા સ્થળ મર્યાદિત છે. વ્યાવસાયિક રીતે તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો મુશ્કેલ છે.

7.ઉર્જા સ્ત્રોતો નું નીચે પ્રમાણે વર્ગોમાં કયા આધાર પર વર્ગીકરણ કરશો?

(A)પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય

(b)ખુટી જાય તેવા અને અખુટ

ઉત્તર:

(a) ખૂટી જાય તેવા ; અશ્મિ બળતણ, કોલસો તેમજ પેટ્રોલ ક્યારેક સમાપ્ત થઈ જશે.

(b) અખૂટ: પવન , ભરતી, સૌર ઉર્જા વગેરે પ્રાપ્ત  થતાં ઊર્જા સ્વરૂપો છે.

(c) પુન: પ્રાપ્ય : જૈવભાર, જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે  તો ચોક્કસ દરે ઊર્જાનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ થતો રહે.

(d) પુનઃ અપ્રાપ્ય : અશ્મી બળતણ, એક વખત ઉપયોગમાં લેતા વપરાય છે અને કાયમી સમાપ્ત થઈ જશે. નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે નહીં.

8.ઊર્જાના આદર્શ સ્ત્રોત માં કયા ગુણો હોય છે?

ઉત્તર :

નીચે ની લાક્ષણિકતાઓ  ધરાવતા સ્ત્રોત ને ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત  કહે છે :

→ તે એકમ  કદ અથવા દ્રવ્યમાનદીઠ વધારે માત્રામાં કાર્ય કરે.

→તે સરળતાથી ઉપલબ્ધ હોય.

→તે સંગ્રહ  તથા પરિવહનમાં સરળ હોય.

→તે સસ્તી હોય,

9. સૌરકુકરના ઉપયોગથી કયા લાભ તથા હાનિ થાય છે? શું તેવા  પણ સ્થળો છે, જ્યાં સૌર કુકરની ઉંપધોગિતા મર્યાદિત હશે

ઉત્તર :

સૌર કૂકર ના ઉપયોગથી  લાભ:

→તેના ઉપયોગ થી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી.

→તેમાં  નવીનીકરણીય અને અક્ષય ઊર્જા સ્રોતનો ઉપયોગ થાય છે.

→તેમાં રસોઈ બનાવતી વખતે ખોરાકનાં પોષણ મૂલ્ય જળવાઈ રહે છે, કારણ કે રસોઈ બનાવવાની ક્રિયા પ્રમાણમાં નીચા તાપમાને થાય છે.

હાનિ:

→તેનો ઉપયોગ રાત્રીના સમયે અને વાદળછાયા વાતાવરણ ના ગાળામાં કરી શકાતો નથી.

→તેમાં રસોઈ બનતાં વધારે  સમય લાગે છે.

→સૂર્યકિરણને પરાવર્તિત કરતા અરીસાનું સતત નિરીક્ષણ અને વારંવાર તેની દિશા બદલતા રહેવું પડે છે.

→તળવા માટે તેમજ રોટલી બનાવવા માટે તે ઉપયોગી નથી.

 જ્યાં સૂર્ય /પ્રકાશ સૌર-ઊર્જા પૂરતા પ્રમાણમાં હોય ત્યાં સૌરકૂકરની ઉપયોગિતા મર્યાદિત છે. વરસાદી અને વાદળ વાળા દિવસોમાં સૌરકૂકર કાર્ય કરતુ નથી. એવા સ્થળો આપણા દેશમાં ઉત્તર ભારતમાં હિમાલયના વિસ્તારો છે.

10. ઊર્જાની  વધતી જતી માંગની પર્યાવરણીય  અસર શું છે ?ઊર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે ક્યાં ઉપાયો સૂચવશો?

ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો :

(1) વ્યક્તિગત વાહનોનો  દૈનિક ઉદ્યોગ ઘટાડી શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવો.

(2 ) પ્રદૂષણમુકત ઊર્જાસ્રોતનો ઉપયોગ વધારવો.

(3) પર્યાવરણ માટે ઓછા નુકસાનકારક બળતણ CNG, બાયોગેસ વગેરેનો ઉપયોગ કરવો.

(4) જ્યારે જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા અને અન્ય વીજ-ઉપકરણો નો પ્રવાહ / સ્વીચ બંધ રાખવામાં આવે.

(5) સૌરકૂકર, સોલર વોટર હીટરનો ઉપયોગ કરવામા આવે.

(6) ટ્રાફિક સિગ્નલ પાસે લાલ લાઇટ હોય ત્યારે વાહન બંધ રાખવું.


Intext પ્રશ્નો:

 ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે ?

ઉત્તર :

→તે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે.

→ તે સરળતાથી ઉપલબ્ધ હોય.

 →તે સંગ્રહ તથા પરિવહન માં સરળ હોય.

→તે સસ્તો હોય.

ઉત્તમ બળતણ કોને કહે છે ?

ઉત્તર : 

→ધુમાડો કે રાખ  ઉત્પન્ન કર્યા વગર સંપૂર્ણ દહન પામે.

→ઓછી માત્રામાં દહન દરમિયાન વધારે માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરે,

→સરળતાથી પ્રાપ્ત અને સસ્તું હોય,

 →તે પ્રદૂષણ ન કરતું હોય તેમજ કોઈ અવશેષ બાકી ન રાખે, તેને ઉત્તમ બળતણ કહે છે.

જો તમે તમારા ભોજનને ગરમ કરવા માટે કોઈ પણ ઊર્જા સ્રોતનો ઉપયોગ કરી શકો છો, તો તમે કોનો ઉપયોગ કરશો અને કેમ?

ઉત્તર : 

અશ્મિ બળતણ ના ગેરલાભ શું છે?

ઉત્તર:

ગેર લાભ:

(1) અસ્મિભૂત બળતણ બનતા કરોડો વર્ષો લાગે છે, હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે.

(2) અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે.

(3) કોલસા અને પેટ્રોલિયમના  દહનથી વાયુ-પ્રદુષણ થાય છે.

અશ્મીભૂત બળતણના દહનથી મુક્ત થતા કાર્બન, નાઈટ્રોજન તથા  સલ્ફર ઓક્સાઇડ એસિડિક હોય છે. આ એસીડીક ઓક્સાઈડ એસિડ વર્ષનું કારણ બને છે.

(4) અશ્મીભૂત બળતણના દહનથી સર્જાતા કાર્બન ડાયોક્સાઇડના  વધતાં જતાં પ્રમાણથી ગ્રીનહાઉસ અસર સર્જાય છે.


 શા માટે આપણે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત નજર દોડાવીએ છીએ?ઉત્તર : 

 પવન અને પાણી-ઊર્જાના પરંપરાગત ઉપયોગને આપણી સગવડતા માટે કેવા ફેરફાર કરાયો છે?

ઉત્તર : 


 સૌરકૂકર માટે કયો અરીસો અંતર્ગોળ બહિર્ગોળ કે સમતલ  સૌથી વધારે યોગ્ય છે?

ઉત્તર :

સૌરકુકર  માટે અંતર્ગોળ (Corncave) અરીસો સૌથી વધારે  યોગ્ય છે, કારણ કે તે મોટા પ્રમાણ માં સૂર્ય કિરણોને સૌરકુકરમાં એકત્રિત કરે છે.

મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઊર્જાની કઈ મર્યાદાઓ  છે?

ઉત્તર : 

મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઊર્જાની મર્યાદાઓ;

(1) ભરતી ઊર્જા માટે બંધ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે.

(2) સમુદ્રતટ. જ્યાં તીવ્ર પવનો  ફૂંકાતા હોય ત્યાં જ તરંગ ઊર્જા મેળવી શકાય છે.

(3) કાર્યક્ષમ વ્યાવસાયિક રીતે સમુદ્રતાપીય ઊર્જાનો  ઉપયોગ કે શોષણ મુશ્કેલ છે.


 ભૂતાપીય ઊર્જા એટલે શું?

ઉત્તર : 

ભૂમિમાં ગરમ  બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપી  ઊર્જાને ભૂતાપીય ઊર્જા કહે છે.

ન્યુક્લિયર ઉર્જાના ફાયદા કયા છે?

ન્યુક્લિયર ઉર્જાના ફાયદા :

(1) અન્ય પરંપરાગત સ્ત્રોત ની  સાપેક્ષે ઘણી વધારે ન્યુક્લિયર ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે. 

ઉદા., યુરેનિયમના  એક પરમાણુના વિખંડન દરમિયાન મુક્ત થતી ઊર્જા કોલસામાં એક કાર્બન પરમાણુના  દહનથી મળતી ઊર્જા દ્વારા 10 મિલિયન ગણી વધુ હોય છે.

(2) જળ વિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઊર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્તિ માટે  ઓછી જગ્યા જોઈએ છે.

 શું કોઈ ઊર્જા  સ્ત્રોત પ્રદૂષણમુક્ત છે ? કેમ અથવા કેમ નહી?

ઉત્તર : 

સૂર્ય, પવન, ભૂતાપીય ઉર્જા સ્ત્રોત પ્રદૂષણમુક્ત ગણવામાં આવે છે, પરંતુ જ્યારે સ્રોતમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા કે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે માટેનાં ઉપકરણો ના ઉપયોગથી પર્યાવરણમા પ્રદૂષણ થાય છે. તેથી કોઈ પણ ઊર્જા સ્રોત સંપૂર્ણ રીતે પ્રદૂષણમુક્ત નથી.


રોકેટ માં બળતણ તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ થાય  છે.શું તમે CNG ની સરખામણીમાં તેની વધારે સ્વચ્છ ઈંધણ કહેશો ? કેમ અથવા કેમ નહી?

 

ઉત્તર : 

 CNG ની સરખામણીમાં હાઇડ્રોજન વધારે સ્વચ્છ  ઈંધણ છે, 

કારણ કે ઓક્સિજનની હાજરીમાં હાઈડ્રોજનનું દહન થતાં પાણીની બાષ્પ (H2O(g)) ઉત્પન્ન થાય છે. જ્યારે CNG મિથેન ધરાવે છે. તેના દહનથી કાર્બન ડાયૉક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન થાય છે.

એવા બે ઊજfસ્રોતનાં નામ લખો જેને તમે પુનઃપ્રાપ્ય માનો છો. તમારી પસંદગી માટે કારણ આપો.

ઉત્તર : 

( 1 ) જળ વિધુત, જળાશયમાં વરસાદને કારણે દર વખતે પાણી પુનઃ ભરાય છે.

( 2 ) પવન-ઊર્જા,સૌર-વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન  ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે અને પવન ફૂંકાય છે.


પ્રશ્ન 38. એવા બે ઉર્જાસ્રોતના નામ લખો. જેને તમે ખૂટી જાય તેવા ઊર્જાસ્રો માનો છો .તમારી પસંદગી માટે કારણ આપો.

ઉત્તર :

અશ્મિ બળતણ એટલે કે કોલસો અને પેટ્રોલિયમ ખુટી જાય તેવા ઊર્જા સ્ત્રોત છે , કારણ કે તેના દહન સાથે તે કાયમી નષ્ટ થાય છે.





Exit mobile version