Site icon 1clickchangelife

પાઠ 2-એસિડ બેઇઝ અને ક્ષાર

STD 10 VIGNAN LESSION 2

           વિજ્ઞાન પાઠ ૨-  એસિડ બેઇઝ અને ક્ષાર

આ પાઠ મા આવતા અગત્યના અણુસુત્રો.

હાઇડ્રોક્લોરિક એસિડ-HCl

સલ્ફ્યુરિક એસિડ-H2SO4

નાઈટ્રિક એસિડ-HNO3

એસિટીક એસિડ-CH3COOH

સોડિયમ હાઇડ્રોક્સાઇડ(કોસ્ટિક સોડા)-NaOH

પોટેશિયમ હાઈડ્રોકસાઇડ(કોસ્ટિક પોટાશ)-KOH

કેલ્શિયમ hydroxide-Ca(OH)2

મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ-Mg(OH)2

એમોનિયમ હાઇડ્રોક્સાઇડ-NH4OH

સોડિયમ કાર્બોનેટ(સોડા એશ)-Na2CO3

(ધોવાનો સોડા)

સોડિયમ બાયકાર્બોનેટ(સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ)-NaHCO3

(ખાવાનો સોડા)(બેકિંગ સોડા)

સોડિયમ ઓક્સાઇડ-Na2O

કોપર ક્લોરાઇડ-CuCl2

ઝીંક ક્લોરાઇડ-ZnCl2

કેલ્શિયમ કાર્બોનેટ-CaCO3

ગ્લુકોઝ-C6H12O6

આલ્કોહોલ-C2H5OH

મિલ્ક ઓફ મેગ્નેશિયા-Mg(OH)2

પોટેશિયમ સલ્ફેટ-K2SO4

સોડિયમ સલ્ફેટ-Na2SO4

કેલ્શિયમ સલ્ફેટ-CaSO4

મેગ્નેશિયમ સલ્ફેટ-MgSO4

કોપર સલ્ફેટ-CuSO4

સોડિયમ ક્લોરાઇડ-NaCl

સોડિયમ નાઇટ્રેટ-NaNO3

એમોનિયમ ક્લોરાઇડ-NH4Cl

વિરંજન (બ્લીચીંગ) પાઉડર-CaOCl2

કળી ચૂનો (લાઇમ)-CaO

 જિપ્સમ-CaSO4.2H2O

સોડિયમ નાઇટ્રેટ-NaNO3

સોડિયમ નાઈ ટ્રાઈટ-NaNO2

સોડિયમ ઝિંકેટ-Na2ZnO2

વિદ્યાર્થીમિત્રો આપણે જાણીએ છીએ કે ખોરાકનો ખાટો અને તૂરો સ્વાદ તેમની અંદર રહેલા એસિડ અને બેઇઝ ના કારણે હોય છે.

આપણે અથવા આપણા ઘરના કોઈ પણ સભ્ય કોઈ પ્રસંગમાં ગયા હોય અને ત્યાં મનગમતું ભોજન ઠાંસી ઠાંસીને ખાઈ લીધું હોય તો તે એસિડિટીની સમસ્યાનો ભોગ બને છે. 

આવા વખતે એસીડીક અસર નિવારવા તેના પ્રતિ પદાર્થ બેઇઝ નો ઉપયોગ કરવો પડે ખરું ને? ચાલો આપણે આ પાઠમાં એસિડ બેઇઝ ની પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું તેમજ એ પણ જોઈશું કે એસિડ બેઇઝ એકબીજાની અસર ને કેવી રીતે નાબૂદ કરે છે…

એસિડ ની સામાન્ય ઓળખ: 

બેઇઝ ની સામાન્ય ઓળખ:

સૂચક ની ઓળખ:

જે દ્રાવણ એસિડ અને બેઇઝ ની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે.

એસિડ અને બેઇઝ ની ઓળખ માટેના કુદરતી સૂચકો: હળદર, વેનીલા, ડુંગળી, લિટમસ પેપર લાલ કોબીજ ના પાન જેરાનિયમની રંગીન પાંખડીઓ, પેટુનિયા.

એસિડ અને બેઇઝ ની ઓળખ માટેના કૃત્રિમ સૂચકો:

મીથાઈલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલીન.

પ્રશ્ન: તમને ત્રણ કસનળી આપવામાં આવે તેમાં એક કસનળીમાં નિસ્યંદિત પાણી હોય અને બાકીની બે માં એસિડિક અને બેઝિક દ્રાવણ હોય અને તમને માત્ર લાલ પેપર આપેલ હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકો ની ઓળખ કેવી રીતે કરશો?

  1. સૌથી પહેલા કસનળીને A,B,C નામ આપો.
  2.  કસનળીના દ્રાવણમાંથી એક એક ટીપુ લાલ લિટમસ પેપર પર નાખો.
  3. જે કસ નળીના દ્રાવણ નું ટીપું લાલ લિટ્મસ પેપર ને ભૂરુ બનાવે તે કસનળીમાં બેઇઝ હશે તેમ કહી શકાય.
  4. બાકી રહેતી કસનળીના દ્રાવણમાં બેઇઝના દ્રાવણ નું એક ટીપું નાખો.
  5. જે કસનળી ના દ્રાવણનું ટીપુ બેઈઝના દ્રાવણના ટીપા સાથે મિશ્ર થઇ રંગીન બને તે એસિડ છે તેમ કહેવાય.
  6. જે ટીપાં ના રંગ માં કોઈ ફેરફાર થાય નહીં તે નિસ્યંદિત પાણી છે તેમ કહેવાય.

એસિડ અને બેઇઝ ના રાસાયણિક ગુણધર્મો ની સમજ:

વિજ્ઞાનની પ્રયોગશાળા માંથી આ પ્રમાણે નમૂના એકઠા કરો.

હાઇડ્રોક્લોરિક એસિડ(HCl), સલ્ફ્યુરિક એસિડ(H2SO4), નાઈટ્રિક એસિડ(HNO3), કેલ્શિયમ hydroxide(Ca(OH2), પોટેશિયમ hydroxide(KOH) ,મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ(Mg(OH)2, અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડ(NH4OH).

ઉપરના દ્રાવણમાંથી દરેકનું એક ટીપુ વોચ ગ્લાસ પર મૂકો.

લાલ લિટ્મસ પેપર, ભૂરું લિટમસ પેપર, ફીનોલ્ફથેલીન અને મી થાઈલ ઓરેન્જ જેવા સૂચકોની મદદથી થતું રંગ પરિવર્તન જુઓ.

એસિડ ના નમૂનાઓ લાલ લિટ્મસ પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે.

બેઇઝના નમૂનાઓ લાલ લિટ્મસ પેપર ને ભૂરું બનાવશે.

એસિડ ના નમૂનાઓ ભૂરા લિટમસ પેપર ને લાલ બનાવશે. બેઈઝ ના નમૂનાઓ ભૂરા લિટમસ  પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે.

ફિનોલ્ફથેલીન નું દ્રાવણ એસિડને રંગવિહીન કરશે અને બેઇઝ ને ગુલાબી બનાવશે.

મિથાઈલ ઓરેન્જનું દ્રાવણ એસિડને લાલ બનાવશે અને બેઇઝ ને પીળું બનાવશે.

ધ્રાણે ન્દ્રીય સૂચકો:કેટલાક પદાર્થો ની વાસ એ એસિડિક માધ્યમ માં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે તેમને ધ્રાણેન્દ્રિય સૂચકો કહે છે.દા.ત. વેનીલા નો અર્ક, લવિંગનું તેલ અને ડુંગળી.

ધ્રાણેન્દ્રિય  સૂચકોની મદદથી એસિડ અને બેઇઝ ની પરખ:

અવલોકન: 

અહીં આપણે વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ એ ત્રણેયનો ઉપયોગ ધ્રાણેન્દ્રિય સૂચક તરીકે કરી શકીશું.

વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગના તેલ ની વાસ મંદ HCl ઉમેરતા દૂર થતી નથી પરંતુ મંદ  NaOH ઉમેરતા ત્રણેયની વાસ દૂર થાય છે.

આના પરથી નક્કી થાય છે કે એસિડ ધ્રાણેન્દ્રિય સૂચક ની વાસ દૂર કરતો નથી પરંતુ બેઇઝ ધ્રાણેન્દ્રિય સુચકની વાસ દૂર કરે છે.

એસિડ અને બેઇઝ ની ધાતુ સાથે પ્રક્રિયા:

દાણાદાર ઝીંક અને મંદ સલ્ફયુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને દહન દ્વારા ઉત્પન્ન થતાં હાઈડ્રોજન વાયુ ની ચકાસણી કરવી.

આમ ધાતુની એસિડ સાથે ની પ્રક્રિયા નો સાર નીચે મુજબ થાય.

એસિડ + ધાતુ→ક્ષાર+હાઈડ્રોજન વાયુ

અન્ય પ્રક્રિયા: 

2NaOH(aq)+Zn(s)→Na2ZnO2(s)+H2

Na2ZnO2→ સોડિયમ ઝીંકેટ

ખાસ: આવી પ્રક્રિયા બધી ધાતુ સાથે સંભવ નથી.

ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઈડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા:

પ્રક્રિયાના સમીકરણો:

Ca(OH)2+CO2→CaCO3+H2O

યાદ રાખો:  કુદરત માં મળી આવતા ચુનાનો પથ્થર, ચાક અને આરસ -પહાણ પણ કેલ્શિયમ કાર્બોનેટ ના વિવિધ રૂપો છે.

એસિડ અને બેઇઝ ની એકબીજા સાથે પ્રક્રિયા:

સમીકરણ: NaOH+HCl→NaCl+H2O

તટસ્થીકરણ પ્રક્રિયા: 

જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.

  1. NaOH+HCl→ NaCl + H2O
  2. 2KOH+H2SO4→K2SO4+2H2O

એસીડ + બેઇઝ→ક્ષાર+પાણી

ધાત્વિય ઓકસાઇડ ની એસિડ સાથેની પ્રક્રિયા:

સમીકરણ: CuO+2HCl→CuCl2+H2O

 યાદ રાખો: બેઈઝની એસિડ સાથેની પ્રક્રિયાની  માફક ધાત્વિય  એસિડ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેથી ધાત્વિય ઓક્સાઇડ ને બેઝિક ઓકસાઈડ કહે છે.

અધાત્વિય ઓક્સાઇડ ની બેઇઝ સાથે ની પ્રક્રિયા:

જે  ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહે છે.

આ રીતે ધાત્વિય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે કારણકે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે.

આ રીતે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે

એસિડ અને બેઇઝ માં સમાનતા:

અવલોકન: અહીં ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી.. એટલે બલ્બ પ્રકાશિત થતો નથી.

જ્યારે એસિડ ના કિસ્સામાં વિદ્યુતનું વહન થાય છે…અને બલ્બ પ્રકાશિત થશે. આ કિસ્સામાં એસિડિક ગુણધર્મ માટે H+ અને બેઝિક ગુણધર્મ માટે OHઆયન જવાબદાર છે.

આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરતી પ્રવૃત્તિ:

નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે.

એસિડ અને બેઇઝ નું પાણીના દ્રાવણમાં શું થાય છે?

 આયન જવાબદાર છે.

 આલ્કલી એવો બેઇઝ છે કે જે પાણીમાં ઓગળે છે.તે સ્પર્શ થી સાબુ જેવા ચીકણા, કડવા અને ખવાઇ જાય તેવા હોય છે.

પાણીમાં દ્રવ્ય બેઇઝ આલ્કલી ના નામથી ઓળખાય છે.દા.ત.NaOH,KOH

પાણીને એસિડ અથવા બેઇઝ સાથે મિશ્ર કરવું.

ખાસ યાદ રાખો:એસિડ અને બેઇઝ અને પાણી સાથે મિશ્રણ કરતા એકમદીઠ આયનોની સાંદ્રતા માં  ઘટાડો થાય છે આ પ્રક્રિયાને મંદન કહે છે… અને આવા એસિડ અને બેઇઝ અને મંદ એસિડ અથવા મંદ બેઇઝ કહે છે.

સાંદ્ર નાઈટ્રિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ ને પાણી સાથે મિશ્ર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ.

એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતાં જઈને ઉમેરવો જોઈએ જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળીશકે છે અને દાઝી જવાનો ભય રહે છે.

અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર પણ તૂટી જઈ શકે છે.

આથી જ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના પાત્ર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની નાની ગોળીઓ ની શીશી પર ચેતવણીના સંકેતો આપેલા હોય છે.

જ્યારે આલ્કોહોલ તેમજ glucose વગેરે જલીય દ્રાવણ માં H+ 

આયન મુક્ત કરતા નથી એટલે તે એસિડિક લક્ષણો ધરાવતા નથી

એસિડ અને બેઇઝ દ્રાવણ ની  પ્રબળતા: 

pH માપક્રમ

યાદ રાખો: સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકો નું મિશ્રણ છે તેનો ઉપયોગ કરીને દ્રાવણ માં રહેલા હાઇડ્રોકસિલ કે hydroxide આયનની જથ્થાત્મક માત્રા જાણી શકાય છે.

એસિડ અને બેઇઝ ની પ્રબળતા નક્કી કરવી:

ખાસ યાદ રાખો:

પાંચ દ્રાવણ A,B,C,D,E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા:

A- pH 4-નિર્બળ એસિડિક

B-pH 1- પ્રબળ એસિડિક

C-pH 11-પ્રબળ બેઝિક

D-pH 7- તટસ્થ

E-pH 9- નિર્બળ બેઝિક

દૈનિક જીવનમાં pH નું મહત્વ:

  1. સજીવના અસ્તિત્વમાં: માનવ શરીર 7 થી 7.8  pH ની મર્યાદામાં કાર્ય કરે છે સજીવો માત્ર pH ના મર્યાદિત ફેરફારમાં ટકી શકે છે.

જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતા ઓછી હોય ત્યારે તેને એસિડવર્ષા કહે છે જ્યારે નદીમાં વહે છે ત્યારે તે નદીના પાણીની pH ઘટાડે છે આવી નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ બને છે.

     (2) જમીનમાં pH નું મહત્વ: 

જે જમીનની pH 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ ખુબ જ સારો થાય છે.

એટલે ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઈમ ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જિપ્સમ ઉમેરે છે.

   (3) પાચનતંત્ર માં pH નું મહત્વ:

ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે.કે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. અપચા દરમિયાન ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે જે દર્દ અને બળતરા નુ કારણ બને છે.

આ પ્રકારના દર્દથી છુટકારો મેળવવા લોકો બેઇઝ નો ઉપયોગ કરે છે જેને એન્ટાસિડ કહે છે.આ એન્ટાસિડ નું કાર્ય વધારા ના 

એસીડ ને  તટસ્થ કરવાનું છે.આ ઉપરાંત મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ (મિલ્ક ઓફ મેગ્નેશિયા) કે જે મંદ બેઇઝ છે તે પણ આ હેતુ માટે અવારનવાર ઉપયોગમાં લેવામાં આવે છે.

 (4) દાંતનું ક્ષયન રોકવામાં pH નું મહત્વ: 

જ્યારે મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે.

દાંતનુ ઉપરનું આવરણ કે જે કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું છે તે શરીરનો  સૌથી સખત પદાર્થ છે.

તે પાણીમાં દ્રાવ્ય થતો નથી પરંતુ મોઢાની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે.

મોઢામાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોઢા માં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટન દ્વારા એસિડ ઉત્પન્ન કરે છે.

ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે.દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટુથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝિક હોય છે તે વધારાના એસિડને તટસ્થ  કરે છે અને દાંતનો સડો અટકાવે છે.

પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતાં રાસાયણિક હુમલાથી સ્વરક્ષણ:

મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે જેને લીધે દર્દ અને બળતરા થાય છે. ડંખ મારેલા ભાગમાં હળવા બેઇઝ નો ઉપયોગ જેમકે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત પૂરી પાડે છે.

કૌવચ વનસ્પતિ ના પાંદડા ના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે.

ખાસ યાદ રાખો: જે માટી માટે pH નું મૂલ્ય 5.6 થી ઓછું હશે તે માટી એસિડિક ગુણ ધરાવશે.

એસિડિક જમીનને તટસ્થ કરવા લાઇમ જેવો બેઇઝ ઉમેરાય અને બેઝિક જમીનને તટસ્થ કરવા જિપ્સમ જેવો એસિડ ઉમેરાય.

જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય તે માટે જમીન ની pH 6.5 થી  7.3 ની વચ્ચે હોવી જોઈએ.

In-text  પ્રશ્નો:

ક્ષાર પરિવાર: એક સમાન ધન અથવા ઋણ આયન (મૂલકો) ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે.

સોડિયમ ક્ષાર પરિવાર ના ઉદાહરણ:NaCl, Na2SO4

ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ:NaCl,KCl

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ માંથી બનતા તટસ્થ ક્ષારની pH 7 હોય છે.

બીજી  તરફ પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝ ના ક્ષાર pH નું 7થી ઓછુ મુલ્ય ધરાવતા એસિડિક ક્ષાર હોય છે.

જ્યારે પ્રબળ બેઇઝ તેમજ નિર્બળ એસિડ ના ક્ષાર pHના 7 થી વધુ મૂલ્ય ધરાવતા સ્વભાવે બેઝિક હોય છે.

સામાન્ય ક્ષાર માંથી મળતા રસાયણ:

હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણના સંયોગીકરણ થી ઉદભવતા ક્ષારને સોડિયમ ક્લોરાઇડ કહે છે.

આ સોડિયમ ક્લોરાઇડ મહાત્માગાંધીની દાંડીકૂચમાં અગત્યનું પ્રતીક હતું!!!

ખનીજ ક્ષાર (રૉક સોલ્ટ): વિશ્વના અનેક ભાગોમાં ઘન ક્ષારનું નિક્ષેપન થયેલું જોવા મળે છે આ મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થાઈ રંગના હોય છે તેને ખનીજ ક્ષાર કહે છે.ભૂતકાળમાં જ્યારે દરિયાનું પાણી સુકાઈ ગયું ત્યારે ખનીજ ક્ષારની ચાદર ઉદ્દભવી.

સોડિયમ હાઇડ્રોક્સાઇડ: જ્યારે સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ માંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને કલોર- આલ્કલી ક્રિયા કહે છે.કારણકે તેમાં ઉત્પન્ન થતી નીપજો કલોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે.

સમીકરણ: 2NaCl + 2H2O→2NaOH+Cl2+H2

અેનોડ પર કલોરીન વાયુ મુક્ત થાય છે અને કેથોડ પર હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે કેથોડ પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. (આકૃતિ પાઠ્યપુસ્તક page:30)

વિરંજન પાવડર: (બ્લીચિંગ પાઉડર-CaOCl2)

બનાવટ: ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથે ની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે.

સમીકરણ: Cl2+Ca(OH)2→CaOCl2+H2O

વિરંજન પાઉડર ના ઉપયોગો:

બેકિંગ સોડા: રસોઈઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા પકોડા બનાવવા માટે ઉપયોગી ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા.

ઘણીવાર ખોરાક ઝડપથી રાંધવા માટે બેકિંગ સોડા ઉમેરવામાં આવે છે. આ સંયોજન નું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3) છે.

સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ માં CO2 અને NH3 પસાર કરતાં બેકિંગ સોડા બને છે.

સમીકરણ: NaCl+H2O+CO2+NH3→NH4Cl+ NaHCO3

 બેકિંગ સોડા મંદ બિન ક્ષારીય બેઈઝ છે.

ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે.

સમીકરણ: 2NaHCO3→Na2CO3+H2O+CO2

બેકિંગ સોડા ના ઉપયોગો:

ધોવાનો સોડા: (Na2CO3.10H2O)

સમીકરણ: Na2CO3+10H2O→Na2Co3.10H2O

ધોવાના સોડા ના ઉપયોગો:

સ્ફટિક જળ: સ્ફટિક જળ એ ક્ષાર ના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓ ની નિશ્ચિત સંખ્યા છે.

દા.ત. કોપર સલ્ફેટ CuSO4.5H2O આ સૂત્રમાં પાણીના પાંચ અણુઓ હાજર છે. તેમજ જિપ્સમ CaSO4.2H2O  પાણીના બે અણુઓ ધરાવે છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ: 

બનાવટ: જ્યારે જિપ્સમ ને 373K તાપમાને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઈડ્રેટ (CaSO4.½ H2O) બને છે તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરતા તે ફરી એકવાર સખત ઘન પદાર્થ  જિપ્સમ માં ફેરવાય છે.

પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ: CaSO4.½ H2O+1½ H2O→CaSO4.2H2O

ઉપયોગો:

ખાસ યાદ રાખો: 

સ્વાધ્યાય ના પ્રશ્ન 5 સમીકરણ સમતુલિત કરો નો અલગથી વિડિયો બનાવેલો છે.

આ પાઠમાંથી આ મુદ્દાઓ ખાસ યાદ રાખો:

ખાસ યાદ રાખો

                                 

Exit mobile version