Site icon 1clickchangelife

પાઠ- 5 ગરીબી

CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના (Introduction)

ગરીબી અર્થતંત્ર માં પ્રવર્તતા એવી પરિસ્થિતિ છે, જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુતમ જરૂરિયાત પણ સંતોષી શકતો નથી.

મોટા ભાગના વિકાસમાન દેશો કે જ્યાં માથાદીઠ આવકનું નીચું પ્રમાણ,આવકની અસમાન વહેંચણી જોવા મળે છે.

ત્યાં વસ્તીનો મોટો ભાગ કે જે ગરીબ છે તે સારું જીવન જીવવા જરૂરી પાયાની લઘુતમ જરૂરિયાત જેવી કે પૂરતો પોષક આહાર, કપડાં, સારું રહેઠાણ પણ પ્રાપ્ત કરી શકતા નથી.

તો બીજી તરફ ધનિક અને સાધન-સંપન્ન વર્ગ ઊંચી આવક સાથે ઊચું જીવનધોરણ જીવતા હોય છે.

અર્થતંત્ર માં જોવા મળતી આ આર્થિક સમાનતા ને કારણે સમાજમાં અસંતોષ,અશાંતિ, ઈર્ષ્યા ભાવ  તેમજ વર્ગવિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળે છે.

માનવ વિકાસ અહેવાલ, 1997 મુજબ  આર્થિક વિકાસ તે સાધન છે

ગરીબી નો અર્થ 

(1) ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી

(2) ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક ગરીબી.

ગરીબીનો આવક અભિગમ

પરંતુ આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે.

ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી.

ગરીબીનો આધુનિક અભિગમ

લઘુતમ  સરેરાશ જીવનધોરણના ખ્યાલ માં ખોરાક ઉપરાંત  અન્ય બાબતો જેમ કે કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો પણ સમાવેશ થાય છે.  

તેથી જ ગરીબીના આધુનિક અભિગમ તરીકે બિનઆવક ગરીબીનો ખ્યાલ વધુ મહત્વનો બન્યો છે.

આધુનિક અર્થશાસ્ત્રીના મતે આવક તે ગરીબીના એક મહત્વનું પાસું છે.

ગરીબી નો પૂરો ખ્યાલ મેળવવા જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ વિચાર થવો જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP)ના માનવ વિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક  (HDI) અને માનવ ગરીબી આંક (HPI) ની ગણતરીમાં મુખ્ય ત્રણ બાબતો જ્ઞાન,આરોગ્ય અને સારા  જીવનધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

જેમાં જ્ઞાન માટે સાક્ષરતા દર અને નોધણી નો દર (Enrollment ratio), આરોગ્ય માટે જન્મ સમયે અપેક્ષિત આયુસ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન નો સમાવેશ કરવામાં આવ્યો છે.





 ગરીબીનું સ્વરૂપ (Nature of Poverty)

ગરીબી નો ખ્યાલ ને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓએ ગરીબીને  તેના સ્વરૂપના આધારે બે વિભાગમાં વિભાજિત કરે છે :

 (1) નિરપેક્ષ ગરીબી અને

 (2) સાપેક્ષ ગરીબી.



 નિરપેક્ષ ગરીબી :

ગરીબીરેખા:

ગરીબી રેખાની મર્યાદા



  આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેન્ક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિ (PPP)ના આધારે દૈનિક આવક 1.25 ડોલર નક્કી કરી.

જે વર્ષ 1990 માટે 1 ડૉલર હતી અને વર્ષ 2015માં દૈનિક આવક 1.90 ડોલર નક્કી કરવામાં આવી છે.

 






ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ :

 તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-5માં નિરપેક્ષ  ગરીબીનું પ્રમાણ 37.2 % હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9 % થયું હતું.

ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ :

માહિતી અનુસાર 10 ટકા થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યો માં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ,  આંધ્ર પ્રદેશ નો સમાવેશ થાય છે.

જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજયોમાં 10% થી 20 % ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે.

જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં 20% થી 30 % અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિસા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં પ્રમાણમાં વધુ એટલે કે 30-40 % ગરીબી જૉવા મળી હતી.

વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતનાં વિભિન્ન રાજ્યમાં સૌથી ઓછી ગરીબી 5.09 % સાથે ગોવા રાજય હતું અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93 % સાથે છત્તીસગઢ રાજ્યમાં હતું,

સાપેક્ષ ગરીબી :

ભારત માટે પણ હવે એવી દલીલ ક૨વામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબી નો અભ્યાસ ગરીબી રેખા ને  બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ.



એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય. ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ પાંચ આવક જુથો માં વહેચવામાં આવે છે.

જૂથ 1- 0 થી 30 હજાર

જૂથ 2- 30 હજારથી 1 લાખ 
જૂથ 3- 1 લાખથી 3 લાખ
જૂથ 4- 3 લાખથી 10 લાખ

જૂથ 5-10 લાખથી વધુ

ઉપર ના ઉદાહરણ માં જૂથ 2  માં સમાવિષ્ટ વર્ગની આવક ,જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે.

તેથી કહી શકાય કે જૂથ 2 કરતા જૂથ 1 માં રહેલ વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે.

પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4, 5 માં સમાવિષ્ટ વ્યક્તિની આવક કરતાં ઓછી છે.

આથી જૂથ 2 ના વ્યક્તિઓ જૂથ 3, 4, 5 માં સમાવિષ્ટ વ્યક્તિઓ ની તુલનામાં સાપેક્ષ ગરીબ કહી શકાય.

સાપેક્ષ ગરીબી કે આવક અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથો ની રચના, લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

ગરીબી ના નિર્દેશકો 

ગરીબી ની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા  વિવિધ પરિબળોને ગરીબી ના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે.

 નીચો માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ :

 માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડ વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને  દર્શાવે છે.

વિકાસમાન દેશોમા વિકસિત દેશોની તુલનામાં માથા દીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા  ઘણી જ નીચી હોય છે. 

 ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે વર્ષ 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ  725 ડોલર હતું.

જે US માં 31,469 ડૉલર, UK માં 25,828 ડોલર, જાપાનમાં 22, 149 ડોલર હતું.

પાકિસ્તાનમાં તે 603 ડૉલર ખર્ચ જોવા મળતું હતું. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US અને UK જેવા વિકસિત દેશોની તુલના એ ઘણું જ ઓછું જોવા મળે છે.

કુપોષણ નું પ્રમાણ :

કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મીનરલ્સ નો સમાવેશ થતો નથી.

વિશ્વમાં ખાદ્ય સુરક્ષા પરિસ્થિતિ, 2015 પરના FAO ના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત (ઓછો ખોરાક મેળવી) વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું,જે ગરીબી નો નિર્દેશ કરે છે.


અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ-દર 🙁 સ્વાસ્થ્ય)

જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે.

દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે.

ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે,

બાળ-મૃત્યુ દર એટલે દર 1000 જીવીત જન્મતા બાળકો માંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતાં બાળકો નું પ્રમાણ છે.

બાળમૃત્યુ-દર નું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓ ની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં  રસીકરણ પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે.

 નોર્વેમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 81.6વર્ષ હતું જે અમેરિકામાં 79.1વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ, ચીનમાં 75.8 વર્ષ હતું. જ્યારે ભારતમાં તે 68.0 વર્ષ જોવા મળ્યું હતું.જે ચીન, શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ઓછું છે.

બાળ મૃત્યુદર ની બાબતમાં નોર્વેમાં દર હજાર જન્મ લેતાં બાળકોએ બાળ મૃત્યુનું પ્રમાણ 2,અમેરિકામાં 6, શ્રીલંકામાં 9,ચીનમાં 10 જ્યારે ભારતમાં 39 ઘણું જ વધારે કહી શકાય તેટલું છે.

તબીબી સગવડો :

સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોકટરો,નર્સ, કંપાઉડર વગેરે કર્મચારીઓનો  સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓની પ્રતિકુળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોકટરોની અછત જોવા મળે છે.

વિકસતા દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તી માટે એક ડૉક્ટર ની સેવા ઉપલબ્ધ છે.

વિકસતા દેશોમાં  દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સ નો ભોગ  બન્યા છે. એમાંથી 90 % વિકસતા દેશોમાં છે.

પીવાનું પાણી :

જનસમૂહ નું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવા લાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે.

દૂષિત  પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક નો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે.

વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3 % કુટુંબોને નળ દ્વારા શુદ્ધીકરણ સ્રોત થી પીવાનું પાણી ઉપલબ્ધ છે.

8.67 % કુટુંબોને નળ દ્વારા શુદ્ધીકરણ ન કરેલ પાણી, 26 % લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કુવા, હેન્ડ પમ્પ, ટયુબવેલ, ઝરણાં, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે.

શુદ્ધ પીવાના પાણી ની ગેરહાજરીમાં ગંદા પ્રદૂષણ યુક્ત પાણી, દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે.

શૌચાલયની સુવિધા :

ભારતમાં વસ્તી-ગણતરી 2011 ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70 % વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં  રહે છે.

જેમને પાણી જન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્ત્વની છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે.

ભારતમાં 66 % કુટુંબો મકાન ની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે. જ્યારે બાકીના 34 % કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે.

રહેઠાણ :

ગરીબી ના નિર્દેશક તરીકે રહેઠાણ અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણ ની તંગી છે.લોકો ગંદી ચાલો અને  ઝુપડપટ્ટીમાં રહે છે. આ પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે.

ભારતમાં પૂરતી સગવડતા વાળા મકાનોની તંગી છે.

ભારતમાં 60 કરોડ લોકો સ્વાથ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમ રૂપ એવા નિવાસસ્થાન માં રહે છે.

ભારતમા મોટા ભાગ ના મકાનો એક રૂમની સગવડતા વાળાં છે જે ગરીબી નું એક માપદંડ બને છે.

વીજળીની વપરાશ :

કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્ત્વનું પરિબળ વીજળીની સગવડ છે.

ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે.

આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠઆવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે.

શિક્ષણ :

 વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે બાકીના નિરક્ષર છે.

 શિક્ષણ અને તાલીમ નું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે.

વર્ષ 2011 માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91 % હતો.જ્યારે ભારતમાં તે 74.04 %, નેપાળમાં 60 % અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો.

 ગરીબ વસ્તી માં શિક્ષણ નું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત, માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતો નથી, અજ્ઞાનતાનું  ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે.


આવક અને સંપત્તિ અસમાન વહેંચણી :

1991ના આર્થિક સુધારા બાદ ના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણી ને કારણે ગરીબાઈ માં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી.

આવક ની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવનધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાણવિહોણાં  તેમજ ગંદા વસવાટોમાં વસતા,

ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્ય ની પાયાની લઘુતમ જરૂરિયાતો થી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. 

 ભારત માટે એવું કહી શકાય કે, ભારતમાં આર્થિક સુધારા થી ઉદ્ભભવેલા લાભો ધનિકોની તરફેણ માં વધુ રહ્યા છે.

આમ, આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતા જે ગાળો (અંતર) જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબી ના નિર્દેશક છે.


બેરોજગારી નો ઉંચો દર:

પ્રવર્તમાન વેતન દરે  કામ કરવાની ઈચ્છા , શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર  કહેવાય.

ભારતમાં 2011 સુધી બેરોજગારીનો દર 9 ટકા ની આસપાસ રહ્યો હતો. વર્ષ 2013-14માં શ્રમબ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી  પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9 % જેટલો જોવા મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7 % અને શહેરીક્ષેત્રો માટે તે 5.5 % જોવા મળ્યો હતો.






ગરીબીના કારણો 

 

 ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણ નીચે મુજબ છે :

ઐતિહાસિક કારણો



ગ્રામીણ ગરીબી ના કારણો ;

કુદરતી પરિબળો :


વસ્તીવિષયક પરિબળો :


ગરીબીના આર્થિક કારણો :

શ્રમિક દીઠ નીચી ખેત-ઉત્પાદકતા : 

જમીન તથા સંપત્તિની અસમાન વહેચણી:


નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ : 


ઝડપથી વધતા ભાવો :

બેરોજગારીનું ઊંચું પ્રમાણ :


ગરીબીના સામાજિક કારણો :

શિક્ષણનું નીચું સ્તર : 


 લૈંગિક અસમાનતા :


અન્ય કારણો :

યુદ્ધ :


 સંરક્ષણ-ખર્ચમાં વધારો :


ખામીયુક્ત નીતિઓ : 

ગરીબી ઘટાડવાના ઉપાયો 

ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવા, નીચે મુજબના ઉપાયો કરવામાં આવ્યા છે:

ખેતીક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી :

ખેતીક્ષેત્રે શ્રમિકોમાં  ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે.

નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ: 


અસંગઠિત ક્ષેત્રનો  વિકાસ :

 યોગ્ય કરનીતિનો ઉપયોગ :

માનવ મૂડી રોકાણ માં વધારો :

વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ :


રોજગારલક્ષી કાર્યક્રમો :

રોજગારી સર્જન અને ગરીબી નિવા૨ણ એકબીજા સાથે સંબંધિત છે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી  મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે:

સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ (IRDP)/ સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના(SGSY)  

સ્વરોજગારી માટેના કાર્યક્રમો (IRDP અને અન્ય) કાર્યક્રમો માં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો :



(1) IRDP (સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ)

(2) TRYSEM( સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ)

(3) DWCRA (ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો  વિકાસનો કાર્યક્ર્મ) 

(4) MWS (10 લાખ કુવાઓની યોજના)

(5) SITARA (ગ્રામીણ કારીગર માટે સુધારેલી  ટુલકીટ પૂરી પાડવી.)

(6) ગંગા કલ્યાણ યોજના

વેતન રોજગારી કાર્યક્રમો :

(2) રોજગાર બાંહેધરી યોજના  કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.

પ્રધાનમંત્રી રોજગાર યોજના (PMRY) : 


રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન(2005) (NREGA):

આવાસ યોજનાઓ : 

ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ : 

પ્રધાનમંત્રી  જનધન યોજના :


જનધન યોજના નું મહત્વ અને લક્ષણો : 



Exit mobile version